ચૂંટણી પહેલા ગોપાલ ઈટાલિયા બન્યા ચર્ચાનો વિષય


  • Published By :
  • Published Date : 2022-10-23 18:02:54

વિધાનસભા ચૂંટણી નજીક આવતા જૂના વીડિયો, જૂના ટ્વિટ વાયરલ થઈ રહ્યા છે. ગોપાલ ઈટાલિયાના એક બાદ એક જૂના વીડિયો છેલ્લા ઘણા સમયથી વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત તેમનો જૂનો વીડિયો વાયરલ થયો છે. ઈટાલિયાના જે વીડિયો વાયરલ થયા છે તેમાં તેઓ વડાપ્રધાન, હીરા બા તેમજ ભાજપના નેતાઓ પર નિશાન સાધતા હોય છે. વીડિયો પ્રમાણે તેઓ ભાજપના નેતાઓ હરામી અને વડોદરાના ભાજપ વાળા હરામી છે. 

ભાજપના નેતા પર ઈટાલિયાએ કર્યા પ્રહાર

આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. ભાજપ પણ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. ત્યારે ગોપાલ ઈટાલિયાના અનેક જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમ જેમ આપ સક્રિય થઈ રહી છે તેમ તેમ આપ નેતાના જૂના વીડિયો તેમજ ટ્વિટ વાયરલ થઈ રહી છે. ગોપાલ ઈટાલિયાના વીડિયો વાયરલ થયા છે. આ વખતે તેમણે ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યા છે.

  

યજ્ઞેશ દવેએ માગ્યો ઈટાલિયા પાસેથી જવાબ

ભાજપે પણ આ વીડિયોનો વળતો જવાબ આપ્યો છે. યજ્ઞેશ દવેએ વળતો જવાબ આપતા લખ્યું કે પોતાની જાતને સરદારના વંશ જ ગણાવતા પહેલા સરદાર સાહેબનું જીવનચરિત્ર જાણી લેવું. આ વીડિયો જૂનો નથી નવો જ છે ગોપાલભાઈ જવાબ આપો હવે આ ભાષા યોગ્ય છે તમારી??                



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે