CBI સામે રજૂ થાય તે પહેલા અરવિંદ કેજરીવાલે કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું 'જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી'


  • Published By :
  • Published Date : 2023-04-15 15:23:49

અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થવાનો છે. દિલ્હીમાં લીકર પોલીસીને લઈ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જેલમાં સજા ભોગવી રહ્યા છે. ત્યારે આ મામલે 16 એપ્રિલે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સીબીઆઈનું તેડુ આવ્યું છે. તપાસ એજન્સીએ 14 એપ્રિલે નોટીસ પાઠવી હતી. જેને લઈ રવિવારે  સીબીઆઈ ઓફિસમાં હાજર રહેવા નોટીસ પાઠવવામાં આવી હતી. 

જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી - અરવિંદ કેજરીવાલ 

આવતીકાલે તપાસ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય તે પહેલા  શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીબીઆઈ અને ઈડી પર આરોપ લગાવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે આ લોકોએ અમારા સરકારના બે મંત્રીઓને જેલમાં પૂરી દીધા છે. તેમનો વિચાર હતો કે બે નંબર (મનીષ સિસોદીયા) અને ત્રીજા નંબર (સત્યેન્દ્ર જૈન)ની ધરપકડ કરી લીધી છે. જેથી મારા સુધી તે પહોંચી શકે છે. આ ફસાવવાની કોશિશ થઈ રહી છે. જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી.

     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.