19 નવેમ્બરે દેશભરમાં બેંક હડતાલ, ATM સહિતની સર્વિસ બંધ રહેતા લોકોને હાલાકી પડશે


  • Published By :
  • Published Date : 2022-11-08 16:31:24


અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA) એ 19 નવેમ્બરે બેંક હડતાલની જાહેરાત કરી છે. જેના કારણે આગામી સપ્તાહે સમગ્ર દેશમાં બેંકિંગ સેવાઓ ઠપ રહેશે. દેશમાં તમામ સરકારી બેંકો બંધ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે. વિવિધ બેંક સેવાઓ અને ATM સહિતની સર્વિસ પ્રભાવિત થશે.


શા માટે 9 નવેમ્બરે બેંક હડતાલ?


અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘના મહાસચિવે ભારતીય બેંક સંઘને હડતાલની નોટિસ આપી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે તેમના સભ્યો તેમની માગને લઈને 19.11.2022 ને હડતાલ પર જઈ શકે છે. બેંક હડતાલથી તમામ રાષ્ટ્રિય બેંકોની શાખાઓ અને કાર્યાલયો બંધ રહેશે. બેંક ગ્રાહકોને પણ તેમના કામ 19 નવેમ્બર પહેલા પૂર્ણ કરી લેવાની સુચના આપવામાં આવી રહી છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.