અયાન મુખર્જીએ જાહેર કરી બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 અને 3ની ડેટ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-04-04 16:36:13

વર્ષ 2022માં આલિયા ભટ્ટ અને રણવીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર આવી હતી જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. બોક્સઓફિસ પર ફિલ્મે સારી કમાણી કરી હતી. ત્યારે ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં બ્રહ્માસ્ત્રની સિક્વલ કયા વર્ષે રિલીઝ થશે તે અંગેની માહિતી આપી હતી. પાર્ટ વનની સફળતા બાદ ફિલ્મની સિક્વલને પણ સારો રિસ્પોન્સ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અયાન મુખર્જીની ટ્વિટ મુજબ બ્રહ્માસ્ત્ર પાર્ટ-2 દેવ ડિસેમ્બર 2026માં રિલીઝ થવાની છે જ્યારે બ્રહ્માસ્ત્ર પાર્ટ - ડિસેમ્બર 2027માં રિલીઝ થવાની છે. 

Image


Image

બંને સિક્વલનું શુટિંગ એકસાથે થઈ રહ્યું છે!

વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી હતી. ફિલ્મ માટે દર્શકોએ ઘણી રાહ જોવી પડી હતી. પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ફિલ્મે અંદાજીત 100 કરોડ જેટલી કમાણી કરી હતી.ત્યારે આ ફિલ્મના સિક્વલની રાહ દર્શકો જોઈ રહ્યા હતા. ત્યારે દર્શકોની આતુરતાનો અંત આવી ગયો છે. અયાન મુખર્જીએ એક સાથે બે ડેટ રિલીઝ કરી છે. વર્ષ 2026માં બ્રહ્માસ્ત્ર ફિલ્મનો પાર્ટ 2 આવી રહ્યો છે જ્યારે 2027માં બ્રહ્માસ્ત્ર ફિલ્મ પાર્ટ 3 રિલીઝ કરવામાં આવશે. બંને સિક્વલનું શૂટિંગ સાથે કરવામાં આવી રહ્યું છે. 


સોશિયલ મીડિયા પર શેર કરી અયાન મુખર્જીએ વાત 

એક ઈન્ટરવ્યુ દરમિયાન અયાન મુખર્જીએ કહ્યું કે મેં નક્કી કર્યું હતું કે આ બંને ફિલ્મ એક સાથે બનશે અને બંને ફિલ્મની રિલીઝ ડેટ આસપાસ હશે. આ બંને ફિલ્મો બ્રહ્માસ્ત્ર કરતા વધારે સારી હશે. આ ફિલ્મમાં સ્ક્રીપટ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અયાન મુખર્જીએ કહ્યું કે બ્રહ્માસ્ત્ર ટ્રાયોલોજી, દી અસ્ત્રવર્સ અને મારી લાઈફને લઈ અપડેટ આપવાનો સમય આવી ગયો છે. પાર્ટ વનને મળેલા ફિડબેક અને પ્યાર બાદ... હું પાર્ટ 2 અને 3 પર ફોકસ કરી રહ્યો છું.         



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી