ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું આપના નેતાઓ પર ભાજપ કરાવી રહી છે હુમલો


  • Published By :
  • Published Date : 2022-11-27 09:43:37

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણી પ્રચારમાં રાજકીય પાર્ટીના નેતાઓ વ્યસ્ત બન્યા છે. પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. ચૂંટણી નજીક આવતા નેતાઓ પર હુમલા થવાના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે લિંબાયત વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક આપના ઉમેદવાર પર હુમલો થવાના ફોટો વાયરલ થયા છે. આ અંગેની માહિતી આપના પ્રદેશ પ્રવક્તા કરણ બારોટે આપી હતી. ભાજપે સ્થાનિક આપ નેતા મહેન્દ્ર ગોસ્વામી પર હુમલો કરાવ્યો છે તેવા તેમણે આરોપ લગાવ્યો છે.

આપના નેતા પર ભાજપે કરાવ્યો હુમલો - આપનો દાવો  

આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ચૂંટણીમાં ટક્કર થવાની છે. ત્યારે દરેક પાર્ટી પોતાના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી નજીક આવતા માહોલ ગંભીર અને હિંસક બની રહ્યો છે. ત્યારે લિંબાયત વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક આપના ઉમેદવાર પર હુમલો થવાની વિગતો સામે આવી છે. આપના પ્રદેશ પ્રવક્તા કરણ બારોટે ટ્વિટ કરી લખ્યું હતું કે આ ધર્મ યુદ્ધમાં આમ આદમી પાર્ટી આ અધર્મી ભારતીય જનતા પાર્ટીને લડત આપશે અને સત્યની જીત થશે.

ગોપાલ ઈટાલિયાની સભા દરમિયાન થયો હતો પથ્થરમારો 

આવી જ ઘટના ગોપાલ ઈટાલિયા પ્રચાર કરી રહ્યા હતા ત્યારે બની હતી. તેમની સભા દરમિયાન પથ્થરમારો થયા હોવાની માહિતી સામે આવી હતી. આ ઘટનામાં એક બાળકને ઈજા પહોંચી હતી. ગોપાલ ઈટાલિયાએ આ ઘટનાને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે  આ પથ્થરમારો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સમ્પન્ન થાય તે હવે જરૂરી બની ગયું છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.