લોકસભા ઈલેક્શન પહેલા Ahmedabadની આ શાળાને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી! પોલીસ દોડતી થઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-06 13:30:37

આવતી કાલે ગુજરાત સહિત દેશની અનેક બેઠકો પર મતદાન થવાનું છે.. થોડા દિવસ પહેલા દિલ્હીની અનેક શાળાને ઉડાવવાની ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી હતી.. બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.. 


શાળાના ઓફિશિયલ ઈમેલ આઈડી પર મળ્યો ધમકી ભર્યો મેલ 

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી થોડા દિવસ પહેલા દિલ્હીની શાળાને આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.. ત્યારે દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન અમદાવાદમાં બન્યું છે.. અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. શહેરની અનેક સ્કૂલોને તેમના ઓફિશિયલ ઈમેલ પર ધમકી ભર્યા મેસેજ આવ્યા.. મળતી માહિતી અનુસાર ઈમેઈલ મળ્યા બાદ તંત્ર દ્વારા સ્કૂલોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ મોકલી દેવામાં  આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે..


આ શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!

મળતી માહિતી અનુસાર જે સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે તે છે ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. આ બાદ સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે આવતી કાલે ગુજરાતમાં લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે...      



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.