વરસાદ માટે રહેવું પડશે તૈયાર! જાણો વરસાદને લઈ શું કરવામાં આવી છે આગાહી, જાણો ક્યારે ક્યાં વરસી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-09 11:28:58

કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં ભલે ચોમાસાને સત્તાવાર રીતે આવવાની વાર હોય પરંતુ વાવાઝોડાને કારણે વરસાદની આગાહી ફરી એક વખત રાજ્ય માટે કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડા પર સતત નજર હવામાન વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. 11થી 13 જૂન વચ્ચે તીવ્ર ગતિએ પવન ફૂંકાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. આ બધા વચ્ચે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 


વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી!

ગુરૂવારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદને લઈ આગાહી કરી છે. અમદાવાદમાં તેમજ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આગાહી પ્રમાણે 30-40 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાશે જેને કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર, અમરેલીમાં વરસાદ વરસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ જગ્યાઓ પર વરસશે વરસાદ!   

આગાહી પ્રમાણે શુક્રવારે નવસારી, વલસાડ તેમજ અમરેલીમાં વરસાદ વરસશે. શનિવારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી. જૂનાગઢ. અમરેલી, ભાવનગરમાં વરસાદ થશે. વડોદરા, સુરત, નવસારીમાં શનિવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે નર્મદા, ડાંગ, પોરબંદર. તાપી, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.   હાલ તો જે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તે વાવાઝોડાને કારણે આવી રહી છે. 


કેરળમાં ચોમાસાનું થઈ ગયું છે આગમન! 

જો ગુજરાતમાં ચોમાસાના આગમનની વાત કરવામાં આવે તો 20થી 25 જૂનની વચ્ચે ચોમાસાની પધરામણી થશે. કેરળમાં ચોમાસાની દસ્તક થાય તે બાદ દેશમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ હોય છે. તારીખ 10,11 અને 12 દરમિયાન પણ રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 11 અને 12 તારીખ દરમિયાન વરસાદની સંભાવનાઓના સ્થળોની સંખ્યા વધુ છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.