Banaskantha Loksabha Seat : Geniben Thakor દેખાયા આક્રામક, પોલીસને લઈ કહ્યું કં ભાજપનો પગાર નથી લેતા.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-24 18:27:12

બનાસકાંઠા લોકસભા બેઠક પર બંને રાજકીય પાર્ટી દ્વારા મહિલાઓને ટિકીટ આપવામાં આવી છે... ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે... ગેનીબેન ઠાકોર દ્વારા જબરદસ્ત માહોલ બનાવામાં આવ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. પોલીસને લઈ ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે 58 વર્ષ નોકરીનો પગાર તમે ભાજપનો નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર લો છો.   

બંને રાજકીય પાર્ટીએ મહિલાઓને આપી છે ટિકીટ 

ગુજરાતમાં લોકસભા બેઠકોની વાત થતી હોય અને બનાસકાંઠા લોકસભા બેઠકની વાત ના થાય તેવું સામાન્ય રીતે બનતું નથી... બનાસકાંઠા લોકસભા બેઠક ઉમેદવારોના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે.. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જાહેર સભામાં અનેક વખત એવા નિવેદનો આપતા હોય છે જેને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. પોલીસ પર ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા આરોપ લગાવ્યા હતા ત્યારે ફરી એક વખત પોલીસને લઈ ગેનીબેને નિવેદન આપ્યું છે.... 

 

ગેનીબેન ઠાકોરે પોલીસને લઈ આપ્યું નિવેદન 

પોલીસ દ્વારા કરવામાં આવતી દાદાગીરીને લઈ આની પહેલા પણ ગેનીબેન ઠાકોરે વાત કરી હતી. સભા દરમિયાન અનેક વખત ગેનીબેન ઠાકોર આક્રામક દેખાતા હોય છે ત્યારે ફરી એક વખત પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે.. જનસભાને સંબોધતી વખતે તેમણે કહ્યું કે પોલીસવાળા ગામમાં આવીને કોઈને દાટી આપતા હોય તો તેમને કહેજો કે આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. 


શંકર ચૌધરી પર આડકતરી રીતે કર્યા પ્રહાર!

પોતાના નિવેદનમાં તેમણે આગળ કહ્યું કે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવાની વાતો કરશે, તમને ફુલાવશે..પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે. 58 વર્ષ નોકરીનો પગાર તમે ભાજપનો નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર લો છો. તે સિવાય પણ અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર, પોલીસને આડેહાથ લીધી હતી.. પોતાના સંબોધનમાં તેમણે શંકર ચૌધરી પર પણ નામ લીધા વગર પ્રહાર કર્યા હતા.. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરના નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે... બનાસકાંઠામાં કાંટાની ટક્કર થવાની છે ત્યારે તમારા અંદાજે કોણ જીતશે તે અમને કમેન્ટમાં જણાવો...     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.