Banaskanthaના સાંસદ Geniben Thakorએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ, પોલીસને ભાજપની એજન્ટ ગણાવી?


  • Published By :
  • Published Date : 2024-07-12 17:22:47

ગેનીબેન ઠાકોર પોતાના આક્રામક અંદાજ માટે જાણીતા છે.. ગેનીબેન દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચાનો વિષય બનતા હોય છે.. વાવના ધારાસભ્ય તરીકે જ્યારે ગેનીબેન હતા ત્યારે  તે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા હતા. અને હવે સાંસદ બન્યા બાદ પણ પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે. દૂધવા ગામમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.. લોકસભાની ચૂંટણી દરમિયાન પોલીસે ભાજપ માટે કામ કર્યું હોય તેવું કહેવાનો તેમને તાત્પર્ય હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસને ભાજપના એજન્ટ ગણાવ્યા!

પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

આ વખતની લોકસભાની ચૂંટણી એકદમ રસપ્રદ બની હતી.. ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 લોકસભા બેઠક મળી ન હતી. ભાજપે ગુજરાત માટે લક્ષ્ય રાખ્યો હતો કે પાંચ લાખની લીડ સાથે બેઠકો જીતવામાં આવશે.. પરંતુ આ વખતે ગુજરાતે એક બેઠકને ગુમાવી પડી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. જ્યારથી ગેનીબેન ઠાકોર જીત્યા છે ત્યારથી તે આક્રામક દેખાઈ રહ્યા છે. તે પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કરતા પણ દેખાય છે. પોલીસ પર તેમણે ફરી એક વખત ગંભીર આરોપ લગાવ્યા છે.. 




પૈસા ભેગા કરીને ગેનીબેન ઠાકોર લડ્યા ચૂંટણી!

ગેનીબેન ઠાકોર માટે કહેવાતું હતું કે તેમની લડાઈ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે નથી પરંતુ તેમની લડાઈ સીધી પીએમ મોદી સાથે છે.. બનાસકાંઠામાં શંકર ચૌધરીનું પણ વધારે પ્રભુત્વ છે. એવું કહેવામાં આવતું કે શંકર ચૌધરીએ પોતાની આખી ટીમને લગાડી દીધી હતી રેખાબેન ચૌધરીને જીતાડવા માટે પરંતુ આ વખતની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર બાજી મારી ગયા.. લોકો પાસેથી પૈસા ભેગા કરીને ગેનીબેન ઠાકોર જીત્યા.. બનાસકાંઠા જીત્યા બાદ કોંગ્રેસમાં જાણે નવા પ્રાણ ફૂંકાયા હોય તેવું લાગે છે..   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.