સત્ર પહેલા શંકર ચૌધરીએ સફાઈ અભિયાનમાં લીધો ભાગ, રાષ્ટ્રપુરુષોની પ્રતિમાઓને કરી સાફ


  • Published By :
  • Published Date : 2023-02-23 13:28:34

ગાંધીનગરમાં બજેટ સત્રનો આજથી પ્રારંભ થવાનો છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા છે. સત્રની શરૂઆત થાય તે પહેલા શંકર ચૌધરીએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. વિધાનસભા સંકૂલમાં આવેલી પ્રતિમાઓને સાફ કરી હતી. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાઓની સફાઈ કરતા નજરે પડ્યા હતા.  શંકર ચૌધરીને ત્યાં જોતા સફાઈ કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સફાઈ માટે શંકર ચૌધરીએ હાથમાં ઝાડુ લીધું હતું.

 


શંકર ચૌધરીએ કરી પ્રતિમાઓની સાફ સફાઈ 

સમગ્ર દેશમાં સફાઈ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત આજથી થઈ ગઈ છે. બજેટ સત્ર હોબાળાથી ભરેલું રહેશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ તે બધા વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા છે. સત્રની શરૂઆત થાય તે પહેલા વિધાનસભા સંકુલમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં અનેક પ્રતિમાઓને સાફ કરવામાં આવી હતી. સાફ સફાઈ અભિયાનમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ સામેલ થયા હતા અને જાતે સાફ સફાઈ કરી હતી. સાફ સફાઈ કરતો તેમનો વીડિયો સામે આવ્યો છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.