લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ રાહુલ ગાંધીને લઈને કર્યો દાવો કહ્યું....


  • Published By :
  • Published Date : 2022-12-31 09:19:16

ભારત જોડો યાત્રાને કારણે રાહુલ ગાંધી ચર્ચાઓમાં રહે છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર સુધી જવાની છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રામાં અનેક નેતાઓ પણ જોડાય છે અને તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ચર્ચાઓ થતી હોય છે. ત્યારે મધ્યપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે એક દાવો કર્યો છે કે 2024માં લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વિપક્ષ તરફથી વડાપ્રધાન પદનો ચહેરો બનશે.


રાહુલ ગાંધી માટે કમલનાથે આપ્યું નિવેદન 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ઘણો સમય બાકી છે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીએ હમણાંથી તૈયારીઓ આરંભી દીધી છે. ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ પૂરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રાને કારણે તેઓ અનેક વખત ચર્ચામાં પણ રહ્યા. આ યાત્રામાં અનેક નેતાઓ પણ સામેલ થયા છે. નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે રાહુલ ગાંધીની ચર્ચાઓ જોર પકડે છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે એક નિવેદન આપ્યું છે.




રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર છે - કમલનાથ 

પોતાના નિવેદનમાં કમલનાથે કહ્યું કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ માત્ર સત્તા માટે નહીં પરંતુ જનતા માટે રાજનીતિ કરી રહ્યા છે. આવા નેતાને ખુદ જનતા સિંહાસન પર બેસાડશે. જ્યાં સુધી લોકસભાની ચૂંયણીનો સવાલ છે તો રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નથી, પરંતુ વડાપ્રધાન પદના ઉમેદવાર પણ તેઓ જ હશે. 


ઈતિહાસમાં આટલી લાંબી પદયાત્રા કોઈએ નહીં કરી હોય - કમલનાથ 

ભારત જોડો યાત્રા અંગે વાત કરતા તેમણે કહ્યું કે વિશ્વના ઈતિહાસમાં કોઈએ આટલી લાંબી પદયાત્રા નહીં કરી હોય. ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈ પરિવારે આટલા બલિદાન નથી આપ્યા. વધુમાં તેમણે કહ્યું કે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ ભાજપ દ્વારા એવો દુષ્પ્રચાર કરવામાં આવ્યો કે મહારાષ્ટ્રમાં આ યાત્રા નિષ્ફળ નીવડશે પરંતુ મહારાષ્ટ્રમાં પણ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે.         



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.