કોંગ્રેસે પોતાના ધારાસભ્યો ભાજપ માટે‘સેલ’ પર રાખ્યા છે: AAP નેતા ભગવંત માન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 15:27:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમનું પ્રચાર અભિયાન જોરશોરથી શરૂ કરી દીધું છે.  આપના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ  કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા અને પંજાબના આપના મુખ્યમંત્રી ભગવંત માન રાજ્યના વિવિધ ભાગોમાં ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. ભગવંત માને આજે સુરેન્દ્રનગરમાં  ભાજપ અને કોંગ્રેસને નિશાન બનવી આકરા પ્રહારો કર્યા હતા. 


ભગવંત માને તેમના આગવા અંદાજમાં કર્યો પ્રચાર


ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસે પોતાના MLA સેલ પર રાખ્યા છે. જેને વેચી વેચીને તેઓ રૂપિયા કમાય છે. પહેલા કોંગ્રેસે દેશને વેચી દીધો અને હવે ભાજપ સાથે સેટિંગ કરીને પ્રજાને મૂર્ખ બનાવે છે. ભગવંત માને ભાજપને નિશાન બનાવતા કહ્યું કે ભાજપના નેતાઓએ રેલવે સ્ટેશનથી લઈ વિમાનો અને એરપોર્ટ સુધી વેચી નાખ્યા છે. તેમણે મોટાભાગે જ બધુ વેચી નાખ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં AAPની સરકાર બને છે ત્યાં ભાજપ અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. જનતા એવું ઝાડુ ચલાવે છે કે બંને પાર્ટીઓનો આ સ્થળેથી સફાયો જ થઈ જાય છે.


વૃક્ષો પાંદડાઓને ખેરવી દે છે તેમ સરકારને બદલો


ભગવંત માને જણાવ્યું કે ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસન અંગે ભગવંત માને કહ્યું કે આ સરકાર જેટલા વર્ષ રહી છે તેટલામાં તો બે પેઢીઓ બદલાઈ ગઈ છે. વૃક્ષો પણ પાનખરમાં પાંદડાઓને ખેરવી દે છે તેમ સરકારને બદલીને જનતાએ ચેન્જ લાવવો જોઈએ. ભગવંત માને ખુબ આત્મવિશ્વાસથી આપની સરકાર બનશે એવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .