જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં થયું હિમસ્ખલન, અનેક લોકો ફસાયા હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-02-01 16:34:41

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાને કારણે અનેક જગ્યાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં આવેલા ગુલમર્ગ સ્કીઈંગ રિસોર્ટ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગયું છે. સ્કી રિસોર્ટ અફરવાત નામની ચોટી પર આવેલું છે. રિપોર્ટસના અનુસાર આ હિમસ્ખલનમાં અનેક વિદેશી સ્કીયરો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. લોકોને બચાવાની કામગીરી કરવામાં આવી રહી છે.


હિમસ્ખલન થતાં બે વિદેશીઓના થયા મોત

જમ્મુ-કાશ્મીરના ફેમસ ટૂરિસ્ટ પ્લેસ ગુલમર્ગમાં એક એવલાંચ આવ્યો હતો જેમાં સ્કી રિસોર્ટ જપેટામાં આવી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ હિમસ્ખલનમાં પોલેન્ડના બે ટૂરિસ્ટની મોત થઈ ગઈ છે, તો સાથે સાથે 19 વિદેશી નાગરીકોને બચાવી લેવામાં આવ્યા છે. આમાં કેટલા લોકો ફસાયા છે તે અંગે જાણી શકાયું નથી. 


રેસ્ક્યુની ચાલી રહી છે કામગીરી

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અવલાંચ એટલે કે હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા તે લોકો ઢાળ પર હતા. આ ઘટનામાં મરેલા લોકોની બોડી મળી આવી છે. આ અંગે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ એટલે કે 29 જાન્યુઆરીના રોજ લદાખના કારગિલમાં અવલાંચ આવ્યું હતું જેમાં પણ અનેક લોકોના મોત થયા હતા.

  

   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.