ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું આપના નેતાઓ પર ભાજપ કરાવી રહી છે હુમલો


  • Published By :
  • Published Date : 2022-11-27 09:43:37

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણી પ્રચારમાં રાજકીય પાર્ટીના નેતાઓ વ્યસ્ત બન્યા છે. પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. ચૂંટણી નજીક આવતા નેતાઓ પર હુમલા થવાના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે લિંબાયત વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક આપના ઉમેદવાર પર હુમલો થવાના ફોટો વાયરલ થયા છે. આ અંગેની માહિતી આપના પ્રદેશ પ્રવક્તા કરણ બારોટે આપી હતી. ભાજપે સ્થાનિક આપ નેતા મહેન્દ્ર ગોસ્વામી પર હુમલો કરાવ્યો છે તેવા તેમણે આરોપ લગાવ્યો છે.

આપના નેતા પર ભાજપે કરાવ્યો હુમલો - આપનો દાવો  

આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ચૂંટણીમાં ટક્કર થવાની છે. ત્યારે દરેક પાર્ટી પોતાના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી નજીક આવતા માહોલ ગંભીર અને હિંસક બની રહ્યો છે. ત્યારે લિંબાયત વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક આપના ઉમેદવાર પર હુમલો થવાની વિગતો સામે આવી છે. આપના પ્રદેશ પ્રવક્તા કરણ બારોટે ટ્વિટ કરી લખ્યું હતું કે આ ધર્મ યુદ્ધમાં આમ આદમી પાર્ટી આ અધર્મી ભારતીય જનતા પાર્ટીને લડત આપશે અને સત્યની જીત થશે.

ગોપાલ ઈટાલિયાની સભા દરમિયાન થયો હતો પથ્થરમારો 

આવી જ ઘટના ગોપાલ ઈટાલિયા પ્રચાર કરી રહ્યા હતા ત્યારે બની હતી. તેમની સભા દરમિયાન પથ્થરમારો થયા હોવાની માહિતી સામે આવી હતી. આ ઘટનામાં એક બાળકને ઈજા પહોંચી હતી. ગોપાલ ઈટાલિયાએ આ ઘટનાને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે  આ પથ્થરમારો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સમ્પન્ન થાય તે હવે જરૂરી બની ગયું છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.