ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું આપના નેતાઓ પર ભાજપ કરાવી રહી છે હુમલો


  • Published By :
  • Published Date : 2022-11-27 09:43:37

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણી પ્રચારમાં રાજકીય પાર્ટીના નેતાઓ વ્યસ્ત બન્યા છે. પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. ચૂંટણી નજીક આવતા નેતાઓ પર હુમલા થવાના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે લિંબાયત વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક આપના ઉમેદવાર પર હુમલો થવાના ફોટો વાયરલ થયા છે. આ અંગેની માહિતી આપના પ્રદેશ પ્રવક્તા કરણ બારોટે આપી હતી. ભાજપે સ્થાનિક આપ નેતા મહેન્દ્ર ગોસ્વામી પર હુમલો કરાવ્યો છે તેવા તેમણે આરોપ લગાવ્યો છે.

આપના નેતા પર ભાજપે કરાવ્યો હુમલો - આપનો દાવો  

આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ચૂંટણીમાં ટક્કર થવાની છે. ત્યારે દરેક પાર્ટી પોતાના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી નજીક આવતા માહોલ ગંભીર અને હિંસક બની રહ્યો છે. ત્યારે લિંબાયત વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક આપના ઉમેદવાર પર હુમલો થવાની વિગતો સામે આવી છે. આપના પ્રદેશ પ્રવક્તા કરણ બારોટે ટ્વિટ કરી લખ્યું હતું કે આ ધર્મ યુદ્ધમાં આમ આદમી પાર્ટી આ અધર્મી ભારતીય જનતા પાર્ટીને લડત આપશે અને સત્યની જીત થશે.

ગોપાલ ઈટાલિયાની સભા દરમિયાન થયો હતો પથ્થરમારો 

આવી જ ઘટના ગોપાલ ઈટાલિયા પ્રચાર કરી રહ્યા હતા ત્યારે બની હતી. તેમની સભા દરમિયાન પથ્થરમારો થયા હોવાની માહિતી સામે આવી હતી. આ ઘટનામાં એક બાળકને ઈજા પહોંચી હતી. ગોપાલ ઈટાલિયાએ આ ઘટનાને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે  આ પથ્થરમારો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સમ્પન્ન થાય તે હવે જરૂરી બની ગયું છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.