ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું આપના નેતાઓ પર ભાજપ કરાવી રહી છે હુમલો


  • Published By :
  • Published Date : 2022-11-27 09:43:37

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણી પ્રચારમાં રાજકીય પાર્ટીના નેતાઓ વ્યસ્ત બન્યા છે. પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. ચૂંટણી નજીક આવતા નેતાઓ પર હુમલા થવાના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે લિંબાયત વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક આપના ઉમેદવાર પર હુમલો થવાના ફોટો વાયરલ થયા છે. આ અંગેની માહિતી આપના પ્રદેશ પ્રવક્તા કરણ બારોટે આપી હતી. ભાજપે સ્થાનિક આપ નેતા મહેન્દ્ર ગોસ્વામી પર હુમલો કરાવ્યો છે તેવા તેમણે આરોપ લગાવ્યો છે.

આપના નેતા પર ભાજપે કરાવ્યો હુમલો - આપનો દાવો  

આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ચૂંટણીમાં ટક્કર થવાની છે. ત્યારે દરેક પાર્ટી પોતાના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી નજીક આવતા માહોલ ગંભીર અને હિંસક બની રહ્યો છે. ત્યારે લિંબાયત વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક આપના ઉમેદવાર પર હુમલો થવાની વિગતો સામે આવી છે. આપના પ્રદેશ પ્રવક્તા કરણ બારોટે ટ્વિટ કરી લખ્યું હતું કે આ ધર્મ યુદ્ધમાં આમ આદમી પાર્ટી આ અધર્મી ભારતીય જનતા પાર્ટીને લડત આપશે અને સત્યની જીત થશે.

ગોપાલ ઈટાલિયાની સભા દરમિયાન થયો હતો પથ્થરમારો 

આવી જ ઘટના ગોપાલ ઈટાલિયા પ્રચાર કરી રહ્યા હતા ત્યારે બની હતી. તેમની સભા દરમિયાન પથ્થરમારો થયા હોવાની માહિતી સામે આવી હતી. આ ઘટનામાં એક બાળકને ઈજા પહોંચી હતી. ગોપાલ ઈટાલિયાએ આ ઘટનાને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે  આ પથ્થરમારો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સમ્પન્ન થાય તે હવે જરૂરી બની ગયું છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.