પ્રચાર માટે બનાસકાંઠા આવે તે પહેલા અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ લાગ્યા બેનર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 10:44:56

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં ધ્યાન આપી રહી છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ફરી એક વખત તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી સાથે તેઓ બનાસકાંઠાની મુલાકાત લેવાના છે. પરંતુ બનાસકાંઠાની મુલાકાતે આવે અને જનસભા સંબોધે તે પહેલા તેમના માટે વિરોધના સુર ઉઠ્યા હતા. આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે. તેમજ તેમના વિરોધમાં અનેક પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.


પોસ્ટર ફાડી કર્યો અરવિંદ કેજરીવાલનો વિરોધ 

ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે. જેને લઈ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અવાર નવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. હાલ પણ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગયા વખતની જેમ આ વખતે પણ તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 


બનાસકાંઠાના ડીસામાં તેઓ આપના ઉમેદવાર રમેશ ચૌધરીનો પ્રચાર કરવા આવવાના હતા. તેના સમર્થનમાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યા હતા. પરંતુ પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે. ઉપરાંત કેજરીવાલના વિરોધમાં પણ કેટલાક પોસ્ટરો લગાવાયા છે. જેમાં તેઓ દેશના બીજા મહંમદ અલી ઝીણા બનવા માગે છે? તેવા સવાલો પૂછવામાં આવ્યા છે.  

પોસ્ટર ફાટવા પર શું પ્રતિક્રિયા આપશે આમ આદમી પાર્ટી 

છેલ્લા ઘણા સમયથી અરવિંદ કેજરીવાલને આપને હિંદુ વિરોધી પાર્ટી ગણાવાનો પ્રયાસ થઈ રહ્યો છે.  અરવિંદ કેજરીવાલનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો હાલ ઘણા વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. દરરોજ કોઈને કોઈ વીડિયો તેમનો સામે આવી રહ્યો છે.  ત્યારે આપ હમેશાં પોતાના પર થતા પ્રહારને સકારાત્મક રીતે લઈ રાજનીતિ કરી રહ્યું છે ત્યારે આ પોસ્ટરનો જવાબ આમ આદમી પાર્ટી કેવી રીતે આપે છે તે જોવું રહ્યું.    


ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.