લોકસભા ઈલેક્શન પહેલા Ahmedabadની આ શાળાને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી! પોલીસ દોડતી થઈ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-06 13:30:37

આવતી કાલે ગુજરાત સહિત દેશની અનેક બેઠકો પર મતદાન થવાનું છે.. થોડા દિવસ પહેલા દિલ્હીની અનેક શાળાને ઉડાવવાની ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી હતી.. બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.. 


શાળાના ઓફિશિયલ ઈમેલ આઈડી પર મળ્યો ધમકી ભર્યો મેલ 

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી થોડા દિવસ પહેલા દિલ્હીની શાળાને આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.. ત્યારે દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન અમદાવાદમાં બન્યું છે.. અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. શહેરની અનેક સ્કૂલોને તેમના ઓફિશિયલ ઈમેલ પર ધમકી ભર્યા મેસેજ આવ્યા.. મળતી માહિતી અનુસાર ઈમેઈલ મળ્યા બાદ તંત્ર દ્વારા સ્કૂલોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ મોકલી દેવામાં  આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે..


આ શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!

મળતી માહિતી અનુસાર જે સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે તે છે ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. આ બાદ સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે આવતી કાલે ગુજરાતમાં લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે...      



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.