BCCIએ શેર કર્યુ ભારતીય ટીમનું હોમ કેલેન્ડર, રાજકોટના આંગણે રમાશે 2 મેચ


  • Published By :
  • Published Date : 2023-07-26 17:13:55

હાલ જ BCCIએ માર્ચ 2024 સુધી ભારતીય ટીમનું હોમ કેલેન્ડર બહાર પાડ્યું છે, જેમાં વિશ્વ કપ પહેલા અને વિશ્વ કપ પછી કુલ 3 ટીમ ભારતનો પ્રવાસ ખેડશે. જેમાં વિશ્વ કપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે 3 વન-ડે મેચની સીરીઝ રમશે, જ્યારે વિશ્વ કપ પછી 5 મેચની T20 સીરીઝ રમશે.

ઓસ્ટ્રેલિયા ટીમ વિશ્વ કપ પહેલા આવશે ભારત

ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વન-ડે સીરીઝ રમશે. જે 22 સપ્ટેમ્બરથી શરુ થશે. એશિયા કપ બાદ 22 સપ્ટેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે સીરીઝ શરુ થશે. જેમાં પહેલી મેચ 22 સપ્ટેમ્બરે મોહાલી ખાતે, બીજી મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોર ખાતે અને ત્રીજી વન-ડે 27 સપ્ટેમ્બરે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. જે બાદ 5 ઓક્ટોબરથી વિશ્વ કપ શરુ થશે, જેની યજમાની ભારત કરશે એટલે કે વિશ્વ કપની તમામ મેચ ભારતમાં રમાશે. 

વિશ્વ કપ પછી ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી

વિશ્વ કપની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદ ખાતે રમાશે. જે બાદ 23 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણીની શરુઆત થશે. જેમાં પહેલી ટી20 23 નવેમ્બરના રોજ વાઈઝેગ ખાતે રમાશે, ત્યારબાદ બીજી ટી20 26 નવેમ્બરના રોજ  કેરળના તિરુવંથનમપુરમ ખાતે રમાશે, ત્રીજી ટી20 મેચ 28 નવેમ્બરે આસામના ગુવાહાટી ખાતે રમાશે, આ ઉપરાંત ચોથી અને પાંચમી ટી20 મેચ અનુક્રમે 01 ડિસેમ્બરે નાગપુર અને 01 03 ડિસેમ્બરે હૈદરાબાદ ખાતે રમાશે.


નવા વર્ષની શરુઆતમાં અફઘાનિસ્તાની ટીમ ભારત આવશે

વર્ષ 2024ની શરુઆત સુધી ભારતીય ટીમ આરામ કરશે, જે બાદ વર્ષની શરુઆતમાં અફઘાનિસ્તાનની ટીમ સામે 3 ટી20 શ્રેણી રમશે. આ 3 ટી20 મેચની શ્રેણી 11 જાન્યુઆરીથી શરુ થશે, જેમાં પહેલી ટી20 મેચ 11 જાન્યુઆરીએ મોહાલી ખાતે, બીજી ટી20 મેચ 14 જાન્યુઆરીના રોજ ઈન્દોર ખાતે અને ત્રીજી ટી20 મેચ બેંગલુરુ ખાતે રમાશે.

જાન્યુઆરીથી માર્ચ સુધી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમશે

અફઘાનિસ્તાન સામે ત્રણ ટી20 મેચની સીરીઝ પૂરી થયા પછી ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશે અને 5 મેચની ટેસ્ટ સીરીઝ રમશે. જેમાં પહેલી ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી શરુ થશે, જે હૈદરાબાદ ખાતે રમાશે, ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી શરુ થશે જે વાઈઝેગ ખાતે રમાશે, જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી શરુ થશે જે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે, ઉપરાંત ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી શરુ થશે જે રાંચીમાં રમાશે અને છેલ્લી અને પાંચમી મેચ 7 માર્ચથી શરુ થશે જે ધર્મશાલા ખાતે રમાશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.