ખેડૂતોને પિયત માટે ભાદર -1 ડેમમાંથી છોડાયું પાણી, સૌરાષ્ટ્રના આ તાલુકાઓનાં ધરતીપુત્રોને થશે લાભ


  • Published By :
  • Published Date : 2023-05-19 14:13:27

રાજ્ય સરકારે ખેડૂતોના કૃષિ પાકને બચાવવા માટે વિવિધ ડેમમાં રહેલું પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના જેતપુર, ધોરાજી, જુનાગઢ,સહિત 45 ગામના ખેડૂતોના હિતમાં ભાદર -1 ડેમમાંથી પાણી છોડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર ભાદર -1 માંથી ખેડૂતોને પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -1 ડેમમાં પીવાના પાણી માટેનો પણ જથ્થો અનામત કરાયો છે.


ખેડૂતોએ પિયત માટે પાણીની કરી હતી માંગણી


સૌરાષ્ટ્રનો ભાદર-1 ડેમ એ રાજકોટ જિલ્લાની જીવાદોરી છે. આ પહેલા 4500 ખેડૂતોએ પિયત માટે પાણીની માંગણી કરી હતી. ભાદર 1 ડેમ ની કુલ સપાટી 34 ફૂટ ની ધરાવતો અને 6648 MCFT પાણીની કુલ ક્ષમતા ધરાવે છે. ભાદર-1 ડેમ સિંચાઈની સૌથી મોટી કેનાલ 195 કિ.મી ધરાવે છે. ભાદર-1 ડેમમાંથી રાજકોટ મહાનગરપાલિકા અમરનગર જૂથ યોજના, કાગવડ જૂથ યોજના, ગોંડલ તાલુકાના 4 જૂથ યોજના હેઠળ 65 જેટલા ગામના 18 લાખથી વધુ લોકોને પીવાના પાણીનો આધાર ભાદર-1 ડેમ છે.


ઉનાળા માટે 1670 MCFT પાણીનો જથ્થો અનામત


ભાદર 1 ડેમમા હાલ 1670 MCFT જથ્થો એટલે કે 18.90 ફૂટ પાણી હોઈ ઉનાળામાં કોઈ પીવાના પાણીનો પ્રશ્ન રહેશે નહીં. ઓગસ્ટ માસ પછી વરસાદ ખેંચાય તો સૌની યોજના અંતર્ગત નર્મદા પાણીનો આધાર રહેશે. ખેડૂતોને પ્રી ખરીફ વાવેતર માટે 1000 MCFT પાણી કેનાલ મારફતે આપવામાં આવ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.