જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં થયું હિમસ્ખલન, અનેક લોકો ફસાયા હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-02-01 16:34:41

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાને કારણે અનેક જગ્યાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં આવેલા ગુલમર્ગ સ્કીઈંગ રિસોર્ટ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગયું છે. સ્કી રિસોર્ટ અફરવાત નામની ચોટી પર આવેલું છે. રિપોર્ટસના અનુસાર આ હિમસ્ખલનમાં અનેક વિદેશી સ્કીયરો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. લોકોને બચાવાની કામગીરી કરવામાં આવી રહી છે.


હિમસ્ખલન થતાં બે વિદેશીઓના થયા મોત

જમ્મુ-કાશ્મીરના ફેમસ ટૂરિસ્ટ પ્લેસ ગુલમર્ગમાં એક એવલાંચ આવ્યો હતો જેમાં સ્કી રિસોર્ટ જપેટામાં આવી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ હિમસ્ખલનમાં પોલેન્ડના બે ટૂરિસ્ટની મોત થઈ ગઈ છે, તો સાથે સાથે 19 વિદેશી નાગરીકોને બચાવી લેવામાં આવ્યા છે. આમાં કેટલા લોકો ફસાયા છે તે અંગે જાણી શકાયું નથી. 


રેસ્ક્યુની ચાલી રહી છે કામગીરી

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અવલાંચ એટલે કે હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા તે લોકો ઢાળ પર હતા. આ ઘટનામાં મરેલા લોકોની બોડી મળી આવી છે. આ અંગે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ એટલે કે 29 જાન્યુઆરીના રોજ લદાખના કારગિલમાં અવલાંચ આવ્યું હતું જેમાં પણ અનેક લોકોના મોત થયા હતા.

  

   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.