ગણપતિ બાપ્પાના આગમન પહેલા વરસાદે કરી ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?


  • Published By :
  • Published Date : 2023-09-19 14:34:40

રાજ્યમાં ફરી એક વખત મેહુલો મહેરબાન જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. વરસાદ થવાને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ઘણા દિવસોથી જોવા મળી રહી છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી તો કરી છે, અનેક જગ્યાઓ પર એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. 248 તાલુકામાં મેહુલો મન મૂકીને વરસ્યો હતો. 

 અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ જામ્યો છે. જ્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિસાવદરમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે મેદરડા, રાધનપુરમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. બેચરાજી અને ભાભરમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન 124 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત 33 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વરસાદની રિ-એન્ટ્રી થતાં ખેડૂતોની ચિંતા દૂર થઈ 

આપણે ત્યાં વરસાદને લઈ અલગ અલગ કહેવતો કહેવાય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે આપણે અનેક વાતો કહેતા હોઈએ છીએ. અષાઢમાં અનરાધાર, શ્રાવણમાં શ્રીકાર, ભાદરવો ભરપૂર જેવા વાક્યો આપણે કહેતા હોઈએ છીએ. ત્યારે ભાદરવાને લઈ કરવામાં આવેલી વાતો સાચી સાબિત થઈ રહી છે. ભાદરવો ભરપૂર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદે જમાવટ કરી છે. વરસાદે રિ-એન્ટ્રી કરી છે જેને કારણે વાતાવરણમાં તો પલટો આવ્યો છે પરંતુ ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે. ઓગસ્ટ મહિનામાં વરસાદે જગતના તાતને દુખી કર્યા હતા. પાક નિષ્ફળ જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો હતો પરંતુ સપ્ટેમ્બર મહિનો ખેડૂતો માટે ખુશી લઈને આવ્યો. 


અનેક જગ્યાઓ પર સર્જાઈ હતી પુર જેવી પરિસ્થિતિ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અથવા તો વરસ્યો હતો. ઓગસ્ટ મહિનામાં છુટાછવાયા વરસાદની વાત કરવામાં આવતી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદની વાત કરવામાં આવી રહી છે. અનેક જિલ્લાઓમાં તો પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો....






ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.