પ્રચાર માટે બનાસકાંઠા આવે તે પહેલા અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ લાગ્યા બેનર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 10:44:56

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં ધ્યાન આપી રહી છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ફરી એક વખત તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી સાથે તેઓ બનાસકાંઠાની મુલાકાત લેવાના છે. પરંતુ બનાસકાંઠાની મુલાકાતે આવે અને જનસભા સંબોધે તે પહેલા તેમના માટે વિરોધના સુર ઉઠ્યા હતા. આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે. તેમજ તેમના વિરોધમાં અનેક પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.


પોસ્ટર ફાડી કર્યો અરવિંદ કેજરીવાલનો વિરોધ 

ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે. જેને લઈ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અવાર નવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. હાલ પણ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગયા વખતની જેમ આ વખતે પણ તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 


બનાસકાંઠાના ડીસામાં તેઓ આપના ઉમેદવાર રમેશ ચૌધરીનો પ્રચાર કરવા આવવાના હતા. તેના સમર્થનમાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યા હતા. પરંતુ પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે. ઉપરાંત કેજરીવાલના વિરોધમાં પણ કેટલાક પોસ્ટરો લગાવાયા છે. જેમાં તેઓ દેશના બીજા મહંમદ અલી ઝીણા બનવા માગે છે? તેવા સવાલો પૂછવામાં આવ્યા છે.  

પોસ્ટર ફાટવા પર શું પ્રતિક્રિયા આપશે આમ આદમી પાર્ટી 

છેલ્લા ઘણા સમયથી અરવિંદ કેજરીવાલને આપને હિંદુ વિરોધી પાર્ટી ગણાવાનો પ્રયાસ થઈ રહ્યો છે.  અરવિંદ કેજરીવાલનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો હાલ ઘણા વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. દરરોજ કોઈને કોઈ વીડિયો તેમનો સામે આવી રહ્યો છે.  ત્યારે આપ હમેશાં પોતાના પર થતા પ્રહારને સકારાત્મક રીતે લઈ રાજનીતિ કરી રહ્યું છે ત્યારે આ પોસ્ટરનો જવાબ આમ આદમી પાર્ટી કેવી રીતે આપે છે તે જોવું રહ્યું.    


ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .