Banaskantha : Geniben Thakor પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યે લગાવ્યા ગંભીર આરોપ! ગેનીબેનની સંપત્તિને લઈ ઉઠ્યા સવાલ? જાણો શું છે મામલો?


  • Published By :
  • Published Date : 2024-04-20 18:37:23

રાજ્યની 26 બેઠકોમાંથી અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થતી હોય છે. બનાસકાંઠા લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવાનો 19મી એપ્રિલે છેલ્લો દિવસ હતો. અને આજે એની ચકાસણીનો દિવસ હતો ત્યારે બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન પર અનેક આક્ષેપો લાગ્યા છે. 

બનાસકાંઠા બેઠક પર થશે મહિલાઓ વચ્ચે જંગ 

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીને લઈ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયા છે. ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગેનીબેન ઠાકોર અનેક વખત આક્રામક પ્રચાર કરતા દેખાય છે. થોડા દિવસો પહેલા તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 22 એપ્રિલ સુધી જો ફોર્મ પરત ખેંચવું હોય તો ખેંચી શકાય છે. ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠકથી કોંગ્રેસ અને ભાજપના મહિલા ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી પત્રમાં ભૂલો સામે આવી હતી. આ લોકસભા બેઠક માટે ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. 



મારૂં ફોર્મ રદ્દ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે - ગેનીબેન

ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે, આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી થઈ રહી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચોથી વખત સુધારા સાથેનું સોગંદનામું જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મારૂ ફોર્મ રદ્દ થાય તેવા પ્રયાસો કરવામાં આવી છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે.' આ બાદ જમાવટની ટીમે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સાથે વાત ના થઈ શકી કારણ કે તેઓ મીટિંગમાં હતા. 

ગેનીબેન પર લાગ્યા ગંભીર આરોપ!

જ્યારે બીજી બાજુ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યા છે. આરોપ લગાવતા તેમણે કહ્યું કે,'ગેનીબેનને ચાર વખત સોગંદનામું શા માટે કરાવવું પડ્યું? કઈ વસ્તુ તેમણે છુપાવવી હતી. ગઈ વખતે તેઓ ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમની જે પ્રોપર્ટી હતી તેમાં તેમને પ્રોપર્ટી નીલ બતાવી હતી. જો કે, હાલમાં તેમણે એફિડેવિટ કર્યું તેમાં તેમણે 40 વિઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે તેમાં એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીધા જમીન છે, તો આ 40 વિઘા જમીન એમની પાસે ક્યાંથી આવી. સાથે જ તેમણે કહ્યું કે ગેનીબેને દારૂના ધંધાથી હપ્તા લઈ સંપતિ વસાવી છે. 


પ્રવીણ માળીએ પણ ગેનીબેન પર લગાવ્યા આરોપ!

ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ પણ ગેનીબેન પર પ્રહાર કરતાં કહ્યું પ્રજામાં વાત છે કે 2017માં તમે જે મિલકત બતાવો છો એ 2024માં વેલ્યુએશન ડાઉન કરીને બતાવો છો, એફિડેવિટ ખોટા બનાવો છો. ગેનીબેન એવું કહે છે કે હું બીપીએલ છું, તો એના પછી ખૂબ જમીનો ખરીદાઈ છે. તો એ પ્રમાણે એફિડેવિટ કરવું જોઇએ.તો હવે ખરેખર ગેનીબેન પાસે કેટલી સંપતિ છે એ ગેનીબેન કહે ત્યારે જ ખ્યાલ આવે... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે