બરસો રે મેઘા મેઘા...આ જિલ્લાઓ માટે કરવામાં આવી ભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં વરસશે કે નહીં વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-29 09:56:27

આગામી ચાર પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જામવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ લગભગ વરસી શકે છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાત, કચ્છ, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં  આવી છે. નવસારી, વલસાડ, સુરત, ડાંગ તેમજ તાપીમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. તે સિવાય ભરૂચ, છોટા ઉદેપુરના વિસ્તારોમાં પણ વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


આગામી પાંચ દિવસ માટે કરવામાં આવી છે આગાહી  

ગુજરાતના વાતાવરણમાં વરસાદને કારણે ઠંકડ પ્રસરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે જોરદાર એન્ટ્રી કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઓછા વધતા પ્રમાણમાં ગુજરાતના અનેક તાલુકામાં મેઘમહેર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચોમાસાનું જોર વધવાની સાથે ગરમીમાં ઘટાડો થયો છે.      


આ જગ્યા પર વરસી શકે છે વરસાદ  

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને તાપીમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તે સિવાય ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરના વિસ્તારોમાં વરસાદ વધે એવી શક્યતા છે. ગોધરા, પંચમહાલ, ખેડા, આણંદ, મહિસાગર અને અરવલ્લીમાં વરસાદ આવનારા દિવસોમાં વધશે તેવી શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે. પરંતુ એકાદ દિવસમાં અહીંના વિસ્તારોમાં પણ વરસાદ વધે તેવી શક્યતા છે.



આટલા જિલ્લાઓમાં ખાબક્યો વરસાદ 

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો વલસાડ અને પારડીમાં સાત ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. કામરેજ તેમજ ખેરગામમાં 6 ઈંચ વરસ્યો હતો. પલસાણા, ધરમપુર,વાપીમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ થયો હતો. પાંચ ઈંચ જેટલો વરસાદ ઉમરગામ, વાલોડમાં વરસ્યો હતો. કેશોદ,વિસાવદર, કુતિયાણા, માંડવી,કોડિનાર, જૂનાગઢ, કપરાડા, ખંભાળીયામાં પણ ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.