ભારત બાયોટેકને મોટો આર્થિક ફટકો, ગ્રાહકના અભાવે કોવેક્સીનના 5 કરોડ ડોઝ નકામા થશે


  • Published By :
  • Published Date : 2022-11-06 17:46:21


ભારતમાં કોરોના કાળ દરમિયાન કરોડો લોકોએ ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સીનના ડોઝ લઈને નવજીવન મેળવ્યું હતું. જો કે હવે કોરોનાએ વિદાય લીધી છે ત્યારે કોવેક્સીન રસીની નિર્માતા કંપની ભારત બાયોટેકને મોટો આર્થિક ફટકો પડે તેવી શક્યતા છે. રસીની (Vaccine) માગ ઓછી હોવાને કારણે આ વર્ષની શરૂઆતમાં સાત મહિના પહેલા જ કોવેક્સીનનું ઉત્પાદન રોકી દેવામાં આવ્યું હતું.


કોવેક્સીન રસીનો કોઈ ગ્રાહક નથી


કોરોનાની વિદાય બાદ રસીની માંગ ઘટી છે, ઓછી માગને કારણે રસીનો કોઈ ગ્રાહક નથી, જેથી ભારત બાયોટેક પાસે કોરોના રસીના લગભગ 5 કરોડ ડોઝ વેચાણ વગર પડી રહ્યા છે. શીશીઓમાં કોવેક્સીનના ડોઝનો ઉપયોગ કરવાની સમય મર્યાદા 2023ની શરૂઆતમાં સમાપ્ત થવાની છે. આ વર્ષની શરૂઆતમાં, ભારત બાયોટેકે રસીની ઓછી માગને કારણે બે-ડોઝ કોવેક્સીન રસીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. જો કે, તેણે 2021ના ​​અંત સુધીમાં એક અબજ ડોઝનું ઉત્પાદન કર્યું હતું. કંપનીના સૂત્રોએ જણાવ્યું કે ભારત બાયોટેક પાસે જથ્થાબંધ કોવેક્સીનના 20 કરોડથી વધુ ડોઝ છે અને બોટલમાં લગભગ 5 કરોડ ડોઝ ઉપયોગ માટે તૈયાર છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.