વરસાદ માટે રહેવું પડશે તૈયાર! જાણો વરસાદને લઈ શું કરવામાં આવી છે આગાહી, જાણો ક્યારે ક્યાં વરસી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-09 11:28:58

કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં ભલે ચોમાસાને સત્તાવાર રીતે આવવાની વાર હોય પરંતુ વાવાઝોડાને કારણે વરસાદની આગાહી ફરી એક વખત રાજ્ય માટે કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડા પર સતત નજર હવામાન વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. 11થી 13 જૂન વચ્ચે તીવ્ર ગતિએ પવન ફૂંકાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. આ બધા વચ્ચે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 


વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી!

ગુરૂવારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદને લઈ આગાહી કરી છે. અમદાવાદમાં તેમજ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આગાહી પ્રમાણે 30-40 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાશે જેને કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર, અમરેલીમાં વરસાદ વરસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ જગ્યાઓ પર વરસશે વરસાદ!   

આગાહી પ્રમાણે શુક્રવારે નવસારી, વલસાડ તેમજ અમરેલીમાં વરસાદ વરસશે. શનિવારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી. જૂનાગઢ. અમરેલી, ભાવનગરમાં વરસાદ થશે. વડોદરા, સુરત, નવસારીમાં શનિવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે નર્મદા, ડાંગ, પોરબંદર. તાપી, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.   હાલ તો જે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તે વાવાઝોડાને કારણે આવી રહી છે. 


કેરળમાં ચોમાસાનું થઈ ગયું છે આગમન! 

જો ગુજરાતમાં ચોમાસાના આગમનની વાત કરવામાં આવે તો 20થી 25 જૂનની વચ્ચે ચોમાસાની પધરામણી થશે. કેરળમાં ચોમાસાની દસ્તક થાય તે બાદ દેશમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ હોય છે. તારીખ 10,11 અને 12 દરમિયાન પણ રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 11 અને 12 તારીખ દરમિયાન વરસાદની સંભાવનાઓના સ્થળોની સંખ્યા વધુ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.