લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ રાહુલ ગાંધીને લઈને કર્યો દાવો કહ્યું....


  • Published By :
  • Published Date : 2022-12-31 09:19:16

ભારત જોડો યાત્રાને કારણે રાહુલ ગાંધી ચર્ચાઓમાં રહે છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર સુધી જવાની છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રામાં અનેક નેતાઓ પણ જોડાય છે અને તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ચર્ચાઓ થતી હોય છે. ત્યારે મધ્યપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે એક દાવો કર્યો છે કે 2024માં લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વિપક્ષ તરફથી વડાપ્રધાન પદનો ચહેરો બનશે.


રાહુલ ગાંધી માટે કમલનાથે આપ્યું નિવેદન 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ઘણો સમય બાકી છે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીએ હમણાંથી તૈયારીઓ આરંભી દીધી છે. ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ પૂરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રાને કારણે તેઓ અનેક વખત ચર્ચામાં પણ રહ્યા. આ યાત્રામાં અનેક નેતાઓ પણ સામેલ થયા છે. નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે રાહુલ ગાંધીની ચર્ચાઓ જોર પકડે છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે એક નિવેદન આપ્યું છે.




રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર છે - કમલનાથ 

પોતાના નિવેદનમાં કમલનાથે કહ્યું કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ માત્ર સત્તા માટે નહીં પરંતુ જનતા માટે રાજનીતિ કરી રહ્યા છે. આવા નેતાને ખુદ જનતા સિંહાસન પર બેસાડશે. જ્યાં સુધી લોકસભાની ચૂંયણીનો સવાલ છે તો રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નથી, પરંતુ વડાપ્રધાન પદના ઉમેદવાર પણ તેઓ જ હશે. 


ઈતિહાસમાં આટલી લાંબી પદયાત્રા કોઈએ નહીં કરી હોય - કમલનાથ 

ભારત જોડો યાત્રા અંગે વાત કરતા તેમણે કહ્યું કે વિશ્વના ઈતિહાસમાં કોઈએ આટલી લાંબી પદયાત્રા નહીં કરી હોય. ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈ પરિવારે આટલા બલિદાન નથી આપ્યા. વધુમાં તેમણે કહ્યું કે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ ભાજપ દ્વારા એવો દુષ્પ્રચાર કરવામાં આવ્યો કે મહારાષ્ટ્રમાં આ યાત્રા નિષ્ફળ નીવડશે પરંતુ મહારાષ્ટ્રમાં પણ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે.         



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે