લોકસભા ઈલેક્શન પહેલા Ahmedabadની આ શાળાને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી! પોલીસ દોડતી થઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-06 13:30:37

આવતી કાલે ગુજરાત સહિત દેશની અનેક બેઠકો પર મતદાન થવાનું છે.. થોડા દિવસ પહેલા દિલ્હીની અનેક શાળાને ઉડાવવાની ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી હતી.. બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.. 


શાળાના ઓફિશિયલ ઈમેલ આઈડી પર મળ્યો ધમકી ભર્યો મેલ 

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી થોડા દિવસ પહેલા દિલ્હીની શાળાને આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.. ત્યારે દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન અમદાવાદમાં બન્યું છે.. અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. શહેરની અનેક સ્કૂલોને તેમના ઓફિશિયલ ઈમેલ પર ધમકી ભર્યા મેસેજ આવ્યા.. મળતી માહિતી અનુસાર ઈમેઈલ મળ્યા બાદ તંત્ર દ્વારા સ્કૂલોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ મોકલી દેવામાં  આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે..


આ શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!

મળતી માહિતી અનુસાર જે સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે તે છે ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. આ બાદ સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે આવતી કાલે ગુજરાતમાં લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે...      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે