ખરાબ હવામાનને કારણે ઘઉં-ચોખાનું થયું છે ઓછુૃં ઉત્પાદન


  • Published By :
  • Published Date : 2022-12-16 16:26:20

દેશમાં મોંઘવારીનું સ્તર સતત વધી રહ્યું છે. ખાદ્યવસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખરાબ હવામાનને કારણે ફરી અનાજના ભાવમાં વધારો થઈ શકે છે. ખરાબ હવામાનને કારણે અનાજોનું ઉત્પાદન ઘટ્યું છે. અનાજનો મોંઘવારી દર ઓક્ટોબર મહિનાના 12.8 ટકાથી વધીને 12.96 ટકા થઈ છે. સમગ્ર મોંઘવારી દર 11 મહિનામાં પહેલીવાર ભારતીય રીઝર્વ બેંકમા 6 ટકાના લક્ષ્યની અંદર આવ્યો છે. ત્યારે પણ આ પરિસ્થિતિ છે. 


ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં થયો ઘટાડો 

સરકારના એક અંદાજ મૂજબ ઘઉં અને ચોખા બંનેના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ઉત્પાદનનું સ્તર ગત વર્ષ કરતા ઓછું રહ્યું છે. ઘઉંનો છૂટક મોંઘવારી દર ઓક્ટોબરમાં 17.64 ટકા હતો જે વધીને નવેમ્બરમાં 19.67 ટકા થઈ ગયો છે. ઉપરાંત ચોખાનો મોંઘવારી દર પણ વધ્યો છે. ઓક્ટોબરમાં મોંઘવારી દર 10.21 ટકા હતો જે નવેમ્બરમાં 10.51 ટકા થઈ ગયો હતો. 


ઓછા વરસાદને કારણે પાકને થયું નુકસાન 

બંને મુખ્ય અનાજોના ઉત્પાદનમાં પ્રતિકુળ મોસમના કારણે આ ઘટાડો આવ્યો છે. 2022માં જ્યારે રવિ પાકની કાપણીનો સમય થયો તે દરમિયાન અચાનક ગરમીનું સ્તર વધી ગયું હતું. તો પૂર્વ ભારતના મુખ્ય ઉત્પાદક રાજ્યમાં બિહાર, ઝારખંડ. યુપીમાં ઓછા વરસાદના કારણે ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન ઘટ્યું હતું. 


ખરીફ સિઝનમાં ઓછું થયું છે ચોખાનું ઉત્પાદન 

રવી સીઝનમાં ઘઉંનું ઉત્પાદન 10.64 કરોડ અંદાજવામાં આવ્યું છે જે ગયા વર્ષ કરતા ઓછું ઉત્પાદન થયું છે. ગયા વર્ષ કરતા આ વખતે અંદાજીત 38 લાખ ટન ઓછું ઉત્પાદન થયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અચાનક ગરમી પડવાને કારણે આ ઉત્પાદન ઘટ્યું છે. પ્રાથમિક અંદાજ અનુસાર હાલમાં પૂરી થયેલ ખરીફ મોસમમાં ચોખાનું ઉત્પાદન 10.49 કરોડ ટન રહેવાની આશા છે જે ગત વર્ષની સરખામણી 6.05 ટકા ઓછું છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.