CBI સામે રજૂ થાય તે પહેલા અરવિંદ કેજરીવાલે કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું 'જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી'


  • Published By :
  • Published Date : 2023-04-15 15:23:49

અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થવાનો છે. દિલ્હીમાં લીકર પોલીસીને લઈ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જેલમાં સજા ભોગવી રહ્યા છે. ત્યારે આ મામલે 16 એપ્રિલે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સીબીઆઈનું તેડુ આવ્યું છે. તપાસ એજન્સીએ 14 એપ્રિલે નોટીસ પાઠવી હતી. જેને લઈ રવિવારે  સીબીઆઈ ઓફિસમાં હાજર રહેવા નોટીસ પાઠવવામાં આવી હતી. 

જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી - અરવિંદ કેજરીવાલ 

આવતીકાલે તપાસ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય તે પહેલા  શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીબીઆઈ અને ઈડી પર આરોપ લગાવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે આ લોકોએ અમારા સરકારના બે મંત્રીઓને જેલમાં પૂરી દીધા છે. તેમનો વિચાર હતો કે બે નંબર (મનીષ સિસોદીયા) અને ત્રીજા નંબર (સત્યેન્દ્ર જૈન)ની ધરપકડ કરી લીધી છે. જેથી મારા સુધી તે પહોંચી શકે છે. આ ફસાવવાની કોશિશ થઈ રહી છે. જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી.

     



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.