પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે કરી પત્રકાર પરિષદ, પત્રકાર પરિષદમાં તેમણે ભાજપના પૂર્વ મંત્રી વિશે કરી વાત!


  • Published By :
  • Published Date : 2023-04-21 13:01:51

યુવરાજસિંહ જાડેજા ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા છે. નિવેદન આપતા પહેલા યુવરાજસિંહે એક પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે મોટા આક્ષેપો કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે આ કેસમાં ઘણા લોકો બચવા માગે છે. એમાં અનેક પૂર્વમંત્રીઓના નામ પણ સામેલ છે. અનેક લોકો આ કૌભાંડને દબાવવા માગે છે. મેં કોઈ રુપિયા લીધા નથી. કોઈ આર્થિક વ્યવહાર મારા નામે થયો નથી. મારૂં સમન્સ નીકળે તો જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે. અસિત વોરાનું નામ પણ સામે આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે મને ફસાવવાના પ્રયત્નો પાછળ અનેક લોકોનો હાથ છે. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો. મને જ શા માટે?   



જીતુ વાઘાણીના નામનો યુવરાજસિંહે કર્યો ઉલ્લેખ!  

ડમી કાંડ મામલે યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે યુવરાજસિંહને પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પોતાનું નિવેદન આપવા યુવરાજસિંહ ભાવનગર પહોંચ્યા હતા. તે પહેલા તેમણે પત્રકાર પરિષદ કરી હતી. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે મોટા રાજકીય માથા આ આખું કૌભાંડ દબાવવા પ્રયાસ કરી રહ્યા છે. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવામાં આવે તેવી માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ. અસિત વોરાની પણ તપાસ કરવામાં આવે તેવી યુવરાજસિંહે માગ કરી હતી.    


આ મોટા માથા વિરૂદ્ધ કરાય કાર્યવાહીની કરી માગ! 

પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે આ કેસમાં ઘણા લોકો બચવા માગે છે. એમાં અનેક પૂર્વમંત્રીઓના નામ પણ સામેલ છે. અનેક લોકો આ કૌભાંડને દબાવવા માગે છે. મેં કોઈ રુપિયા લીધા નથી. કોઈ આર્થિક વ્યવહાર મારા નામે થયો નથી. મારૂં સમન્સ નીકળે તો જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે. અસિત વોરાનું નામ પણ સામે આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે મને ફસાવવાના પ્રયત્નો પાછળ અનેક લોકોનો હાથ છે. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો. મને જ શા માટે? તેમણે કહ્યું કે રાજકીય કિન્નાખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અવધેશ પટેલ, હિરેન,અખિલેશ,જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે તે જરૂરી છે. 

 

શું યુવરાજસિંહની થશે ધરપકડ?

યુવરાજસિંહે એવું પણ કહ્યું હતું કે મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે. આજે નહીં તો કાલે મને પતાવી દેવાશે. હિટ એન્ડ રનમાં કચડી નાખવાનું ષડયંત્ર ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કૌભાંડ 2004થી ચાલી રહ્યું છે. ત્યારે યુવરાજસિંહને પોતાની ધરપકડ થવાની આશંકા છે. ધરપકડ થવાની શક્યતા સાથે જ તેઓ ત્યાં પહોંચ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે શું યુવરાજસિંહની ધરપકડ થવાની છે?           




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.