બનાસકાંઠાઃ PMના કાર્યક્રમમાં મંડપના બોલ્ટ ખોલનાર યુવકની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-02 18:30:29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ કાર્યક્રમના મંડપના બોલ્ટ ખોલી રહ્યો હતો, વીડિયો વાયરલ થતાં જાણ થઈ હતી. પોલીસે ખોલનારા વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિનું નામ સેધા રાજગોર છે જે બનાસકાંઠાના ઈઢાટા ગામનો વતની છે. 


બોલ્ટ ખોલનાર સેધા રાજગોર ઈઢાટા ગામનો વતની

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ 8 હજાર કરોડથી વધુ રૂપિયાના વિકાસકાર્યોનું શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના થરાદમાં ભાષણ આપી લોકો સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી જ્યારે ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ કાર્યક્રમમાં જે મંડપ બાંધ્યો હતો ત્યાંના પોલ પરથી બોલ્ટ કાઢી રહ્યો હતો. હવે આ વ્યક્તિ કયા કારણથી બોલ્ટ કાઢી રહ્યો હતો તે કુતૂહલ હતું. અંતે બનાસકાંઠા પોલીસે તેમની ધરપકડ કરી છે. બોલ્ટ ખોલતો વ્યક્તિ સેધા રાજગોર  ઈઢાટા ગામનો વતની છે. પોલીસ હવે આ વ્યક્તિની પૂછપરછ કરશે અને પૂછશે કે તે શું કરવા ઈચ્છતો હતો. 


  






ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.