Banaskantha Loksabha Seat : Geniben Thakor માટે Chaitar Vasavaએ કર્યો પ્રચાર! મતદાતાને અપીલ કરતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-05-05 16:18:46

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત આપના નેતાઓ કોંગ્રેસના નેતાઓનો પ્રચાર કરી રહ્યા છે તો કોંગ્રેસના નેતાઓ આપના નેતાઓ સાથે દેખાય છે.. અનેક એવી બેઠકો છે જેની ચર્ચાઓ થતી હોય છે તેવી બેઠક છે ભરૂચ, બનાસકાંઠા, વલસાડ.. ત્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે.

ચૈતર વસાવાએ કર્યો ગેનીબેન ઠાકોર માટે પ્રચાર

7મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે... ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થતી હોય છે..બનાસકાંઠા લોકસભા બેઠક એવી છે જ્યાં બંને રાજકીય પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે. ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે અને ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં માહોલ બનાવ્યો છે તે વાત કહીએ તો અતિશયોક્તિ નથી. ત્યારે ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે.  


રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સંબોધી છે જનસભા

મહત્વનું છે કે બનાસકાંઠામાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ જનસભાને સંબોધી હતી.. પીએમ મોદીએ બનાસકાંઠામાં પ્રચાર કર્યો હતો તે ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ ત્યાં ગેનીબેન માટે પ્રચાર કર્યો હતો. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના મતદાતા કોને જીતાડે છે?    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.