સત્ર પહેલા શંકર ચૌધરીએ સફાઈ અભિયાનમાં લીધો ભાગ, રાષ્ટ્રપુરુષોની પ્રતિમાઓને કરી સાફ


  • Published By :
  • Published Date : 2023-02-23 13:28:34

ગાંધીનગરમાં બજેટ સત્રનો આજથી પ્રારંભ થવાનો છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા છે. સત્રની શરૂઆત થાય તે પહેલા શંકર ચૌધરીએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. વિધાનસભા સંકૂલમાં આવેલી પ્રતિમાઓને સાફ કરી હતી. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાઓની સફાઈ કરતા નજરે પડ્યા હતા.  શંકર ચૌધરીને ત્યાં જોતા સફાઈ કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સફાઈ માટે શંકર ચૌધરીએ હાથમાં ઝાડુ લીધું હતું.

 


શંકર ચૌધરીએ કરી પ્રતિમાઓની સાફ સફાઈ 

સમગ્ર દેશમાં સફાઈ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત આજથી થઈ ગઈ છે. બજેટ સત્ર હોબાળાથી ભરેલું રહેશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ તે બધા વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા છે. સત્રની શરૂઆત થાય તે પહેલા વિધાનસભા સંકુલમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં અનેક પ્રતિમાઓને સાફ કરવામાં આવી હતી. સાફ સફાઈ અભિયાનમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ સામેલ થયા હતા અને જાતે સાફ સફાઈ કરી હતી. સાફ સફાઈ કરતો તેમનો વીડિયો સામે આવ્યો છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.