બનાસકાંઠાઃ PMના કાર્યક્રમમાં મંડપના બોલ્ટ ખોલનાર યુવકની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-02 18:30:29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ કાર્યક્રમના મંડપના બોલ્ટ ખોલી રહ્યો હતો, વીડિયો વાયરલ થતાં જાણ થઈ હતી. પોલીસે ખોલનારા વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિનું નામ સેધા રાજગોર છે જે બનાસકાંઠાના ઈઢાટા ગામનો વતની છે. 


બોલ્ટ ખોલનાર સેધા રાજગોર ઈઢાટા ગામનો વતની

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ 8 હજાર કરોડથી વધુ રૂપિયાના વિકાસકાર્યોનું શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના થરાદમાં ભાષણ આપી લોકો સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી જ્યારે ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ કાર્યક્રમમાં જે મંડપ બાંધ્યો હતો ત્યાંના પોલ પરથી બોલ્ટ કાઢી રહ્યો હતો. હવે આ વ્યક્તિ કયા કારણથી બોલ્ટ કાઢી રહ્યો હતો તે કુતૂહલ હતું. અંતે બનાસકાંઠા પોલીસે તેમની ધરપકડ કરી છે. બોલ્ટ ખોલતો વ્યક્તિ સેધા રાજગોર  ઈઢાટા ગામનો વતની છે. પોલીસ હવે આ વ્યક્તિની પૂછપરછ કરશે અને પૂછશે કે તે શું કરવા ઈચ્છતો હતો. 


  






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે