Banaskanthaના સાંસદ Geniben Thakorએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ, પોલીસને ભાજપની એજન્ટ ગણાવી?


  • Published By :
  • Published Date : 2024-07-12 17:22:47

ગેનીબેન ઠાકોર પોતાના આક્રામક અંદાજ માટે જાણીતા છે.. ગેનીબેન દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચાનો વિષય બનતા હોય છે.. વાવના ધારાસભ્ય તરીકે જ્યારે ગેનીબેન હતા ત્યારે  તે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા હતા. અને હવે સાંસદ બન્યા બાદ પણ પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે. દૂધવા ગામમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.. લોકસભાની ચૂંટણી દરમિયાન પોલીસે ભાજપ માટે કામ કર્યું હોય તેવું કહેવાનો તેમને તાત્પર્ય હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસને ભાજપના એજન્ટ ગણાવ્યા!

પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

આ વખતની લોકસભાની ચૂંટણી એકદમ રસપ્રદ બની હતી.. ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 લોકસભા બેઠક મળી ન હતી. ભાજપે ગુજરાત માટે લક્ષ્ય રાખ્યો હતો કે પાંચ લાખની લીડ સાથે બેઠકો જીતવામાં આવશે.. પરંતુ આ વખતે ગુજરાતે એક બેઠકને ગુમાવી પડી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. જ્યારથી ગેનીબેન ઠાકોર જીત્યા છે ત્યારથી તે આક્રામક દેખાઈ રહ્યા છે. તે પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કરતા પણ દેખાય છે. પોલીસ પર તેમણે ફરી એક વખત ગંભીર આરોપ લગાવ્યા છે.. 




પૈસા ભેગા કરીને ગેનીબેન ઠાકોર લડ્યા ચૂંટણી!

ગેનીબેન ઠાકોર માટે કહેવાતું હતું કે તેમની લડાઈ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે નથી પરંતુ તેમની લડાઈ સીધી પીએમ મોદી સાથે છે.. બનાસકાંઠામાં શંકર ચૌધરીનું પણ વધારે પ્રભુત્વ છે. એવું કહેવામાં આવતું કે શંકર ચૌધરીએ પોતાની આખી ટીમને લગાડી દીધી હતી રેખાબેન ચૌધરીને જીતાડવા માટે પરંતુ આ વખતની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર બાજી મારી ગયા.. લોકો પાસેથી પૈસા ભેગા કરીને ગેનીબેન ઠાકોર જીત્યા.. બનાસકાંઠા જીત્યા બાદ કોંગ્રેસમાં જાણે નવા પ્રાણ ફૂંકાયા હોય તેવું લાગે છે..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.