Banaskantha Loksabha Seatના ઉમેદવાર Geniben Thakor ફરી દેખાયા આક્રામક, મોંઘવારીને લઈ ભાજપ પર કર્યા પ્રહાર! સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2024-04-30 11:24:31

બનાસકાંઠા લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે... પોતાના આક્રામક અંદાજ માટે તેઓ જાણીતા છે.. બનાસકાંઠા બેઠક પર કાંટાની ટક્કર થવાની છે કારણ કે આ બેઠક પર બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે... ગેનીબેન  ઠાકોરે પાટણમાં કોંગ્રેસની જાહેરસભામાં સંબોધન કર્યું હતું અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અનેક વખત આક્રામક દેખાયા છે ગેનીબેન ઠાકોર

ગેનીબેન ઠાકોરના નામની ઉમેદવાર તરીકે જ્યારથી જાહેરાત થઈ ત્યારે તેમના દ્વારા કરવામાં આવતો પ્રચાર ચર્ચાનો વિષય હોય છે... જાહેરસભામાં તેમના દ્વારા આપવામાં આવતું નિવેદન ચર્ચાનો વિષય હોય છે. નિવેદનમાં કોઈ વખત તેઓ પોલીસ પર ગંભીર આરોપ લગાવે છે તો કોઈ વખત આડકતરી રીતે શંકર ચૌધરી અને ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી પર કટાક્ષ કરે છે. ત્યારે પાટણમાં કોંગ્રેસની જાહેર સભામાં તેમણે ભાજપ પર પ્રહારો કર્યા છે..


પીએમ મોદીને લઈ ગેનીબેન ઠાકોરે કહ્યું કે...

પોતાના સંબોધનમાં ગેનીબેને ભાજપ દ્વારા જે બેઠકો પર ઉમેદવારો બદલવામા આવ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો.. તે સિવાય મોંઘવારીને લઈ ભાજપ પર નિશાન સાધ્યું હતું. ઉમેદવાર બદલવાનો વારો કોંગ્રેસને નથી આવ્યો. બનાસકાંઠામાં પ્રચાર માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ આવ્યા છે. મુખ્યમંત્રી સહિતના નેતાઓ દ્વારા ત્યાં પ્રચાર કરવામાં આવ્યો છે ત્યારે પીએમ મોદી પણ ત્યાં પ્રચાર કરવા આવવાના છે.. ત્યારે પોતાના સંબોધનમાં તેમણે આ વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે બનાસકાંઠામાં ગરીબ ઘરની દીકરીને હરાવવા વડાપ્રધાને આવું પડે એના થી મોટી વાત શું હોય.. 


જ્યારે જમાવટની ટીમે કરી હતી બનાસકાંઠાના લોકો સાથે વાત 

મહત્વનું છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર દ્વારા માહોલ તો જબદદસ્ત બનાવવામાં આવ્યો છે તે કહીએ તો અતિશયોક્તિ નથી.. જમાવટની ટીમ જ્યારે બનાસકાંઠા ઈલેક્શન યાત્રા કવર કરવા ગઈ હતી ત્યારે ગેનીબેન ઠાકોરના અને રેખાબેન ચૌધરી બંને ઉમેદવારોના સમર્થકો મળ્યા. લોકો ઉમેદવારોને લઈ એક બીજા સાથે ઝઘડી પડ્યા હતા. ત્યારે જોવાનું રહ્યું ગેનીબેન ઠાકોરને મળતો જનસમર્થન વોટમાં પરિવર્તિત થાય છે?        



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.