ચૂંટણી પહેલા ગોપાલ ઈટાલિયા બન્યા ચર્ચાનો વિષય


  • Published By :
  • Published Date : 2022-10-23 18:02:54

વિધાનસભા ચૂંટણી નજીક આવતા જૂના વીડિયો, જૂના ટ્વિટ વાયરલ થઈ રહ્યા છે. ગોપાલ ઈટાલિયાના એક બાદ એક જૂના વીડિયો છેલ્લા ઘણા સમયથી વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત તેમનો જૂનો વીડિયો વાયરલ થયો છે. ઈટાલિયાના જે વીડિયો વાયરલ થયા છે તેમાં તેઓ વડાપ્રધાન, હીરા બા તેમજ ભાજપના નેતાઓ પર નિશાન સાધતા હોય છે. વીડિયો પ્રમાણે તેઓ ભાજપના નેતાઓ હરામી અને વડોદરાના ભાજપ વાળા હરામી છે. 

ભાજપના નેતા પર ઈટાલિયાએ કર્યા પ્રહાર

આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. ભાજપ પણ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. ત્યારે ગોપાલ ઈટાલિયાના અનેક જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમ જેમ આપ સક્રિય થઈ રહી છે તેમ તેમ આપ નેતાના જૂના વીડિયો તેમજ ટ્વિટ વાયરલ થઈ રહી છે. ગોપાલ ઈટાલિયાના વીડિયો વાયરલ થયા છે. આ વખતે તેમણે ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યા છે.

  

યજ્ઞેશ દવેએ માગ્યો ઈટાલિયા પાસેથી જવાબ

ભાજપે પણ આ વીડિયોનો વળતો જવાબ આપ્યો છે. યજ્ઞેશ દવેએ વળતો જવાબ આપતા લખ્યું કે પોતાની જાતને સરદારના વંશ જ ગણાવતા પહેલા સરદાર સાહેબનું જીવનચરિત્ર જાણી લેવું. આ વીડિયો જૂનો નથી નવો જ છે ગોપાલભાઈ જવાબ આપો હવે આ ભાષા યોગ્ય છે તમારી??                



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.