જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં થયું હિમસ્ખલન, અનેક લોકો ફસાયા હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-02-01 16:34:41

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાને કારણે અનેક જગ્યાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં આવેલા ગુલમર્ગ સ્કીઈંગ રિસોર્ટ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગયું છે. સ્કી રિસોર્ટ અફરવાત નામની ચોટી પર આવેલું છે. રિપોર્ટસના અનુસાર આ હિમસ્ખલનમાં અનેક વિદેશી સ્કીયરો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. લોકોને બચાવાની કામગીરી કરવામાં આવી રહી છે.


હિમસ્ખલન થતાં બે વિદેશીઓના થયા મોત

જમ્મુ-કાશ્મીરના ફેમસ ટૂરિસ્ટ પ્લેસ ગુલમર્ગમાં એક એવલાંચ આવ્યો હતો જેમાં સ્કી રિસોર્ટ જપેટામાં આવી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ હિમસ્ખલનમાં પોલેન્ડના બે ટૂરિસ્ટની મોત થઈ ગઈ છે, તો સાથે સાથે 19 વિદેશી નાગરીકોને બચાવી લેવામાં આવ્યા છે. આમાં કેટલા લોકો ફસાયા છે તે અંગે જાણી શકાયું નથી. 


રેસ્ક્યુની ચાલી રહી છે કામગીરી

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અવલાંચ એટલે કે હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા તે લોકો ઢાળ પર હતા. આ ઘટનામાં મરેલા લોકોની બોડી મળી આવી છે. આ અંગે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ એટલે કે 29 જાન્યુઆરીના રોજ લદાખના કારગિલમાં અવલાંચ આવ્યું હતું જેમાં પણ અનેક લોકોના મોત થયા હતા.

  

   




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.