ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસના નેતાઓના દારૂની પાર્ટી કરતા ફોટો વાયરલ થયા


  • Published By :
  • Published Date : 2022-11-07 10:43:59

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. દરેક પાર્ટી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. ઉપરાંત ગુજરાતમાં તેમની પાર્ટીની સરકાર બનશે તેવા પણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા નેતાઓના અનેક ફોટા વાયરલ થતા હોય છે. તેવો એક ફોટો વાયરલ થયો છે જેમાં ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ એક સાથે દારૂની પાર્ટી કરતા નજરે પડે છે. 


દારૂની પાર્ટીમાં કોંગ્રેસ-ભાજપના નેતા ભાઈ-ભાઈ 

દરેક પાર્ટીએ પ્રચાર માટે નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. પ્રચાર દરમિયાન પાર્ટીના નેતાઓ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહે છે. પરંતુ એક પાર્ટી એવી હોય છે જેમાં તેઓ એક થઈ જતા હોય છે. આ પાર્ટીને દારૂની પાર્ટી. ચૂંટણી નજીક આવતા ગાંધીના ગુજરાતમાંથી દારૂની પાર્ટી કરતા નેતાઓના ફોટા વાયરલ થતા હોય છે. વાયરલ ફોટામાં રાપરના ધારાસભ્ય સંતોકબેનના પતિ બચુ આરેઠીયા, રાપર નગરપાલિકાના પ્રમુખ અમરતબેન વાવિયાના પતિ વાલજી વાવીયા તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય રાજુ ચૌધરીએ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં કોંગ્રેસ યુવા આગેવાન મુકેશ ચૌધરી પણ જોડાયા હતા. પાર્ટીને ભૂલાવી બધા લોકો પાર્ટીનો આનંદ માણતા નજરે પડ્યા હતા. 

જમાવટ આ વાયરલ ફોટો અંગે પુષ્ટિ કરતું નથી

દારૂબંદીની વાતો કરતા નેતાઓના ચૂંટણી સમયે આવા અનેક ફોટો વાયરલ થતા હોય છે. ત્યારે આ ફોટો હમણાંનો છે કે જૂનો, આ ફોટો ક્યાંનો છે ઉપરાંત આ ફોટો સાચો છે કે નહિં તે અંગે જમાવટ કોઈ પુષ્ટિ કરતું નથી.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.