બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસ પહેલા જ વિરોધ શરૂ, વિજ્ઞાન જાથાના ચેરમેને ધીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યો આ ખુલ્લો પડકાર


  • Published By :
  • Published Date : 2023-05-16 21:27:09

દેશભરમાં હિન્દુત્વના નવા પોસ્ટર બોય અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવવાના છે. બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. જો કે બાબાના આગમન પહેલા જ તેમની સામે વિરોધ રાજ્યમાં વિરોધ શરૂ થઈ ગયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પણ તેમના વિરોધમાં નિવેદન આપ્યું છે.  


ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી બાબા-વિજ્ઞાન જાથા


ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ પ્રવાસ પહેલા વિજ્ઞાન જાથાએ જોરદાર વિરોધ શરૂ કર્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે "બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ધર્મના નામે તુત ફેલાવી રહ્યા છે, તે ધર્મના નામે લોકોની ભાવના સાથે રમત રમી રહ્યા  છે. સાથે જ વિજ્ઞાન જાથાના ચેરમેને ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે, તે ખરેખર ચમત્કાર જાણતા હોય તો ડ્રગ્સ અંગે માહિતી આપે. દેશમાં અનેક સમસ્યાઓ છે, તેનું સમાધાન આપે. બાકી અન્ય ખોટી વાતો ન કરે." વિજ્ઞાન જાથા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી બાબા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.


વિજ્ઞાન જાથા બાબાની પોલ ખોલશે


વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ હતું કે, તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં વિરોધ કરશે. તેઓ અલગ-અલગ લોકોને ઉભા રાખીને કરન્સીના નંબર સહિતના અનેક અલગ-અલગ પ્રશ્નો પૂછશે. તેઓ બાબાના ચમત્કારને ઉઘાડા પાડશે. આગામી દિવસોમાં બાગેશ્વર ધામના બાબાનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આ માટે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા હાલ મિટીંગો પણ કરવામાં આવી રહી છે. કઈ રીતે વિરોધ કરવો, તેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જે મુજબ આગામી દિવસોમાં તેમના રાજકોટ પ્રવાસ દરમિયાન વિરોધ કરવામાં આવશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે