ખેડૂતોને પિયત માટે ભાદર -1 ડેમમાંથી છોડાયું પાણી, સૌરાષ્ટ્રના આ તાલુકાઓનાં ધરતીપુત્રોને થશે લાભ


  • Published By :
  • Published Date : 2023-05-19 14:13:27

રાજ્ય સરકારે ખેડૂતોના કૃષિ પાકને બચાવવા માટે વિવિધ ડેમમાં રહેલું પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના જેતપુર, ધોરાજી, જુનાગઢ,સહિત 45 ગામના ખેડૂતોના હિતમાં ભાદર -1 ડેમમાંથી પાણી છોડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર ભાદર -1 માંથી ખેડૂતોને પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -1 ડેમમાં પીવાના પાણી માટેનો પણ જથ્થો અનામત કરાયો છે.


ખેડૂતોએ પિયત માટે પાણીની કરી હતી માંગણી


સૌરાષ્ટ્રનો ભાદર-1 ડેમ એ રાજકોટ જિલ્લાની જીવાદોરી છે. આ પહેલા 4500 ખેડૂતોએ પિયત માટે પાણીની માંગણી કરી હતી. ભાદર 1 ડેમ ની કુલ સપાટી 34 ફૂટ ની ધરાવતો અને 6648 MCFT પાણીની કુલ ક્ષમતા ધરાવે છે. ભાદર-1 ડેમ સિંચાઈની સૌથી મોટી કેનાલ 195 કિ.મી ધરાવે છે. ભાદર-1 ડેમમાંથી રાજકોટ મહાનગરપાલિકા અમરનગર જૂથ યોજના, કાગવડ જૂથ યોજના, ગોંડલ તાલુકાના 4 જૂથ યોજના હેઠળ 65 જેટલા ગામના 18 લાખથી વધુ લોકોને પીવાના પાણીનો આધાર ભાદર-1 ડેમ છે.


ઉનાળા માટે 1670 MCFT પાણીનો જથ્થો અનામત


ભાદર 1 ડેમમા હાલ 1670 MCFT જથ્થો એટલે કે 18.90 ફૂટ પાણી હોઈ ઉનાળામાં કોઈ પીવાના પાણીનો પ્રશ્ન રહેશે નહીં. ઓગસ્ટ માસ પછી વરસાદ ખેંચાય તો સૌની યોજના અંતર્ગત નર્મદા પાણીનો આધાર રહેશે. ખેડૂતોને પ્રી ખરીફ વાવેતર માટે 1000 MCFT પાણી કેનાલ મારફતે આપવામાં આવ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.