વરસાદ માટે રહેવું પડશે તૈયાર! જાણો વરસાદને લઈ શું કરવામાં આવી છે આગાહી, જાણો ક્યારે ક્યાં વરસી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-09 11:28:58

કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં ભલે ચોમાસાને સત્તાવાર રીતે આવવાની વાર હોય પરંતુ વાવાઝોડાને કારણે વરસાદની આગાહી ફરી એક વખત રાજ્ય માટે કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડા પર સતત નજર હવામાન વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. 11થી 13 જૂન વચ્ચે તીવ્ર ગતિએ પવન ફૂંકાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. આ બધા વચ્ચે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 


વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી!

ગુરૂવારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદને લઈ આગાહી કરી છે. અમદાવાદમાં તેમજ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આગાહી પ્રમાણે 30-40 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાશે જેને કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર, અમરેલીમાં વરસાદ વરસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ જગ્યાઓ પર વરસશે વરસાદ!   

આગાહી પ્રમાણે શુક્રવારે નવસારી, વલસાડ તેમજ અમરેલીમાં વરસાદ વરસશે. શનિવારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી. જૂનાગઢ. અમરેલી, ભાવનગરમાં વરસાદ થશે. વડોદરા, સુરત, નવસારીમાં શનિવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે નર્મદા, ડાંગ, પોરબંદર. તાપી, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.   હાલ તો જે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તે વાવાઝોડાને કારણે આવી રહી છે. 


કેરળમાં ચોમાસાનું થઈ ગયું છે આગમન! 

જો ગુજરાતમાં ચોમાસાના આગમનની વાત કરવામાં આવે તો 20થી 25 જૂનની વચ્ચે ચોમાસાની પધરામણી થશે. કેરળમાં ચોમાસાની દસ્તક થાય તે બાદ દેશમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ હોય છે. તારીખ 10,11 અને 12 દરમિયાન પણ રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 11 અને 12 તારીખ દરમિયાન વરસાદની સંભાવનાઓના સ્થળોની સંખ્યા વધુ છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.