ખરાબ હવામાનને કારણે ઘઉં-ચોખાનું થયું છે ઓછુૃં ઉત્પાદન


  • Published By :
  • Published Date : 2022-12-16 16:26:20

દેશમાં મોંઘવારીનું સ્તર સતત વધી રહ્યું છે. ખાદ્યવસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખરાબ હવામાનને કારણે ફરી અનાજના ભાવમાં વધારો થઈ શકે છે. ખરાબ હવામાનને કારણે અનાજોનું ઉત્પાદન ઘટ્યું છે. અનાજનો મોંઘવારી દર ઓક્ટોબર મહિનાના 12.8 ટકાથી વધીને 12.96 ટકા થઈ છે. સમગ્ર મોંઘવારી દર 11 મહિનામાં પહેલીવાર ભારતીય રીઝર્વ બેંકમા 6 ટકાના લક્ષ્યની અંદર આવ્યો છે. ત્યારે પણ આ પરિસ્થિતિ છે. 


ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં થયો ઘટાડો 

સરકારના એક અંદાજ મૂજબ ઘઉં અને ચોખા બંનેના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ઉત્પાદનનું સ્તર ગત વર્ષ કરતા ઓછું રહ્યું છે. ઘઉંનો છૂટક મોંઘવારી દર ઓક્ટોબરમાં 17.64 ટકા હતો જે વધીને નવેમ્બરમાં 19.67 ટકા થઈ ગયો છે. ઉપરાંત ચોખાનો મોંઘવારી દર પણ વધ્યો છે. ઓક્ટોબરમાં મોંઘવારી દર 10.21 ટકા હતો જે નવેમ્બરમાં 10.51 ટકા થઈ ગયો હતો. 


ઓછા વરસાદને કારણે પાકને થયું નુકસાન 

બંને મુખ્ય અનાજોના ઉત્પાદનમાં પ્રતિકુળ મોસમના કારણે આ ઘટાડો આવ્યો છે. 2022માં જ્યારે રવિ પાકની કાપણીનો સમય થયો તે દરમિયાન અચાનક ગરમીનું સ્તર વધી ગયું હતું. તો પૂર્વ ભારતના મુખ્ય ઉત્પાદક રાજ્યમાં બિહાર, ઝારખંડ. યુપીમાં ઓછા વરસાદના કારણે ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન ઘટ્યું હતું. 


ખરીફ સિઝનમાં ઓછું થયું છે ચોખાનું ઉત્પાદન 

રવી સીઝનમાં ઘઉંનું ઉત્પાદન 10.64 કરોડ અંદાજવામાં આવ્યું છે જે ગયા વર્ષ કરતા ઓછું ઉત્પાદન થયું છે. ગયા વર્ષ કરતા આ વખતે અંદાજીત 38 લાખ ટન ઓછું ઉત્પાદન થયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અચાનક ગરમી પડવાને કારણે આ ઉત્પાદન ઘટ્યું છે. પ્રાથમિક અંદાજ અનુસાર હાલમાં પૂરી થયેલ ખરીફ મોસમમાં ચોખાનું ઉત્પાદન 10.49 કરોડ ટન રહેવાની આશા છે જે ગત વર્ષની સરખામણી 6.05 ટકા ઓછું છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.