પ્રચાર માટે બનાસકાંઠા આવે તે પહેલા અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ લાગ્યા બેનર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 10:44:56

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં ધ્યાન આપી રહી છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ફરી એક વખત તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી સાથે તેઓ બનાસકાંઠાની મુલાકાત લેવાના છે. પરંતુ બનાસકાંઠાની મુલાકાતે આવે અને જનસભા સંબોધે તે પહેલા તેમના માટે વિરોધના સુર ઉઠ્યા હતા. આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે. તેમજ તેમના વિરોધમાં અનેક પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.


પોસ્ટર ફાડી કર્યો અરવિંદ કેજરીવાલનો વિરોધ 

ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે. જેને લઈ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અવાર નવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. હાલ પણ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગયા વખતની જેમ આ વખતે પણ તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 


બનાસકાંઠાના ડીસામાં તેઓ આપના ઉમેદવાર રમેશ ચૌધરીનો પ્રચાર કરવા આવવાના હતા. તેના સમર્થનમાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યા હતા. પરંતુ પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે. ઉપરાંત કેજરીવાલના વિરોધમાં પણ કેટલાક પોસ્ટરો લગાવાયા છે. જેમાં તેઓ દેશના બીજા મહંમદ અલી ઝીણા બનવા માગે છે? તેવા સવાલો પૂછવામાં આવ્યા છે.  

પોસ્ટર ફાટવા પર શું પ્રતિક્રિયા આપશે આમ આદમી પાર્ટી 

છેલ્લા ઘણા સમયથી અરવિંદ કેજરીવાલને આપને હિંદુ વિરોધી પાર્ટી ગણાવાનો પ્રયાસ થઈ રહ્યો છે.  અરવિંદ કેજરીવાલનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો હાલ ઘણા વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. દરરોજ કોઈને કોઈ વીડિયો તેમનો સામે આવી રહ્યો છે.  ત્યારે આપ હમેશાં પોતાના પર થતા પ્રહારને સકારાત્મક રીતે લઈ રાજનીતિ કરી રહ્યું છે ત્યારે આ પોસ્ટરનો જવાબ આમ આદમી પાર્ટી કેવી રીતે આપે છે તે જોવું રહ્યું.    


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.