કોંગ્રેસે પોતાના ધારાસભ્યો ભાજપ માટે‘સેલ’ પર રાખ્યા છે: AAP નેતા ભગવંત માન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 15:27:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમનું પ્રચાર અભિયાન જોરશોરથી શરૂ કરી દીધું છે.  આપના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ  કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા અને પંજાબના આપના મુખ્યમંત્રી ભગવંત માન રાજ્યના વિવિધ ભાગોમાં ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. ભગવંત માને આજે સુરેન્દ્રનગરમાં  ભાજપ અને કોંગ્રેસને નિશાન બનવી આકરા પ્રહારો કર્યા હતા. 


ભગવંત માને તેમના આગવા અંદાજમાં કર્યો પ્રચાર


ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસે પોતાના MLA સેલ પર રાખ્યા છે. જેને વેચી વેચીને તેઓ રૂપિયા કમાય છે. પહેલા કોંગ્રેસે દેશને વેચી દીધો અને હવે ભાજપ સાથે સેટિંગ કરીને પ્રજાને મૂર્ખ બનાવે છે. ભગવંત માને ભાજપને નિશાન બનાવતા કહ્યું કે ભાજપના નેતાઓએ રેલવે સ્ટેશનથી લઈ વિમાનો અને એરપોર્ટ સુધી વેચી નાખ્યા છે. તેમણે મોટાભાગે જ બધુ વેચી નાખ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં AAPની સરકાર બને છે ત્યાં ભાજપ અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. જનતા એવું ઝાડુ ચલાવે છે કે બંને પાર્ટીઓનો આ સ્થળેથી સફાયો જ થઈ જાય છે.


વૃક્ષો પાંદડાઓને ખેરવી દે છે તેમ સરકારને બદલો


ભગવંત માને જણાવ્યું કે ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસન અંગે ભગવંત માને કહ્યું કે આ સરકાર જેટલા વર્ષ રહી છે તેટલામાં તો બે પેઢીઓ બદલાઈ ગઈ છે. વૃક્ષો પણ પાનખરમાં પાંદડાઓને ખેરવી દે છે તેમ સરકારને બદલીને જનતાએ ચેન્જ લાવવો જોઈએ. ભગવંત માને ખુબ આત્મવિશ્વાસથી આપની સરકાર બનશે એવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.