બનાસકાંઠાઃ PMના કાર્યક્રમમાં મંડપના બોલ્ટ ખોલનાર યુવકની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-02 18:30:29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ કાર્યક્રમના મંડપના બોલ્ટ ખોલી રહ્યો હતો, વીડિયો વાયરલ થતાં જાણ થઈ હતી. પોલીસે ખોલનારા વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિનું નામ સેધા રાજગોર છે જે બનાસકાંઠાના ઈઢાટા ગામનો વતની છે. 


બોલ્ટ ખોલનાર સેધા રાજગોર ઈઢાટા ગામનો વતની

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ 8 હજાર કરોડથી વધુ રૂપિયાના વિકાસકાર્યોનું શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના થરાદમાં ભાષણ આપી લોકો સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી જ્યારે ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ કાર્યક્રમમાં જે મંડપ બાંધ્યો હતો ત્યાંના પોલ પરથી બોલ્ટ કાઢી રહ્યો હતો. હવે આ વ્યક્તિ કયા કારણથી બોલ્ટ કાઢી રહ્યો હતો તે કુતૂહલ હતું. અંતે બનાસકાંઠા પોલીસે તેમની ધરપકડ કરી છે. બોલ્ટ ખોલતો વ્યક્તિ સેધા રાજગોર  ઈઢાટા ગામનો વતની છે. પોલીસ હવે આ વ્યક્તિની પૂછપરછ કરશે અને પૂછશે કે તે શું કરવા ઈચ્છતો હતો. 


  






સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"