જૂનાગઢમાં મહંત રાજ ભારતી બાપુનો ઓડિયો ક્લીપ વાયરલ, વીડિયો વાયરલ થતા મહંતે લીધું આ પગલું!


  • Published By :
  • Published Date : 2023-01-24 19:10:23

જૂનાગઢના એક સાધુનો વિવાદીત વીડિયો વાયરલ થયો હતો. સાધુનો વીડિયો અને ઓડિયો ક્લીપ વાયરલ થતા તેમણે પોતાને ગોળી મારી દીધી હતી. ભવનાથ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદા મંદિરના મહંત રાજભારતીબાપુએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.     


બાપુનો દારૂ પીતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર સાધુઓના અનેક વિડીયો વાયરલ થતા રહે છે. જેને કારણે વિવાદ સર્જાતો હોય છે. ત્યારે ખેતલીયા દાદા મંદિરના મહંત રાજભારતી બાપુનો વીડિયો તેમજ ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો. વાયરલ થયેલા ઓડિયો ક્લીપમાં સાધુ મહિલાની સાથે પ્રેમલાપની વાતો કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ બાપુના દારૂ પીતો વીડિયો થયો હતો. તે સિવાય ઓડિયો ક્લીપ પણ વાયરલ થઈ હતી.   

 

લાઈસન્સ વાળી બંદુકથી લમણે ગોળી મારી 

એવું માનવામાં આવે છે આ વીડિયો વાયરલ થવાને કારણે રાજભારતી બાપુએ આ પગલું ભર્યું હોઈ શકે છે. પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં તેમણે પોતાની લાઈસન્સવાળી બંદુકથી પોતાના માથે ગોળી મારી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે પૂર્વે જ તેમનું મોત થઈ ગયું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.