Banaskantha Loksabha Seat : Geniben Thakor દેખાયા આક્રામક, પોલીસને લઈ કહ્યું કં ભાજપનો પગાર નથી લેતા.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-24 18:27:12

બનાસકાંઠા લોકસભા બેઠક પર બંને રાજકીય પાર્ટી દ્વારા મહિલાઓને ટિકીટ આપવામાં આવી છે... ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે... ગેનીબેન ઠાકોર દ્વારા જબરદસ્ત માહોલ બનાવામાં આવ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. પોલીસને લઈ ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે 58 વર્ષ નોકરીનો પગાર તમે ભાજપનો નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર લો છો.   

બંને રાજકીય પાર્ટીએ મહિલાઓને આપી છે ટિકીટ 

ગુજરાતમાં લોકસભા બેઠકોની વાત થતી હોય અને બનાસકાંઠા લોકસભા બેઠકની વાત ના થાય તેવું સામાન્ય રીતે બનતું નથી... બનાસકાંઠા લોકસભા બેઠક ઉમેદવારોના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે.. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જાહેર સભામાં અનેક વખત એવા નિવેદનો આપતા હોય છે જેને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. પોલીસ પર ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા આરોપ લગાવ્યા હતા ત્યારે ફરી એક વખત પોલીસને લઈ ગેનીબેને નિવેદન આપ્યું છે.... 

 

ગેનીબેન ઠાકોરે પોલીસને લઈ આપ્યું નિવેદન 

પોલીસ દ્વારા કરવામાં આવતી દાદાગીરીને લઈ આની પહેલા પણ ગેનીબેન ઠાકોરે વાત કરી હતી. સભા દરમિયાન અનેક વખત ગેનીબેન ઠાકોર આક્રામક દેખાતા હોય છે ત્યારે ફરી એક વખત પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે.. જનસભાને સંબોધતી વખતે તેમણે કહ્યું કે પોલીસવાળા ગામમાં આવીને કોઈને દાટી આપતા હોય તો તેમને કહેજો કે આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. 


શંકર ચૌધરી પર આડકતરી રીતે કર્યા પ્રહાર!

પોતાના નિવેદનમાં તેમણે આગળ કહ્યું કે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવાની વાતો કરશે, તમને ફુલાવશે..પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે. 58 વર્ષ નોકરીનો પગાર તમે ભાજપનો નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર લો છો. તે સિવાય પણ અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર, પોલીસને આડેહાથ લીધી હતી.. પોતાના સંબોધનમાં તેમણે શંકર ચૌધરી પર પણ નામ લીધા વગર પ્રહાર કર્યા હતા.. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરના નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે... બનાસકાંઠામાં કાંટાની ટક્કર થવાની છે ત્યારે તમારા અંદાજે કોણ જીતશે તે અમને કમેન્ટમાં જણાવો...     



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.