Banaskanthaના સાંસદ Geniben Thakorએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ, પોલીસને ભાજપની એજન્ટ ગણાવી?


  • Published By :
  • Published Date : 2024-07-12 17:22:47

ગેનીબેન ઠાકોર પોતાના આક્રામક અંદાજ માટે જાણીતા છે.. ગેનીબેન દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચાનો વિષય બનતા હોય છે.. વાવના ધારાસભ્ય તરીકે જ્યારે ગેનીબેન હતા ત્યારે  તે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા હતા. અને હવે સાંસદ બન્યા બાદ પણ પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે. દૂધવા ગામમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.. લોકસભાની ચૂંટણી દરમિયાન પોલીસે ભાજપ માટે કામ કર્યું હોય તેવું કહેવાનો તેમને તાત્પર્ય હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસને ભાજપના એજન્ટ ગણાવ્યા!

પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

આ વખતની લોકસભાની ચૂંટણી એકદમ રસપ્રદ બની હતી.. ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 લોકસભા બેઠક મળી ન હતી. ભાજપે ગુજરાત માટે લક્ષ્ય રાખ્યો હતો કે પાંચ લાખની લીડ સાથે બેઠકો જીતવામાં આવશે.. પરંતુ આ વખતે ગુજરાતે એક બેઠકને ગુમાવી પડી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. જ્યારથી ગેનીબેન ઠાકોર જીત્યા છે ત્યારથી તે આક્રામક દેખાઈ રહ્યા છે. તે પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કરતા પણ દેખાય છે. પોલીસ પર તેમણે ફરી એક વખત ગંભીર આરોપ લગાવ્યા છે.. 




પૈસા ભેગા કરીને ગેનીબેન ઠાકોર લડ્યા ચૂંટણી!

ગેનીબેન ઠાકોર માટે કહેવાતું હતું કે તેમની લડાઈ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે નથી પરંતુ તેમની લડાઈ સીધી પીએમ મોદી સાથે છે.. બનાસકાંઠામાં શંકર ચૌધરીનું પણ વધારે પ્રભુત્વ છે. એવું કહેવામાં આવતું કે શંકર ચૌધરીએ પોતાની આખી ટીમને લગાડી દીધી હતી રેખાબેન ચૌધરીને જીતાડવા માટે પરંતુ આ વખતની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર બાજી મારી ગયા.. લોકો પાસેથી પૈસા ભેગા કરીને ગેનીબેન ઠાકોર જીત્યા.. બનાસકાંઠા જીત્યા બાદ કોંગ્રેસમાં જાણે નવા પ્રાણ ફૂંકાયા હોય તેવું લાગે છે..   



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.