Banaskantha Loksabha : Geniben Thaakorના તેવર આક્રમક બન્યા, BJPને પડકાર આપતા કહ્યું કે... સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-04-13 15:18:52

બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે તેમજ કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને જ્યારે ભાજપે ડો. રેખા ચૌધરીને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ ગેનીબેન ઠાકોર આક્રામક દેખાઈ રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરે જબરદસ્ત માહોલ બનાવી દીધો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતા નિવેદનની ચર્ચા થતી હોય છે. કોંગ્રેસના ઉમેદવારે ભાજપને ચેલેન્જ આપી છે. જનસભાને સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જે એન્ગલથી ચૂંટણી લડવા માગે છે એ એન્ગલથી હું લડવા તૈયાર છું.  

થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે આપ્યું હતું નિવેદન 

ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ ચૂંટણીનો માહોલ માત્ર અમુક બેઠકો પર જ જોવા મળી રહ્યો છે અને તે પણ કદાચ ઉમેદવારના દમ પર... બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સતત પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અનેક મુદ્દાઓને લઈને આવ્યા. ભાજપ પર તો પ્રહાર કરે છે પરંતુ શંકરચૌધરી પર પણ તે નિશાન સાધે છે. થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ચૂંટણીનો ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે લાખ દોઢ લાખ રૂપિયાનો ફાળો ના આવ્યો હોય. 



ચાર બેઠકો માટે કોંગ્રેસે નથી કર્યા ઉમેદવાર જાહેર 

મહત્વનું છે આની પહેલા પોલીસને લઈ તેઓ નિવેદન આપી ચૂક્યા છે. પોલીસ તેમજ જીએસટી વિભાગના અધિકારીઓ પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનિય છે કે આમ તો 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ ચૂંટણીનો જંગ માત્ર અમુક બેઠકો પર જ જોવા મળી રહ્યો છે. એક છે ભરૂચ લોકસભા બેઠક બીજી છે બનાસકાંઠા લોકસભા બેઠક, ત્રીજી છે વલસાડ લોકસભા બેઠક... કોંગ્રેસે હજી ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે