બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની પશુપાલકોને મોટી ભેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 18:06:12

એશિયાની સૌથી મોટી દૂધની ડેરી બનાસડેરી પશુપાલકોના માટે ઉઠાવતા પગલાઓ માટે અને કામગીરીના કારણે પ્રખ્યાત છે. આજે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ બનાસકાંઠાના પશુપાલકોના હિતમાં 1 ઓક્ટોબરથી પ્રતિકિલો દૂધના ફેટમાં 30 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી દીધી હતી. 


મહિલા સંમેલનમાં શંકર ચૌધરીની મોટી જાહેરાત

બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મહિલા જાગૃતિ સંમેલન યોજાયું હતું. સંમેલનમાં શંકર ચૌધરીએ પશુપાલકો માટે મોટી જાહેરાત કરી હતી. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે બનાસડેરીમાં 1 ઓક્ટોબરથી પ્રતિકિલો દૂધના ફેટમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવશે. 


બનાસડેરીની પશુપાલકોને થશે ફાયદો

અગાઉ દૂધ પ્રતિકિલો ફેટે 735 રૂપિયામાં દૂધ પૂરાવતા હતા જ્યારે જાહેરાત બાદ હવે દૂધ પ્રતિ કિલો ફેટે 765 રૂપિયામાં પૂરાવશે. બનાસકાંઠાના પશુપાલકો બનાસડેરીમાં દૂધ પહોંચાડશે ત્યારે તેમને પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને આ નિર્ણયથી ફાયદો થશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.