Banaskantha Loksabha Seat : Geniben Thakor માટે Chaitar Vasavaએ કર્યો પ્રચાર! મતદાતાને અપીલ કરતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-05-05 16:18:46

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત આપના નેતાઓ કોંગ્રેસના નેતાઓનો પ્રચાર કરી રહ્યા છે તો કોંગ્રેસના નેતાઓ આપના નેતાઓ સાથે દેખાય છે.. અનેક એવી બેઠકો છે જેની ચર્ચાઓ થતી હોય છે તેવી બેઠક છે ભરૂચ, બનાસકાંઠા, વલસાડ.. ત્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે.

ચૈતર વસાવાએ કર્યો ગેનીબેન ઠાકોર માટે પ્રચાર

7મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે... ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થતી હોય છે..બનાસકાંઠા લોકસભા બેઠક એવી છે જ્યાં બંને રાજકીય પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે. ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે અને ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં માહોલ બનાવ્યો છે તે વાત કહીએ તો અતિશયોક્તિ નથી. ત્યારે ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે.  


રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સંબોધી છે જનસભા

મહત્વનું છે કે બનાસકાંઠામાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ જનસભાને સંબોધી હતી.. પીએમ મોદીએ બનાસકાંઠામાં પ્રચાર કર્યો હતો તે ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ ત્યાં ગેનીબેન માટે પ્રચાર કર્યો હતો. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના મતદાતા કોને જીતાડે છે?    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે