Banaskantha Loksabha Seatના ઉમેદવાર Geniben Thakor ફરી દેખાયા આક્રામક, મોંઘવારીને લઈ ભાજપ પર કર્યા પ્રહાર! સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2024-04-30 11:24:31

બનાસકાંઠા લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે... પોતાના આક્રામક અંદાજ માટે તેઓ જાણીતા છે.. બનાસકાંઠા બેઠક પર કાંટાની ટક્કર થવાની છે કારણ કે આ બેઠક પર બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે... ગેનીબેન  ઠાકોરે પાટણમાં કોંગ્રેસની જાહેરસભામાં સંબોધન કર્યું હતું અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અનેક વખત આક્રામક દેખાયા છે ગેનીબેન ઠાકોર

ગેનીબેન ઠાકોરના નામની ઉમેદવાર તરીકે જ્યારથી જાહેરાત થઈ ત્યારે તેમના દ્વારા કરવામાં આવતો પ્રચાર ચર્ચાનો વિષય હોય છે... જાહેરસભામાં તેમના દ્વારા આપવામાં આવતું નિવેદન ચર્ચાનો વિષય હોય છે. નિવેદનમાં કોઈ વખત તેઓ પોલીસ પર ગંભીર આરોપ લગાવે છે તો કોઈ વખત આડકતરી રીતે શંકર ચૌધરી અને ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી પર કટાક્ષ કરે છે. ત્યારે પાટણમાં કોંગ્રેસની જાહેર સભામાં તેમણે ભાજપ પર પ્રહારો કર્યા છે..


પીએમ મોદીને લઈ ગેનીબેન ઠાકોરે કહ્યું કે...

પોતાના સંબોધનમાં ગેનીબેને ભાજપ દ્વારા જે બેઠકો પર ઉમેદવારો બદલવામા આવ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો.. તે સિવાય મોંઘવારીને લઈ ભાજપ પર નિશાન સાધ્યું હતું. ઉમેદવાર બદલવાનો વારો કોંગ્રેસને નથી આવ્યો. બનાસકાંઠામાં પ્રચાર માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ આવ્યા છે. મુખ્યમંત્રી સહિતના નેતાઓ દ્વારા ત્યાં પ્રચાર કરવામાં આવ્યો છે ત્યારે પીએમ મોદી પણ ત્યાં પ્રચાર કરવા આવવાના છે.. ત્યારે પોતાના સંબોધનમાં તેમણે આ વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે બનાસકાંઠામાં ગરીબ ઘરની દીકરીને હરાવવા વડાપ્રધાને આવું પડે એના થી મોટી વાત શું હોય.. 


જ્યારે જમાવટની ટીમે કરી હતી બનાસકાંઠાના લોકો સાથે વાત 

મહત્વનું છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર દ્વારા માહોલ તો જબદદસ્ત બનાવવામાં આવ્યો છે તે કહીએ તો અતિશયોક્તિ નથી.. જમાવટની ટીમ જ્યારે બનાસકાંઠા ઈલેક્શન યાત્રા કવર કરવા ગઈ હતી ત્યારે ગેનીબેન ઠાકોરના અને રેખાબેન ચૌધરી બંને ઉમેદવારોના સમર્થકો મળ્યા. લોકો ઉમેદવારોને લઈ એક બીજા સાથે ઝઘડી પડ્યા હતા. ત્યારે જોવાનું રહ્યું ગેનીબેન ઠાકોરને મળતો જનસમર્થન વોટમાં પરિવર્તિત થાય છે?        



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે