ટિકિટ ફાળવણી પહેલા આ ઉમેદવારોને આવ્યા ફોન, તમામની ટિકિટ લગભગ ફાઈનલ


  • Published By :
  • Published Date : 2022-11-10 10:33:08

ભાજપ આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ત્યારે આ વખતે ઉમેદવારોને ફોન કરી ઉમેદવારોને આ અંગે જાણકારી અપાઈ રહી છે તેવું ચર્ચાઈ રહ્યું છે. જ્યારથી હાઈ કમાન્ડની બેઠક પૂર્ણ  થઈ છે ત્યારથી નેતાઓને ફોન આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટિકિટ ફાઈનલ છે. જગદીશ પંચાલની પણ ટિકિટ ફાઈનલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે જસદણ બેઠત માટે કુંવરજી બાવળીયાને ફાઈનલ માનવામાં આવી રહ્યા છે. રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળા, પૂર્વ બેઠક પર ઉદય કાનગડનું નામ કન્ફમ માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત જામનગર શહેરમાં નો રિપિર્ટ થિયરી લાગુ કરવામાં આવશે.   

સુરત પૂર્વમાં અરવિંદ રાણા, સુરત ઉત્તરમાં કાંતિ બલરને ટિકિટ આપવામાં આવશે, તેમજ વરાછાથી કિશોર કાનાણી, પ્રવીણ ઘોઘારીને કરંજથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. લિંબાયતમાં સંગીતા પાટીલને, મજુરા બેઠકથી હર્ષ સંઘવી, પશ્ચિમ બેઠકથી પૂર્ણેશ મોદીને ટિકિટ મળી શકે છે.  વ્યારાથી મોહન કોંકણીને, ઉધનામાં મનુભાઈ પટેલને ફોન આવ્યો છે જ્યારે નિઝર વિધાનસભા બેઠક પર તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામ ગામીતને ટિકિટ આપી શકે છે. ધાનેરાથી મફતભાઈ પુરોહિત, ચોટીલાથી શ્યામજી ચૌધરી, ઝઘડિયાથી રિતેશ વસાવા, વિરમગામથી હાર્દિક પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે.

ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને ટંકારા પડધરી વિધાનસભા બેઠક માટે ફોન આવ્યો હતો. જ્યારે જીતુ સોમાણીને વાંકાનેર કુવાડવા બેઠક માટે, મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે કાંતિભાઈ અમૃતિયાને, જ્યારે બ્રિજેશ મેરજાને મોરબીથી ટિકિટ આપવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે. માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાને પસંદ કરવામાં આવ્યા છે. જેતપુર બેઠક પરથી જયેશ રાદડિયાને ટિકિટ આપવામાં આવી છે. તેની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે હું પાર્ટીનો આભાર માનું છું. બારડોલીથી ઈશ્વર પરમારને, રાજકોટ પશ્ચિમથી દર્શિતા શાહને ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવશે. 

અબડાસા બેઠક માટે ભાજપે પ્રધ્યુમનસિંહ જાડેજાની પસંદગી કરી છે. જ્યારે રાપર માટે વિરેન્દ્ર સિંહને ટિકિટ માટે ફોન આવ્યા હતો. ગાંધીધામથી માલતી મહેશ્વરીને રિપિટ કરવામાં આવશે. જ્યારે ભુજ બેઠક પરથી કેશુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવશે. માંડવીથી અનિરુદ્ધ દવેને ટિકિટ આપવામાં  આવી છે. ઉપરાંત અંજાર સીટમાં ત્રિકમ બીજલભાઈ છાંગા ત્રિકમ માસ્તરને ટિકિટ આપવામાં આવી છે. 

ધારાસભ્ય જગદીશ પટેલે ટ્વીટ કરીને અમરાઇવાડી વિધાનસભાના ધારાસભ્ય તરીકે તક આપી સેવા કરવાનો અવસર આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા, ગૃહ મંત્રી અમિત શાહ, તેમજ કેન્દ્રીય અને પ્રદેશ મોવડી મંડળનો આભાર માન્યો હતો.





રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.