બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસ પહેલા જ વિરોધ શરૂ, વિજ્ઞાન જાથાના ચેરમેને ધીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યો આ ખુલ્લો પડકાર


  • Published By :
  • Published Date : 2023-05-16 21:27:09

દેશભરમાં હિન્દુત્વના નવા પોસ્ટર બોય અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવવાના છે. બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. જો કે બાબાના આગમન પહેલા જ તેમની સામે વિરોધ રાજ્યમાં વિરોધ શરૂ થઈ ગયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પણ તેમના વિરોધમાં નિવેદન આપ્યું છે.  


ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી બાબા-વિજ્ઞાન જાથા


ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ પ્રવાસ પહેલા વિજ્ઞાન જાથાએ જોરદાર વિરોધ શરૂ કર્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે "બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ધર્મના નામે તુત ફેલાવી રહ્યા છે, તે ધર્મના નામે લોકોની ભાવના સાથે રમત રમી રહ્યા  છે. સાથે જ વિજ્ઞાન જાથાના ચેરમેને ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે, તે ખરેખર ચમત્કાર જાણતા હોય તો ડ્રગ્સ અંગે માહિતી આપે. દેશમાં અનેક સમસ્યાઓ છે, તેનું સમાધાન આપે. બાકી અન્ય ખોટી વાતો ન કરે." વિજ્ઞાન જાથા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી બાબા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.


વિજ્ઞાન જાથા બાબાની પોલ ખોલશે


વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ હતું કે, તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં વિરોધ કરશે. તેઓ અલગ-અલગ લોકોને ઉભા રાખીને કરન્સીના નંબર સહિતના અનેક અલગ-અલગ પ્રશ્નો પૂછશે. તેઓ બાબાના ચમત્કારને ઉઘાડા પાડશે. આગામી દિવસોમાં બાગેશ્વર ધામના બાબાનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આ માટે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા હાલ મિટીંગો પણ કરવામાં આવી રહી છે. કઈ રીતે વિરોધ કરવો, તેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જે મુજબ આગામી દિવસોમાં તેમના રાજકોટ પ્રવાસ દરમિયાન વિરોધ કરવામાં આવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.