બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની પશુપાલકોને મોટી ભેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 18:06:12

એશિયાની સૌથી મોટી દૂધની ડેરી બનાસડેરી પશુપાલકોના માટે ઉઠાવતા પગલાઓ માટે અને કામગીરીના કારણે પ્રખ્યાત છે. આજે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ બનાસકાંઠાના પશુપાલકોના હિતમાં 1 ઓક્ટોબરથી પ્રતિકિલો દૂધના ફેટમાં 30 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી દીધી હતી. 


મહિલા સંમેલનમાં શંકર ચૌધરીની મોટી જાહેરાત

બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મહિલા જાગૃતિ સંમેલન યોજાયું હતું. સંમેલનમાં શંકર ચૌધરીએ પશુપાલકો માટે મોટી જાહેરાત કરી હતી. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે બનાસડેરીમાં 1 ઓક્ટોબરથી પ્રતિકિલો દૂધના ફેટમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવશે. 


બનાસડેરીની પશુપાલકોને થશે ફાયદો

અગાઉ દૂધ પ્રતિકિલો ફેટે 735 રૂપિયામાં દૂધ પૂરાવતા હતા જ્યારે જાહેરાત બાદ હવે દૂધ પ્રતિ કિલો ફેટે 765 રૂપિયામાં પૂરાવશે. બનાસકાંઠાના પશુપાલકો બનાસડેરીમાં દૂધ પહોંચાડશે ત્યારે તેમને પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને આ નિર્ણયથી ફાયદો થશે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"