ખરાબ હવામાનને કારણે ઘઉં-ચોખાનું થયું છે ઓછુૃં ઉત્પાદન


  • Published By :
  • Published Date : 2022-12-16 16:26:20

દેશમાં મોંઘવારીનું સ્તર સતત વધી રહ્યું છે. ખાદ્યવસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખરાબ હવામાનને કારણે ફરી અનાજના ભાવમાં વધારો થઈ શકે છે. ખરાબ હવામાનને કારણે અનાજોનું ઉત્પાદન ઘટ્યું છે. અનાજનો મોંઘવારી દર ઓક્ટોબર મહિનાના 12.8 ટકાથી વધીને 12.96 ટકા થઈ છે. સમગ્ર મોંઘવારી દર 11 મહિનામાં પહેલીવાર ભારતીય રીઝર્વ બેંકમા 6 ટકાના લક્ષ્યની અંદર આવ્યો છે. ત્યારે પણ આ પરિસ્થિતિ છે. 


ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં થયો ઘટાડો 

સરકારના એક અંદાજ મૂજબ ઘઉં અને ચોખા બંનેના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ઉત્પાદનનું સ્તર ગત વર્ષ કરતા ઓછું રહ્યું છે. ઘઉંનો છૂટક મોંઘવારી દર ઓક્ટોબરમાં 17.64 ટકા હતો જે વધીને નવેમ્બરમાં 19.67 ટકા થઈ ગયો છે. ઉપરાંત ચોખાનો મોંઘવારી દર પણ વધ્યો છે. ઓક્ટોબરમાં મોંઘવારી દર 10.21 ટકા હતો જે નવેમ્બરમાં 10.51 ટકા થઈ ગયો હતો. 


ઓછા વરસાદને કારણે પાકને થયું નુકસાન 

બંને મુખ્ય અનાજોના ઉત્પાદનમાં પ્રતિકુળ મોસમના કારણે આ ઘટાડો આવ્યો છે. 2022માં જ્યારે રવિ પાકની કાપણીનો સમય થયો તે દરમિયાન અચાનક ગરમીનું સ્તર વધી ગયું હતું. તો પૂર્વ ભારતના મુખ્ય ઉત્પાદક રાજ્યમાં બિહાર, ઝારખંડ. યુપીમાં ઓછા વરસાદના કારણે ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન ઘટ્યું હતું. 


ખરીફ સિઝનમાં ઓછું થયું છે ચોખાનું ઉત્પાદન 

રવી સીઝનમાં ઘઉંનું ઉત્પાદન 10.64 કરોડ અંદાજવામાં આવ્યું છે જે ગયા વર્ષ કરતા ઓછું ઉત્પાદન થયું છે. ગયા વર્ષ કરતા આ વખતે અંદાજીત 38 લાખ ટન ઓછું ઉત્પાદન થયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અચાનક ગરમી પડવાને કારણે આ ઉત્પાદન ઘટ્યું છે. પ્રાથમિક અંદાજ અનુસાર હાલમાં પૂરી થયેલ ખરીફ મોસમમાં ચોખાનું ઉત્પાદન 10.49 કરોડ ટન રહેવાની આશા છે જે ગત વર્ષની સરખામણી 6.05 ટકા ઓછું છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.