ચૂંટણી પહેલા ગોપાલ ઈટાલિયા બન્યા ચર્ચાનો વિષય


  • Published By :
  • Published Date : 2022-10-23 18:02:54

વિધાનસભા ચૂંટણી નજીક આવતા જૂના વીડિયો, જૂના ટ્વિટ વાયરલ થઈ રહ્યા છે. ગોપાલ ઈટાલિયાના એક બાદ એક જૂના વીડિયો છેલ્લા ઘણા સમયથી વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત તેમનો જૂનો વીડિયો વાયરલ થયો છે. ઈટાલિયાના જે વીડિયો વાયરલ થયા છે તેમાં તેઓ વડાપ્રધાન, હીરા બા તેમજ ભાજપના નેતાઓ પર નિશાન સાધતા હોય છે. વીડિયો પ્રમાણે તેઓ ભાજપના નેતાઓ હરામી અને વડોદરાના ભાજપ વાળા હરામી છે. 

ભાજપના નેતા પર ઈટાલિયાએ કર્યા પ્રહાર

આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. ભાજપ પણ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. ત્યારે ગોપાલ ઈટાલિયાના અનેક જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમ જેમ આપ સક્રિય થઈ રહી છે તેમ તેમ આપ નેતાના જૂના વીડિયો તેમજ ટ્વિટ વાયરલ થઈ રહી છે. ગોપાલ ઈટાલિયાના વીડિયો વાયરલ થયા છે. આ વખતે તેમણે ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યા છે.

  

યજ્ઞેશ દવેએ માગ્યો ઈટાલિયા પાસેથી જવાબ

ભાજપે પણ આ વીડિયોનો વળતો જવાબ આપ્યો છે. યજ્ઞેશ દવેએ વળતો જવાબ આપતા લખ્યું કે પોતાની જાતને સરદારના વંશ જ ગણાવતા પહેલા સરદાર સાહેબનું જીવનચરિત્ર જાણી લેવું. આ વીડિયો જૂનો નથી નવો જ છે ગોપાલભાઈ જવાબ આપો હવે આ ભાષા યોગ્ય છે તમારી??                



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.