અયાન મુખર્જીએ જાહેર કરી બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 અને 3ની ડેટ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-04-04 16:36:13

વર્ષ 2022માં આલિયા ભટ્ટ અને રણવીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર આવી હતી જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. બોક્સઓફિસ પર ફિલ્મે સારી કમાણી કરી હતી. ત્યારે ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં બ્રહ્માસ્ત્રની સિક્વલ કયા વર્ષે રિલીઝ થશે તે અંગેની માહિતી આપી હતી. પાર્ટ વનની સફળતા બાદ ફિલ્મની સિક્વલને પણ સારો રિસ્પોન્સ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અયાન મુખર્જીની ટ્વિટ મુજબ બ્રહ્માસ્ત્ર પાર્ટ-2 દેવ ડિસેમ્બર 2026માં રિલીઝ થવાની છે જ્યારે બ્રહ્માસ્ત્ર પાર્ટ - ડિસેમ્બર 2027માં રિલીઝ થવાની છે. 

Image


Image

બંને સિક્વલનું શુટિંગ એકસાથે થઈ રહ્યું છે!

વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી હતી. ફિલ્મ માટે દર્શકોએ ઘણી રાહ જોવી પડી હતી. પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ફિલ્મે અંદાજીત 100 કરોડ જેટલી કમાણી કરી હતી.ત્યારે આ ફિલ્મના સિક્વલની રાહ દર્શકો જોઈ રહ્યા હતા. ત્યારે દર્શકોની આતુરતાનો અંત આવી ગયો છે. અયાન મુખર્જીએ એક સાથે બે ડેટ રિલીઝ કરી છે. વર્ષ 2026માં બ્રહ્માસ્ત્ર ફિલ્મનો પાર્ટ 2 આવી રહ્યો છે જ્યારે 2027માં બ્રહ્માસ્ત્ર ફિલ્મ પાર્ટ 3 રિલીઝ કરવામાં આવશે. બંને સિક્વલનું શૂટિંગ સાથે કરવામાં આવી રહ્યું છે. 


સોશિયલ મીડિયા પર શેર કરી અયાન મુખર્જીએ વાત 

એક ઈન્ટરવ્યુ દરમિયાન અયાન મુખર્જીએ કહ્યું કે મેં નક્કી કર્યું હતું કે આ બંને ફિલ્મ એક સાથે બનશે અને બંને ફિલ્મની રિલીઝ ડેટ આસપાસ હશે. આ બંને ફિલ્મો બ્રહ્માસ્ત્ર કરતા વધારે સારી હશે. આ ફિલ્મમાં સ્ક્રીપટ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અયાન મુખર્જીએ કહ્યું કે બ્રહ્માસ્ત્ર ટ્રાયોલોજી, દી અસ્ત્રવર્સ અને મારી લાઈફને લઈ અપડેટ આપવાનો સમય આવી ગયો છે. પાર્ટ વનને મળેલા ફિડબેક અને પ્યાર બાદ... હું પાર્ટ 2 અને 3 પર ફોકસ કરી રહ્યો છું.         



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.