ભારત બાયોટેકને મોટો આર્થિક ફટકો, ગ્રાહકના અભાવે કોવેક્સીનના 5 કરોડ ડોઝ નકામા થશે


  • Published By :
  • Published Date : 2022-11-06 17:46:21


ભારતમાં કોરોના કાળ દરમિયાન કરોડો લોકોએ ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સીનના ડોઝ લઈને નવજીવન મેળવ્યું હતું. જો કે હવે કોરોનાએ વિદાય લીધી છે ત્યારે કોવેક્સીન રસીની નિર્માતા કંપની ભારત બાયોટેકને મોટો આર્થિક ફટકો પડે તેવી શક્યતા છે. રસીની (Vaccine) માગ ઓછી હોવાને કારણે આ વર્ષની શરૂઆતમાં સાત મહિના પહેલા જ કોવેક્સીનનું ઉત્પાદન રોકી દેવામાં આવ્યું હતું.


કોવેક્સીન રસીનો કોઈ ગ્રાહક નથી


કોરોનાની વિદાય બાદ રસીની માંગ ઘટી છે, ઓછી માગને કારણે રસીનો કોઈ ગ્રાહક નથી, જેથી ભારત બાયોટેક પાસે કોરોના રસીના લગભગ 5 કરોડ ડોઝ વેચાણ વગર પડી રહ્યા છે. શીશીઓમાં કોવેક્સીનના ડોઝનો ઉપયોગ કરવાની સમય મર્યાદા 2023ની શરૂઆતમાં સમાપ્ત થવાની છે. આ વર્ષની શરૂઆતમાં, ભારત બાયોટેકે રસીની ઓછી માગને કારણે બે-ડોઝ કોવેક્સીન રસીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. જો કે, તેણે 2021ના ​​અંત સુધીમાં એક અબજ ડોઝનું ઉત્પાદન કર્યું હતું. કંપનીના સૂત્રોએ જણાવ્યું કે ભારત બાયોટેક પાસે જથ્થાબંધ કોવેક્સીનના 20 કરોડથી વધુ ડોઝ છે અને બોટલમાં લગભગ 5 કરોડ ડોઝ ઉપયોગ માટે તૈયાર છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે