CBI સામે રજૂ થાય તે પહેલા અરવિંદ કેજરીવાલે કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું 'જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી'


  • Published By :
  • Published Date : 2023-04-15 15:23:49

અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થવાનો છે. દિલ્હીમાં લીકર પોલીસીને લઈ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જેલમાં સજા ભોગવી રહ્યા છે. ત્યારે આ મામલે 16 એપ્રિલે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સીબીઆઈનું તેડુ આવ્યું છે. તપાસ એજન્સીએ 14 એપ્રિલે નોટીસ પાઠવી હતી. જેને લઈ રવિવારે  સીબીઆઈ ઓફિસમાં હાજર રહેવા નોટીસ પાઠવવામાં આવી હતી. 

જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી - અરવિંદ કેજરીવાલ 

આવતીકાલે તપાસ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય તે પહેલા  શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીબીઆઈ અને ઈડી પર આરોપ લગાવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે આ લોકોએ અમારા સરકારના બે મંત્રીઓને જેલમાં પૂરી દીધા છે. તેમનો વિચાર હતો કે બે નંબર (મનીષ સિસોદીયા) અને ત્રીજા નંબર (સત્યેન્દ્ર જૈન)ની ધરપકડ કરી લીધી છે. જેથી મારા સુધી તે પહોંચી શકે છે. આ ફસાવવાની કોશિશ થઈ રહી છે. જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી.

     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.