Banaskantha Loksabha : Geniben Thaakorના તેવર આક્રમક બન્યા, BJPને પડકાર આપતા કહ્યું કે... સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-04-13 15:18:52

બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે તેમજ કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને જ્યારે ભાજપે ડો. રેખા ચૌધરીને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ ગેનીબેન ઠાકોર આક્રામક દેખાઈ રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરે જબરદસ્ત માહોલ બનાવી દીધો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતા નિવેદનની ચર્ચા થતી હોય છે. કોંગ્રેસના ઉમેદવારે ભાજપને ચેલેન્જ આપી છે. જનસભાને સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જે એન્ગલથી ચૂંટણી લડવા માગે છે એ એન્ગલથી હું લડવા તૈયાર છું.  

થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે આપ્યું હતું નિવેદન 

ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ ચૂંટણીનો માહોલ માત્ર અમુક બેઠકો પર જ જોવા મળી રહ્યો છે અને તે પણ કદાચ ઉમેદવારના દમ પર... બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સતત પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અનેક મુદ્દાઓને લઈને આવ્યા. ભાજપ પર તો પ્રહાર કરે છે પરંતુ શંકરચૌધરી પર પણ તે નિશાન સાધે છે. થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ચૂંટણીનો ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે લાખ દોઢ લાખ રૂપિયાનો ફાળો ના આવ્યો હોય. 



ચાર બેઠકો માટે કોંગ્રેસે નથી કર્યા ઉમેદવાર જાહેર 

મહત્વનું છે આની પહેલા પોલીસને લઈ તેઓ નિવેદન આપી ચૂક્યા છે. પોલીસ તેમજ જીએસટી વિભાગના અધિકારીઓ પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનિય છે કે આમ તો 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ ચૂંટણીનો જંગ માત્ર અમુક બેઠકો પર જ જોવા મળી રહ્યો છે. એક છે ભરૂચ લોકસભા બેઠક બીજી છે બનાસકાંઠા લોકસભા બેઠક, ત્રીજી છે વલસાડ લોકસભા બેઠક... કોંગ્રેસે હજી ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.