BCCIએ શેર કર્યુ ભારતીય ટીમનું હોમ કેલેન્ડર, રાજકોટના આંગણે રમાશે 2 મેચ


  • Published By :
  • Published Date : 2023-07-26 17:13:55

હાલ જ BCCIએ માર્ચ 2024 સુધી ભારતીય ટીમનું હોમ કેલેન્ડર બહાર પાડ્યું છે, જેમાં વિશ્વ કપ પહેલા અને વિશ્વ કપ પછી કુલ 3 ટીમ ભારતનો પ્રવાસ ખેડશે. જેમાં વિશ્વ કપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે 3 વન-ડે મેચની સીરીઝ રમશે, જ્યારે વિશ્વ કપ પછી 5 મેચની T20 સીરીઝ રમશે.

ઓસ્ટ્રેલિયા ટીમ વિશ્વ કપ પહેલા આવશે ભારત

ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વન-ડે સીરીઝ રમશે. જે 22 સપ્ટેમ્બરથી શરુ થશે. એશિયા કપ બાદ 22 સપ્ટેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે સીરીઝ શરુ થશે. જેમાં પહેલી મેચ 22 સપ્ટેમ્બરે મોહાલી ખાતે, બીજી મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોર ખાતે અને ત્રીજી વન-ડે 27 સપ્ટેમ્બરે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. જે બાદ 5 ઓક્ટોબરથી વિશ્વ કપ શરુ થશે, જેની યજમાની ભારત કરશે એટલે કે વિશ્વ કપની તમામ મેચ ભારતમાં રમાશે. 

વિશ્વ કપ પછી ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી

વિશ્વ કપની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદ ખાતે રમાશે. જે બાદ 23 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણીની શરુઆત થશે. જેમાં પહેલી ટી20 23 નવેમ્બરના રોજ વાઈઝેગ ખાતે રમાશે, ત્યારબાદ બીજી ટી20 26 નવેમ્બરના રોજ  કેરળના તિરુવંથનમપુરમ ખાતે રમાશે, ત્રીજી ટી20 મેચ 28 નવેમ્બરે આસામના ગુવાહાટી ખાતે રમાશે, આ ઉપરાંત ચોથી અને પાંચમી ટી20 મેચ અનુક્રમે 01 ડિસેમ્બરે નાગપુર અને 01 03 ડિસેમ્બરે હૈદરાબાદ ખાતે રમાશે.


નવા વર્ષની શરુઆતમાં અફઘાનિસ્તાની ટીમ ભારત આવશે

વર્ષ 2024ની શરુઆત સુધી ભારતીય ટીમ આરામ કરશે, જે બાદ વર્ષની શરુઆતમાં અફઘાનિસ્તાનની ટીમ સામે 3 ટી20 શ્રેણી રમશે. આ 3 ટી20 મેચની શ્રેણી 11 જાન્યુઆરીથી શરુ થશે, જેમાં પહેલી ટી20 મેચ 11 જાન્યુઆરીએ મોહાલી ખાતે, બીજી ટી20 મેચ 14 જાન્યુઆરીના રોજ ઈન્દોર ખાતે અને ત્રીજી ટી20 મેચ બેંગલુરુ ખાતે રમાશે.

જાન્યુઆરીથી માર્ચ સુધી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમશે

અફઘાનિસ્તાન સામે ત્રણ ટી20 મેચની સીરીઝ પૂરી થયા પછી ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશે અને 5 મેચની ટેસ્ટ સીરીઝ રમશે. જેમાં પહેલી ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી શરુ થશે, જે હૈદરાબાદ ખાતે રમાશે, ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી શરુ થશે જે વાઈઝેગ ખાતે રમાશે, જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી શરુ થશે જે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે, ઉપરાંત ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી શરુ થશે જે રાંચીમાં રમાશે અને છેલ્લી અને પાંચમી મેચ 7 માર્ચથી શરુ થશે જે ધર્મશાલા ખાતે રમાશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.