જૂનાગઢમાં મહંત રાજ ભારતી બાપુનો ઓડિયો ક્લીપ વાયરલ, વીડિયો વાયરલ થતા મહંતે લીધું આ પગલું!


  • Published By :
  • Published Date : 2023-01-24 19:10:23

જૂનાગઢના એક સાધુનો વિવાદીત વીડિયો વાયરલ થયો હતો. સાધુનો વીડિયો અને ઓડિયો ક્લીપ વાયરલ થતા તેમણે પોતાને ગોળી મારી દીધી હતી. ભવનાથ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદા મંદિરના મહંત રાજભારતીબાપુએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.     


બાપુનો દારૂ પીતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર સાધુઓના અનેક વિડીયો વાયરલ થતા રહે છે. જેને કારણે વિવાદ સર્જાતો હોય છે. ત્યારે ખેતલીયા દાદા મંદિરના મહંત રાજભારતી બાપુનો વીડિયો તેમજ ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો. વાયરલ થયેલા ઓડિયો ક્લીપમાં સાધુ મહિલાની સાથે પ્રેમલાપની વાતો કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ બાપુના દારૂ પીતો વીડિયો થયો હતો. તે સિવાય ઓડિયો ક્લીપ પણ વાયરલ થઈ હતી.   

 

લાઈસન્સ વાળી બંદુકથી લમણે ગોળી મારી 

એવું માનવામાં આવે છે આ વીડિયો વાયરલ થવાને કારણે રાજભારતી બાપુએ આ પગલું ભર્યું હોઈ શકે છે. પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં તેમણે પોતાની લાઈસન્સવાળી બંદુકથી પોતાના માથે ગોળી મારી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે પૂર્વે જ તેમનું મોત થઈ ગયું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.