19 નવેમ્બરે દેશભરમાં બેંક હડતાલ, ATM સહિતની સર્વિસ બંધ રહેતા લોકોને હાલાકી પડશે


  • Published By :
  • Published Date : 2022-11-08 16:31:24


અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA) એ 19 નવેમ્બરે બેંક હડતાલની જાહેરાત કરી છે. જેના કારણે આગામી સપ્તાહે સમગ્ર દેશમાં બેંકિંગ સેવાઓ ઠપ રહેશે. દેશમાં તમામ સરકારી બેંકો બંધ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે. વિવિધ બેંક સેવાઓ અને ATM સહિતની સર્વિસ પ્રભાવિત થશે.


શા માટે 9 નવેમ્બરે બેંક હડતાલ?


અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘના મહાસચિવે ભારતીય બેંક સંઘને હડતાલની નોટિસ આપી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે તેમના સભ્યો તેમની માગને લઈને 19.11.2022 ને હડતાલ પર જઈ શકે છે. બેંક હડતાલથી તમામ રાષ્ટ્રિય બેંકોની શાખાઓ અને કાર્યાલયો બંધ રહેશે. બેંક ગ્રાહકોને પણ તેમના કામ 19 નવેમ્બર પહેલા પૂર્ણ કરી લેવાની સુચના આપવામાં આવી રહી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.