ગણપતિ બાપ્પાના આગમન પહેલા વરસાદે કરી ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?


  • Published By :
  • Published Date : 2023-09-19 14:34:40

રાજ્યમાં ફરી એક વખત મેહુલો મહેરબાન જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. વરસાદ થવાને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ઘણા દિવસોથી જોવા મળી રહી છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી તો કરી છે, અનેક જગ્યાઓ પર એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. 248 તાલુકામાં મેહુલો મન મૂકીને વરસ્યો હતો. 

 અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ જામ્યો છે. જ્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિસાવદરમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે મેદરડા, રાધનપુરમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. બેચરાજી અને ભાભરમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન 124 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત 33 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વરસાદની રિ-એન્ટ્રી થતાં ખેડૂતોની ચિંતા દૂર થઈ 

આપણે ત્યાં વરસાદને લઈ અલગ અલગ કહેવતો કહેવાય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે આપણે અનેક વાતો કહેતા હોઈએ છીએ. અષાઢમાં અનરાધાર, શ્રાવણમાં શ્રીકાર, ભાદરવો ભરપૂર જેવા વાક્યો આપણે કહેતા હોઈએ છીએ. ત્યારે ભાદરવાને લઈ કરવામાં આવેલી વાતો સાચી સાબિત થઈ રહી છે. ભાદરવો ભરપૂર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદે જમાવટ કરી છે. વરસાદે રિ-એન્ટ્રી કરી છે જેને કારણે વાતાવરણમાં તો પલટો આવ્યો છે પરંતુ ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે. ઓગસ્ટ મહિનામાં વરસાદે જગતના તાતને દુખી કર્યા હતા. પાક નિષ્ફળ જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો હતો પરંતુ સપ્ટેમ્બર મહિનો ખેડૂતો માટે ખુશી લઈને આવ્યો. 


અનેક જગ્યાઓ પર સર્જાઈ હતી પુર જેવી પરિસ્થિતિ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અથવા તો વરસ્યો હતો. ઓગસ્ટ મહિનામાં છુટાછવાયા વરસાદની વાત કરવામાં આવતી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદની વાત કરવામાં આવી રહી છે. અનેક જિલ્લાઓમાં તો પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો....






દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.