પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે કરી પત્રકાર પરિષદ, પત્રકાર પરિષદમાં તેમણે ભાજપના પૂર્વ મંત્રી વિશે કરી વાત!


  • Published By :
  • Published Date : 2023-04-21 13:01:51

યુવરાજસિંહ જાડેજા ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા છે. નિવેદન આપતા પહેલા યુવરાજસિંહે એક પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે મોટા આક્ષેપો કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે આ કેસમાં ઘણા લોકો બચવા માગે છે. એમાં અનેક પૂર્વમંત્રીઓના નામ પણ સામેલ છે. અનેક લોકો આ કૌભાંડને દબાવવા માગે છે. મેં કોઈ રુપિયા લીધા નથી. કોઈ આર્થિક વ્યવહાર મારા નામે થયો નથી. મારૂં સમન્સ નીકળે તો જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે. અસિત વોરાનું નામ પણ સામે આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે મને ફસાવવાના પ્રયત્નો પાછળ અનેક લોકોનો હાથ છે. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો. મને જ શા માટે?   



જીતુ વાઘાણીના નામનો યુવરાજસિંહે કર્યો ઉલ્લેખ!  

ડમી કાંડ મામલે યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે યુવરાજસિંહને પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પોતાનું નિવેદન આપવા યુવરાજસિંહ ભાવનગર પહોંચ્યા હતા. તે પહેલા તેમણે પત્રકાર પરિષદ કરી હતી. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે મોટા રાજકીય માથા આ આખું કૌભાંડ દબાવવા પ્રયાસ કરી રહ્યા છે. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવામાં આવે તેવી માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ. અસિત વોરાની પણ તપાસ કરવામાં આવે તેવી યુવરાજસિંહે માગ કરી હતી.    


આ મોટા માથા વિરૂદ્ધ કરાય કાર્યવાહીની કરી માગ! 

પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે આ કેસમાં ઘણા લોકો બચવા માગે છે. એમાં અનેક પૂર્વમંત્રીઓના નામ પણ સામેલ છે. અનેક લોકો આ કૌભાંડને દબાવવા માગે છે. મેં કોઈ રુપિયા લીધા નથી. કોઈ આર્થિક વ્યવહાર મારા નામે થયો નથી. મારૂં સમન્સ નીકળે તો જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે. અસિત વોરાનું નામ પણ સામે આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે મને ફસાવવાના પ્રયત્નો પાછળ અનેક લોકોનો હાથ છે. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો. મને જ શા માટે? તેમણે કહ્યું કે રાજકીય કિન્નાખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અવધેશ પટેલ, હિરેન,અખિલેશ,જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે તે જરૂરી છે. 

 

શું યુવરાજસિંહની થશે ધરપકડ?

યુવરાજસિંહે એવું પણ કહ્યું હતું કે મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે. આજે નહીં તો કાલે મને પતાવી દેવાશે. હિટ એન્ડ રનમાં કચડી નાખવાનું ષડયંત્ર ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કૌભાંડ 2004થી ચાલી રહ્યું છે. ત્યારે યુવરાજસિંહને પોતાની ધરપકડ થવાની આશંકા છે. ધરપકડ થવાની શક્યતા સાથે જ તેઓ ત્યાં પહોંચ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે શું યુવરાજસિંહની ધરપકડ થવાની છે?           




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે