જૂનાગઢમાં મહંત રાજ ભારતી બાપુનો ઓડિયો ક્લીપ વાયરલ, વીડિયો વાયરલ થતા મહંતે લીધું આ પગલું!


  • Published By :
  • Published Date : 2023-01-24 19:10:23

જૂનાગઢના એક સાધુનો વિવાદીત વીડિયો વાયરલ થયો હતો. સાધુનો વીડિયો અને ઓડિયો ક્લીપ વાયરલ થતા તેમણે પોતાને ગોળી મારી દીધી હતી. ભવનાથ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદા મંદિરના મહંત રાજભારતીબાપુએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.     


બાપુનો દારૂ પીતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર સાધુઓના અનેક વિડીયો વાયરલ થતા રહે છે. જેને કારણે વિવાદ સર્જાતો હોય છે. ત્યારે ખેતલીયા દાદા મંદિરના મહંત રાજભારતી બાપુનો વીડિયો તેમજ ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો. વાયરલ થયેલા ઓડિયો ક્લીપમાં સાધુ મહિલાની સાથે પ્રેમલાપની વાતો કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ બાપુના દારૂ પીતો વીડિયો થયો હતો. તે સિવાય ઓડિયો ક્લીપ પણ વાયરલ થઈ હતી.   

 

લાઈસન્સ વાળી બંદુકથી લમણે ગોળી મારી 

એવું માનવામાં આવે છે આ વીડિયો વાયરલ થવાને કારણે રાજભારતી બાપુએ આ પગલું ભર્યું હોઈ શકે છે. પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં તેમણે પોતાની લાઈસન્સવાળી બંદુકથી પોતાના માથે ગોળી મારી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે પૂર્વે જ તેમનું મોત થઈ ગયું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.