પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે કરી પત્રકાર પરિષદ, પત્રકાર પરિષદમાં તેમણે ભાજપના પૂર્વ મંત્રી વિશે કરી વાત!


  • Published By :
  • Published Date : 2023-04-21 13:01:51

યુવરાજસિંહ જાડેજા ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા છે. નિવેદન આપતા પહેલા યુવરાજસિંહે એક પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે મોટા આક્ષેપો કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે આ કેસમાં ઘણા લોકો બચવા માગે છે. એમાં અનેક પૂર્વમંત્રીઓના નામ પણ સામેલ છે. અનેક લોકો આ કૌભાંડને દબાવવા માગે છે. મેં કોઈ રુપિયા લીધા નથી. કોઈ આર્થિક વ્યવહાર મારા નામે થયો નથી. મારૂં સમન્સ નીકળે તો જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે. અસિત વોરાનું નામ પણ સામે આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે મને ફસાવવાના પ્રયત્નો પાછળ અનેક લોકોનો હાથ છે. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો. મને જ શા માટે?   



જીતુ વાઘાણીના નામનો યુવરાજસિંહે કર્યો ઉલ્લેખ!  

ડમી કાંડ મામલે યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે યુવરાજસિંહને પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પોતાનું નિવેદન આપવા યુવરાજસિંહ ભાવનગર પહોંચ્યા હતા. તે પહેલા તેમણે પત્રકાર પરિષદ કરી હતી. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે મોટા રાજકીય માથા આ આખું કૌભાંડ દબાવવા પ્રયાસ કરી રહ્યા છે. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવામાં આવે તેવી માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ. અસિત વોરાની પણ તપાસ કરવામાં આવે તેવી યુવરાજસિંહે માગ કરી હતી.    


આ મોટા માથા વિરૂદ્ધ કરાય કાર્યવાહીની કરી માગ! 

પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે આ કેસમાં ઘણા લોકો બચવા માગે છે. એમાં અનેક પૂર્વમંત્રીઓના નામ પણ સામેલ છે. અનેક લોકો આ કૌભાંડને દબાવવા માગે છે. મેં કોઈ રુપિયા લીધા નથી. કોઈ આર્થિક વ્યવહાર મારા નામે થયો નથી. મારૂં સમન્સ નીકળે તો જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે. અસિત વોરાનું નામ પણ સામે આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે મને ફસાવવાના પ્રયત્નો પાછળ અનેક લોકોનો હાથ છે. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો. મને જ શા માટે? તેમણે કહ્યું કે રાજકીય કિન્નાખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અવધેશ પટેલ, હિરેન,અખિલેશ,જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે તે જરૂરી છે. 

 

શું યુવરાજસિંહની થશે ધરપકડ?

યુવરાજસિંહે એવું પણ કહ્યું હતું કે મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે. આજે નહીં તો કાલે મને પતાવી દેવાશે. હિટ એન્ડ રનમાં કચડી નાખવાનું ષડયંત્ર ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કૌભાંડ 2004થી ચાલી રહ્યું છે. ત્યારે યુવરાજસિંહને પોતાની ધરપકડ થવાની આશંકા છે. ધરપકડ થવાની શક્યતા સાથે જ તેઓ ત્યાં પહોંચ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે શું યુવરાજસિંહની ધરપકડ થવાની છે?           




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.