Banaskantha Loksabha Seat : Geniben Thakor દેખાયા આક્રામક, પોલીસને લઈ કહ્યું કં ભાજપનો પગાર નથી લેતા.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-24 18:27:12

બનાસકાંઠા લોકસભા બેઠક પર બંને રાજકીય પાર્ટી દ્વારા મહિલાઓને ટિકીટ આપવામાં આવી છે... ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે... ગેનીબેન ઠાકોર દ્વારા જબરદસ્ત માહોલ બનાવામાં આવ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. પોલીસને લઈ ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે 58 વર્ષ નોકરીનો પગાર તમે ભાજપનો નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર લો છો.   

બંને રાજકીય પાર્ટીએ મહિલાઓને આપી છે ટિકીટ 

ગુજરાતમાં લોકસભા બેઠકોની વાત થતી હોય અને બનાસકાંઠા લોકસભા બેઠકની વાત ના થાય તેવું સામાન્ય રીતે બનતું નથી... બનાસકાંઠા લોકસભા બેઠક ઉમેદવારોના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે.. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જાહેર સભામાં અનેક વખત એવા નિવેદનો આપતા હોય છે જેને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. પોલીસ પર ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા આરોપ લગાવ્યા હતા ત્યારે ફરી એક વખત પોલીસને લઈ ગેનીબેને નિવેદન આપ્યું છે.... 

 

ગેનીબેન ઠાકોરે પોલીસને લઈ આપ્યું નિવેદન 

પોલીસ દ્વારા કરવામાં આવતી દાદાગીરીને લઈ આની પહેલા પણ ગેનીબેન ઠાકોરે વાત કરી હતી. સભા દરમિયાન અનેક વખત ગેનીબેન ઠાકોર આક્રામક દેખાતા હોય છે ત્યારે ફરી એક વખત પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે.. જનસભાને સંબોધતી વખતે તેમણે કહ્યું કે પોલીસવાળા ગામમાં આવીને કોઈને દાટી આપતા હોય તો તેમને કહેજો કે આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. 


શંકર ચૌધરી પર આડકતરી રીતે કર્યા પ્રહાર!

પોતાના નિવેદનમાં તેમણે આગળ કહ્યું કે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવાની વાતો કરશે, તમને ફુલાવશે..પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે. 58 વર્ષ નોકરીનો પગાર તમે ભાજપનો નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર લો છો. તે સિવાય પણ અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર, પોલીસને આડેહાથ લીધી હતી.. પોતાના સંબોધનમાં તેમણે શંકર ચૌધરી પર પણ નામ લીધા વગર પ્રહાર કર્યા હતા.. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરના નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે... બનાસકાંઠામાં કાંટાની ટક્કર થવાની છે ત્યારે તમારા અંદાજે કોણ જીતશે તે અમને કમેન્ટમાં જણાવો...     



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે