19 નવેમ્બરે દેશભરમાં બેંક હડતાલ, ATM સહિતની સર્વિસ બંધ રહેતા લોકોને હાલાકી પડશે


  • Published By :
  • Published Date : 2022-11-08 16:31:24


અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA) એ 19 નવેમ્બરે બેંક હડતાલની જાહેરાત કરી છે. જેના કારણે આગામી સપ્તાહે સમગ્ર દેશમાં બેંકિંગ સેવાઓ ઠપ રહેશે. દેશમાં તમામ સરકારી બેંકો બંધ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે. વિવિધ બેંક સેવાઓ અને ATM સહિતની સર્વિસ પ્રભાવિત થશે.


શા માટે 9 નવેમ્બરે બેંક હડતાલ?


અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘના મહાસચિવે ભારતીય બેંક સંઘને હડતાલની નોટિસ આપી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે તેમના સભ્યો તેમની માગને લઈને 19.11.2022 ને હડતાલ પર જઈ શકે છે. બેંક હડતાલથી તમામ રાષ્ટ્રિય બેંકોની શાખાઓ અને કાર્યાલયો બંધ રહેશે. બેંક ગ્રાહકોને પણ તેમના કામ 19 નવેમ્બર પહેલા પૂર્ણ કરી લેવાની સુચના આપવામાં આવી રહી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.