બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસ પહેલા જ વિરોધ શરૂ, વિજ્ઞાન જાથાના ચેરમેને ધીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યો આ ખુલ્લો પડકાર


  • Published By :
  • Published Date : 2023-05-16 21:27:09

દેશભરમાં હિન્દુત્વના નવા પોસ્ટર બોય અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવવાના છે. બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. જો કે બાબાના આગમન પહેલા જ તેમની સામે વિરોધ રાજ્યમાં વિરોધ શરૂ થઈ ગયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પણ તેમના વિરોધમાં નિવેદન આપ્યું છે.  


ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી બાબા-વિજ્ઞાન જાથા


ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ પ્રવાસ પહેલા વિજ્ઞાન જાથાએ જોરદાર વિરોધ શરૂ કર્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે "બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ધર્મના નામે તુત ફેલાવી રહ્યા છે, તે ધર્મના નામે લોકોની ભાવના સાથે રમત રમી રહ્યા  છે. સાથે જ વિજ્ઞાન જાથાના ચેરમેને ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે, તે ખરેખર ચમત્કાર જાણતા હોય તો ડ્રગ્સ અંગે માહિતી આપે. દેશમાં અનેક સમસ્યાઓ છે, તેનું સમાધાન આપે. બાકી અન્ય ખોટી વાતો ન કરે." વિજ્ઞાન જાથા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી બાબા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.


વિજ્ઞાન જાથા બાબાની પોલ ખોલશે


વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ હતું કે, તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં વિરોધ કરશે. તેઓ અલગ-અલગ લોકોને ઉભા રાખીને કરન્સીના નંબર સહિતના અનેક અલગ-અલગ પ્રશ્નો પૂછશે. તેઓ બાબાના ચમત્કારને ઉઘાડા પાડશે. આગામી દિવસોમાં બાગેશ્વર ધામના બાબાનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આ માટે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા હાલ મિટીંગો પણ કરવામાં આવી રહી છે. કઈ રીતે વિરોધ કરવો, તેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જે મુજબ આગામી દિવસોમાં તેમના રાજકોટ પ્રવાસ દરમિયાન વિરોધ કરવામાં આવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.