બંગાળ: રાષ્ટ્રપતિના અપમાનનો વિવાદ, ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મમતા બેનર્જી સરકારના મંત્રી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2022-11-13 12:56:30

મમતા બેનર્જીના મંત્રી અખિલ ગિરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ જોર પકડી રહી છે.

મમતા બેનર્જીના મંત્રી અખિલ ગિરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ જોર પકડી રહી છે. બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ આજે ​​આ મામલે નવી દિલ્હીના નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચેટરજીએ આઈપીસી અને એસસી-એસટી એક્ટની કલમો હેઠળ ગિરી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા અને એફઆઈઆર નોંધવાની વિનંતી કરી છે.


રાસ્ટ્રપતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીનો વિડિયો વાઇરલ થયો હતો

મમતા બેનર્જી જવાબ આપો:લોકેટ ચેટર્જી

લોકેટ ચેટર્જીએ કહ્યું કે મમતા બેનર્જીએ આ મામલે જવાબ આપવો જોઈએ. અખિલ ગિરી તેમની સરકારમાં મંત્રી છે, તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. આ સિવાય તેમણે દિલ્હી આવીને માફી માંગવી જોઈએ. SC-ST સમુદાય વિરુદ્ધ જાહેરમાં ટિપ્પણી કરવી એ TMC મંત્રીઓની વાસ્તવિક ભાવના છે.


સ્મૃતિ ઈરાનીએ કહ્યું- મમતા બેનર્જી ક્યારે અખિલ ગિરીને પાર્ટીમાંથી હટાવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના કિસ્સામાં, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ શનિવારે પૂછ્યું કે મમતા બેનર્જી ક્યારે અખિલ ગિરીને પાર્ટીમાંથી હાંકી કાઢશે. ઈરાનીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ટીએમસી મંત્રી અખિલ ગિરીની રાષ્ટ્રપતિ મુર્મુ વિરુદ્ધ કરેલી ટિપ્પણી અંગે કંઈ બોલી રહ્યા નથી. અમે તે મંત્રીની વાત સાંભળવા માંગતા નથી, અમે જાણવા માંગીએ છીએ કે મમતાજી ક્યારે અખિલ ગિરીને પાર્ટીમાંથી હાંકી કાઢશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.