અયાન મુખર્જીએ જાહેર કરી બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 અને 3ની ડેટ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-04 16:36:13

વર્ષ 2022માં આલિયા ભટ્ટ અને રણવીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર આવી હતી જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. બોક્સઓફિસ પર ફિલ્મે સારી કમાણી કરી હતી. ત્યારે ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં બ્રહ્માસ્ત્રની સિક્વલ કયા વર્ષે રિલીઝ થશે તે અંગેની માહિતી આપી હતી. પાર્ટ વનની સફળતા બાદ ફિલ્મની સિક્વલને પણ સારો રિસ્પોન્સ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અયાન મુખર્જીની ટ્વિટ મુજબ બ્રહ્માસ્ત્ર પાર્ટ-2 દેવ ડિસેમ્બર 2026માં રિલીઝ થવાની છે જ્યારે બ્રહ્માસ્ત્ર પાર્ટ - ડિસેમ્બર 2027માં રિલીઝ થવાની છે. 

Image


Image

બંને સિક્વલનું શુટિંગ એકસાથે થઈ રહ્યું છે!

વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી હતી. ફિલ્મ માટે દર્શકોએ ઘણી રાહ જોવી પડી હતી. પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ફિલ્મે અંદાજીત 100 કરોડ જેટલી કમાણી કરી હતી.ત્યારે આ ફિલ્મના સિક્વલની રાહ દર્શકો જોઈ રહ્યા હતા. ત્યારે દર્શકોની આતુરતાનો અંત આવી ગયો છે. અયાન મુખર્જીએ એક સાથે બે ડેટ રિલીઝ કરી છે. વર્ષ 2026માં બ્રહ્માસ્ત્ર ફિલ્મનો પાર્ટ 2 આવી રહ્યો છે જ્યારે 2027માં બ્રહ્માસ્ત્ર ફિલ્મ પાર્ટ 3 રિલીઝ કરવામાં આવશે. બંને સિક્વલનું શૂટિંગ સાથે કરવામાં આવી રહ્યું છે. 


સોશિયલ મીડિયા પર શેર કરી અયાન મુખર્જીએ વાત 

એક ઈન્ટરવ્યુ દરમિયાન અયાન મુખર્જીએ કહ્યું કે મેં નક્કી કર્યું હતું કે આ બંને ફિલ્મ એક સાથે બનશે અને બંને ફિલ્મની રિલીઝ ડેટ આસપાસ હશે. આ બંને ફિલ્મો બ્રહ્માસ્ત્ર કરતા વધારે સારી હશે. આ ફિલ્મમાં સ્ક્રીપટ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અયાન મુખર્જીએ કહ્યું કે બ્રહ્માસ્ત્ર ટ્રાયોલોજી, દી અસ્ત્રવર્સ અને મારી લાઈફને લઈ અપડેટ આપવાનો સમય આવી ગયો છે. પાર્ટ વનને મળેલા ફિડબેક અને પ્યાર બાદ... હું પાર્ટ 2 અને 3 પર ફોકસ કરી રહ્યો છું.         



કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં હતા. વલસાડમાં તેમજ છોટા ઉદેપુરમાં તેમણે જનસભાને સંબોધી..અનેક વિષયો પર તેમણે વાત કરી હતી..પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.