Banaskantha Loksabha : Geniben Thaakorના તેવર આક્રમક બન્યા, BJPને પડકાર આપતા કહ્યું કે... સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-04-13 15:18:52

બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે તેમજ કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને જ્યારે ભાજપે ડો. રેખા ચૌધરીને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ ગેનીબેન ઠાકોર આક્રામક દેખાઈ રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરે જબરદસ્ત માહોલ બનાવી દીધો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતા નિવેદનની ચર્ચા થતી હોય છે. કોંગ્રેસના ઉમેદવારે ભાજપને ચેલેન્જ આપી છે. જનસભાને સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જે એન્ગલથી ચૂંટણી લડવા માગે છે એ એન્ગલથી હું લડવા તૈયાર છું.  

થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે આપ્યું હતું નિવેદન 

ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ ચૂંટણીનો માહોલ માત્ર અમુક બેઠકો પર જ જોવા મળી રહ્યો છે અને તે પણ કદાચ ઉમેદવારના દમ પર... બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સતત પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અનેક મુદ્દાઓને લઈને આવ્યા. ભાજપ પર તો પ્રહાર કરે છે પરંતુ શંકરચૌધરી પર પણ તે નિશાન સાધે છે. થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ચૂંટણીનો ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે લાખ દોઢ લાખ રૂપિયાનો ફાળો ના આવ્યો હોય. 



ચાર બેઠકો માટે કોંગ્રેસે નથી કર્યા ઉમેદવાર જાહેર 

મહત્વનું છે આની પહેલા પોલીસને લઈ તેઓ નિવેદન આપી ચૂક્યા છે. પોલીસ તેમજ જીએસટી વિભાગના અધિકારીઓ પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનિય છે કે આમ તો 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ ચૂંટણીનો જંગ માત્ર અમુક બેઠકો પર જ જોવા મળી રહ્યો છે. એક છે ભરૂચ લોકસભા બેઠક બીજી છે બનાસકાંઠા લોકસભા બેઠક, ત્રીજી છે વલસાડ લોકસભા બેઠક... કોંગ્રેસે હજી ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે