બંગાળ: રાષ્ટ્રપતિના અપમાનનો વિવાદ, ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મમતા બેનર્જી સરકારના મંત્રી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2022-11-13 12:56:30

મમતા બેનર્જીના મંત્રી અખિલ ગિરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ જોર પકડી રહી છે.

મમતા બેનર્જીના મંત્રી અખિલ ગિરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ જોર પકડી રહી છે. બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ આજે ​​આ મામલે નવી દિલ્હીના નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચેટરજીએ આઈપીસી અને એસસી-એસટી એક્ટની કલમો હેઠળ ગિરી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા અને એફઆઈઆર નોંધવાની વિનંતી કરી છે.


રાસ્ટ્રપતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીનો વિડિયો વાઇરલ થયો હતો

મમતા બેનર્જી જવાબ આપો:લોકેટ ચેટર્જી

લોકેટ ચેટર્જીએ કહ્યું કે મમતા બેનર્જીએ આ મામલે જવાબ આપવો જોઈએ. અખિલ ગિરી તેમની સરકારમાં મંત્રી છે, તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. આ સિવાય તેમણે દિલ્હી આવીને માફી માંગવી જોઈએ. SC-ST સમુદાય વિરુદ્ધ જાહેરમાં ટિપ્પણી કરવી એ TMC મંત્રીઓની વાસ્તવિક ભાવના છે.


સ્મૃતિ ઈરાનીએ કહ્યું- મમતા બેનર્જી ક્યારે અખિલ ગિરીને પાર્ટીમાંથી હટાવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના કિસ્સામાં, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ શનિવારે પૂછ્યું કે મમતા બેનર્જી ક્યારે અખિલ ગિરીને પાર્ટીમાંથી હાંકી કાઢશે. ઈરાનીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ટીએમસી મંત્રી અખિલ ગિરીની રાષ્ટ્રપતિ મુર્મુ વિરુદ્ધ કરેલી ટિપ્પણી અંગે કંઈ બોલી રહ્યા નથી. અમે તે મંત્રીની વાત સાંભળવા માંગતા નથી, અમે જાણવા માંગીએ છીએ કે મમતાજી ક્યારે અખિલ ગિરીને પાર્ટીમાંથી હાંકી કાઢશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે