Banaskantha : Geniben Thakor પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યે લગાવ્યા ગંભીર આરોપ! ગેનીબેનની સંપત્તિને લઈ ઉઠ્યા સવાલ? જાણો શું છે મામલો?


  • Published By :
  • Published Date : 2024-04-20 18:37:23

રાજ્યની 26 બેઠકોમાંથી અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થતી હોય છે. બનાસકાંઠા લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવાનો 19મી એપ્રિલે છેલ્લો દિવસ હતો. અને આજે એની ચકાસણીનો દિવસ હતો ત્યારે બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન પર અનેક આક્ષેપો લાગ્યા છે. 

બનાસકાંઠા બેઠક પર થશે મહિલાઓ વચ્ચે જંગ 

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીને લઈ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયા છે. ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગેનીબેન ઠાકોર અનેક વખત આક્રામક પ્રચાર કરતા દેખાય છે. થોડા દિવસો પહેલા તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 22 એપ્રિલ સુધી જો ફોર્મ પરત ખેંચવું હોય તો ખેંચી શકાય છે. ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠકથી કોંગ્રેસ અને ભાજપના મહિલા ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી પત્રમાં ભૂલો સામે આવી હતી. આ લોકસભા બેઠક માટે ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. 



મારૂં ફોર્મ રદ્દ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે - ગેનીબેન

ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે, આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી થઈ રહી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચોથી વખત સુધારા સાથેનું સોગંદનામું જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મારૂ ફોર્મ રદ્દ થાય તેવા પ્રયાસો કરવામાં આવી છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે.' આ બાદ જમાવટની ટીમે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સાથે વાત ના થઈ શકી કારણ કે તેઓ મીટિંગમાં હતા. 

ગેનીબેન પર લાગ્યા ગંભીર આરોપ!

જ્યારે બીજી બાજુ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યા છે. આરોપ લગાવતા તેમણે કહ્યું કે,'ગેનીબેનને ચાર વખત સોગંદનામું શા માટે કરાવવું પડ્યું? કઈ વસ્તુ તેમણે છુપાવવી હતી. ગઈ વખતે તેઓ ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમની જે પ્રોપર્ટી હતી તેમાં તેમને પ્રોપર્ટી નીલ બતાવી હતી. જો કે, હાલમાં તેમણે એફિડેવિટ કર્યું તેમાં તેમણે 40 વિઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે તેમાં એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીધા જમીન છે, તો આ 40 વિઘા જમીન એમની પાસે ક્યાંથી આવી. સાથે જ તેમણે કહ્યું કે ગેનીબેને દારૂના ધંધાથી હપ્તા લઈ સંપતિ વસાવી છે. 


પ્રવીણ માળીએ પણ ગેનીબેન પર લગાવ્યા આરોપ!

ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ પણ ગેનીબેન પર પ્રહાર કરતાં કહ્યું પ્રજામાં વાત છે કે 2017માં તમે જે મિલકત બતાવો છો એ 2024માં વેલ્યુએશન ડાઉન કરીને બતાવો છો, એફિડેવિટ ખોટા બનાવો છો. ગેનીબેન એવું કહે છે કે હું બીપીએલ છું, તો એના પછી ખૂબ જમીનો ખરીદાઈ છે. તો એ પ્રમાણે એફિડેવિટ કરવું જોઇએ.તો હવે ખરેખર ગેનીબેન પાસે કેટલી સંપતિ છે એ ગેનીબેન કહે ત્યારે જ ખ્યાલ આવે... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.