બાબા બાગેશ્વરનું આજે થશે ગુજરાતમાં આગમન, આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજીમાં ત્રણ દિવસ સુધી હનુમાન કથાનું કરાવશે રસપાન


  • Published By :
  • Published Date : 2023-10-15 12:00:59

બાબા બાગેશ્વર ધામના બાગેશ્વર ધામના પીઠાધિશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનું આજે ગુજરાતમાં આગમન થશે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે આવવાના છે. જેને લઈને અંબાજીમાં તેમના આગમનની તડામાર તૈયારીઓ પુરી થઈ ગઈ છે. નવરાત્રીના શરૂઆતે તારીખ 15, 16 અને 17 તારીખે 3 દિવસ બાબા બાગેશ્વર અંબાજીમાં રહેશે. આજથી ત્રણ દિવસ બાબા બાગેશ્વર ગુજરાતમાં છે. અંબાજીમાં બાબા બાગેશ્વરની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર અને હનુમાન કથા યોજાશે.


અંબાજીમાં તૈયાર કરાયો ડોમ


અંબાજી ખાતે ત્રણ દિવસ બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામા આવી હતી. હવે આ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. તો બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અને હનુમાન કથા માટે અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ પણ બનાવવામા આવ્યો છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે 15 તારીખે દીપ પ્રાગટ્ય અને હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું આયોજન ઇસ્કોન ગ્રુપમાં ચેરમેન પ્રવીણભાઈ કોટક દ્વારા કરવામાં આવ્યું છે. આ કથા સાંજ ના 4 વાગ્યાથી પ્રારંભ થશે. 


આ મહાનુભાવો રહેશે ઉપસ્થિત


આ ત્રિ-દિવસીય હનુમાન કથામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સહીત ગુજરાતના અનેક નેતાઓ સાથે સાધુ અન્ય મહાનુભાવો તેમજ અભિનેતાઓને આ કથા માટે આમંત્રિત કરાયા છે. નવરાત્રીના બીજા દિવસે 16 તારીખે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે, જેમાં ભક્તોની સમસ્યાનું સમાધાન થશે. તો નવરાત્રીના ત્રીજા દિવસે 17 તારીખે હનુમાન કથા અને પૂર્ણાહુતી કરવામાં આવશે. આ કથાના કાર્યક્રમ દરમિયાન બેથી ત્રણ લાખ લોકો આવે તેવું આયોજન અંબાજી જીએમડીસી મેદાનમાં હાથ ધરાયુ છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી