ટિકિટ ફાળવણી પહેલા આ ઉમેદવારોને આવ્યા ફોન, તમામની ટિકિટ લગભગ ફાઈનલ


  • Published By :
  • Published Date : 2022-11-10 10:33:08

ભાજપ આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ત્યારે આ વખતે ઉમેદવારોને ફોન કરી ઉમેદવારોને આ અંગે જાણકારી અપાઈ રહી છે તેવું ચર્ચાઈ રહ્યું છે. જ્યારથી હાઈ કમાન્ડની બેઠક પૂર્ણ  થઈ છે ત્યારથી નેતાઓને ફોન આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટિકિટ ફાઈનલ છે. જગદીશ પંચાલની પણ ટિકિટ ફાઈનલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે જસદણ બેઠત માટે કુંવરજી બાવળીયાને ફાઈનલ માનવામાં આવી રહ્યા છે. રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળા, પૂર્વ બેઠક પર ઉદય કાનગડનું નામ કન્ફમ માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત જામનગર શહેરમાં નો રિપિર્ટ થિયરી લાગુ કરવામાં આવશે.   

સુરત પૂર્વમાં અરવિંદ રાણા, સુરત ઉત્તરમાં કાંતિ બલરને ટિકિટ આપવામાં આવશે, તેમજ વરાછાથી કિશોર કાનાણી, પ્રવીણ ઘોઘારીને કરંજથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. લિંબાયતમાં સંગીતા પાટીલને, મજુરા બેઠકથી હર્ષ સંઘવી, પશ્ચિમ બેઠકથી પૂર્ણેશ મોદીને ટિકિટ મળી શકે છે.  વ્યારાથી મોહન કોંકણીને, ઉધનામાં મનુભાઈ પટેલને ફોન આવ્યો છે જ્યારે નિઝર વિધાનસભા બેઠક પર તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામ ગામીતને ટિકિટ આપી શકે છે. ધાનેરાથી મફતભાઈ પુરોહિત, ચોટીલાથી શ્યામજી ચૌધરી, ઝઘડિયાથી રિતેશ વસાવા, વિરમગામથી હાર્દિક પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે.

ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને ટંકારા પડધરી વિધાનસભા બેઠક માટે ફોન આવ્યો હતો. જ્યારે જીતુ સોમાણીને વાંકાનેર કુવાડવા બેઠક માટે, મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે કાંતિભાઈ અમૃતિયાને, જ્યારે બ્રિજેશ મેરજાને મોરબીથી ટિકિટ આપવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે. માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાને પસંદ કરવામાં આવ્યા છે. જેતપુર બેઠક પરથી જયેશ રાદડિયાને ટિકિટ આપવામાં આવી છે. તેની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે હું પાર્ટીનો આભાર માનું છું. બારડોલીથી ઈશ્વર પરમારને, રાજકોટ પશ્ચિમથી દર્શિતા શાહને ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવશે. 

અબડાસા બેઠક માટે ભાજપે પ્રધ્યુમનસિંહ જાડેજાની પસંદગી કરી છે. જ્યારે રાપર માટે વિરેન્દ્ર સિંહને ટિકિટ માટે ફોન આવ્યા હતો. ગાંધીધામથી માલતી મહેશ્વરીને રિપિટ કરવામાં આવશે. જ્યારે ભુજ બેઠક પરથી કેશુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવશે. માંડવીથી અનિરુદ્ધ દવેને ટિકિટ આપવામાં  આવી છે. ઉપરાંત અંજાર સીટમાં ત્રિકમ બીજલભાઈ છાંગા ત્રિકમ માસ્તરને ટિકિટ આપવામાં આવી છે. 

ધારાસભ્ય જગદીશ પટેલે ટ્વીટ કરીને અમરાઇવાડી વિધાનસભાના ધારાસભ્ય તરીકે તક આપી સેવા કરવાનો અવસર આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા, ગૃહ મંત્રી અમિત શાહ, તેમજ કેન્દ્રીય અને પ્રદેશ મોવડી મંડળનો આભાર માન્યો હતો.





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.