રાજ્યના ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રુ.450માં ગેસ સિલિન્ડર મળે તેવી શક્યતા, સરકાર કરી શકે છે જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-13 21:17:08

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સરકાર બન્યા બાદ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 450 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જ કારણે હવે ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરની માગ ઉઠી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આ મુદ્દે દેખાવો કરી રહ્યા છે. રાજ્યની ભાજપ સરકાર પણ લોકોની માગને લઈ ભારે દબાણમાં છે. જો કે હવે રાજ્યના BPL કાર્ડ ધારકો માટે ખુશખબર આવે તેની શક્યતા છે. 


ભાજપ સરકાર પર નિશાન સાધ્યું

 

ગુજરાતમાં વિપક્ષી પાર્ટીઓ આપ અને કોંગ્રેસ ધરણા-પ્રદર્શનો કરી રાજસ્થાનની તર્જ પર ગુજરાતમાં પણ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 450 રુપિયામાં સિલિન્ડર આપવાની માગ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો રાજસ્થાન સરકાર 450 રુપિયામાં સિલિન્ડર આપી શકે તો ગુજરાત સરકાર કેમ ન આપી શકે. જો કે, હવે સમચાર સામે આવ્યા છે કે, ગુજરાત સરકાર પણ આ મામલે ટૂંકમાં નિર્ણય લઈ શકે છે. જો આ નિર્ણય લેવામાં આવશે તો, રાજ્યના લાખો બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાભ થઈ શકે છે. આ અંગે રાજ્ય સરકાર મોટો નિર્ણય લઈ શકે છે, બજેટમાં અથવા બજેટ સત્ર દરમિયાન જાહેરાત થઈ શકે છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.