બરસો રે મેઘા મેઘા...આ જિલ્લાઓ માટે કરવામાં આવી ભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં વરસશે કે નહીં વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-29 09:56:27

આગામી ચાર પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જામવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ લગભગ વરસી શકે છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાત, કચ્છ, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં  આવી છે. નવસારી, વલસાડ, સુરત, ડાંગ તેમજ તાપીમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. તે સિવાય ભરૂચ, છોટા ઉદેપુરના વિસ્તારોમાં પણ વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


આગામી પાંચ દિવસ માટે કરવામાં આવી છે આગાહી  

ગુજરાતના વાતાવરણમાં વરસાદને કારણે ઠંકડ પ્રસરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે જોરદાર એન્ટ્રી કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઓછા વધતા પ્રમાણમાં ગુજરાતના અનેક તાલુકામાં મેઘમહેર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચોમાસાનું જોર વધવાની સાથે ગરમીમાં ઘટાડો થયો છે.      


આ જગ્યા પર વરસી શકે છે વરસાદ  

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને તાપીમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તે સિવાય ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરના વિસ્તારોમાં વરસાદ વધે એવી શક્યતા છે. ગોધરા, પંચમહાલ, ખેડા, આણંદ, મહિસાગર અને અરવલ્લીમાં વરસાદ આવનારા દિવસોમાં વધશે તેવી શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે. પરંતુ એકાદ દિવસમાં અહીંના વિસ્તારોમાં પણ વરસાદ વધે તેવી શક્યતા છે.



આટલા જિલ્લાઓમાં ખાબક્યો વરસાદ 

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો વલસાડ અને પારડીમાં સાત ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. કામરેજ તેમજ ખેરગામમાં 6 ઈંચ વરસ્યો હતો. પલસાણા, ધરમપુર,વાપીમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ થયો હતો. પાંચ ઈંચ જેટલો વરસાદ ઉમરગામ, વાલોડમાં વરસ્યો હતો. કેશોદ,વિસાવદર, કુતિયાણા, માંડવી,કોડિનાર, જૂનાગઢ, કપરાડા, ખંભાળીયામાં પણ ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.