Banaskantha Loksabha : Geniben Thakor ફરી એક વખત દેખાયા આક્રામક, BJP ઉમેદવાર રેખાબેન ચૌધરી પર કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-26 16:22:12

જેમ જેમ ગુજરાતમાં ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો આક્રામક પ્રચાર કરતા દેખાઈ રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર બંને પાર્ટીએ મહિલાને ટિકીટ આપી છે. ઈન્ડિયા ગઠબંધન તરફથી ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો  ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. બંને ઉમેદવારોએ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ગેનીબેન અનેક વખત આક્રામક દેખાયા છે ત્યારે ફરી એક વખત તેઓ આક્રામક દેખાયા છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે. 

રેખાબેન ચૌધરી પર આડકતરી રીતે કર્યા પ્રહાર  

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચા અવાર-નવાર થતી રહી છે. એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક,બીજી છે રાજકોટ લોકસભા બેઠક તે સિવાય બનાસકાંઠા બેઠકની પણ ચર્ચા થતી હોય છે.. ઉમેદવારો દ્વારા કરવામાં આવતા નિવેદનોને કારણે આ બેઠક ચર્ચાનો વિષય બને છે. ત્યારે ગેનીબેન ઠાકોરે એક સભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર આડકતરી રીતે આરોપ લગાવ્યો હતોને કહ્યું હતું કે જે લોકો બહારથી આવીને બનાસકાંઠાના લોકોનું શોષણ કરે છે તેઓ અત્યારે તમારી સાથે છે. 

પીએમ મોદી કરવાના છે બનાસકાંઠામાં પ્રચાર 

વધુમાં તેમણે કહ્યું કે 7મી મેના મતદાન થઈ ગયા પછી કોઈ તમારો ફોન નહીં ઉપાડે. તેઓ માત્ર ચૂંટણી પૂરતા આવ્યા છે . પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે પૈસાથી લોકશાહી ખરીદી શકાતી નથી, પૈસા હોય કે સંસાધનો હોય , પણ એનાથી પ્રજાને ખરીદવા માટેની કોઈ તાકાત નથી. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર દ્વારા અનેક વખત પોલીસને લઈ નિવેદનો અપાયા છે. મહત્વનું છે કે પીએમ મોદી બનાસકાંઠાના ડિસામાં જનસભાને સંબોધવાના છે... ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા બેઠકના મતદાતા કોને જીતાડે છે.? 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.