Banaskantha Loksabha : Geniben Thakor ફરી એક વખત દેખાયા આક્રામક, BJP ઉમેદવાર રેખાબેન ચૌધરી પર કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-26 16:22:12

જેમ જેમ ગુજરાતમાં ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો આક્રામક પ્રચાર કરતા દેખાઈ રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર બંને પાર્ટીએ મહિલાને ટિકીટ આપી છે. ઈન્ડિયા ગઠબંધન તરફથી ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો  ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. બંને ઉમેદવારોએ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ગેનીબેન અનેક વખત આક્રામક દેખાયા છે ત્યારે ફરી એક વખત તેઓ આક્રામક દેખાયા છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે. 

રેખાબેન ચૌધરી પર આડકતરી રીતે કર્યા પ્રહાર  

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચા અવાર-નવાર થતી રહી છે. એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક,બીજી છે રાજકોટ લોકસભા બેઠક તે સિવાય બનાસકાંઠા બેઠકની પણ ચર્ચા થતી હોય છે.. ઉમેદવારો દ્વારા કરવામાં આવતા નિવેદનોને કારણે આ બેઠક ચર્ચાનો વિષય બને છે. ત્યારે ગેનીબેન ઠાકોરે એક સભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર આડકતરી રીતે આરોપ લગાવ્યો હતોને કહ્યું હતું કે જે લોકો બહારથી આવીને બનાસકાંઠાના લોકોનું શોષણ કરે છે તેઓ અત્યારે તમારી સાથે છે. 

પીએમ મોદી કરવાના છે બનાસકાંઠામાં પ્રચાર 

વધુમાં તેમણે કહ્યું કે 7મી મેના મતદાન થઈ ગયા પછી કોઈ તમારો ફોન નહીં ઉપાડે. તેઓ માત્ર ચૂંટણી પૂરતા આવ્યા છે . પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે પૈસાથી લોકશાહી ખરીદી શકાતી નથી, પૈસા હોય કે સંસાધનો હોય , પણ એનાથી પ્રજાને ખરીદવા માટેની કોઈ તાકાત નથી. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર દ્વારા અનેક વખત પોલીસને લઈ નિવેદનો અપાયા છે. મહત્વનું છે કે પીએમ મોદી બનાસકાંઠાના ડિસામાં જનસભાને સંબોધવાના છે... ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા બેઠકના મતદાતા કોને જીતાડે છે.? 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે