દેશમાં તમામ ફર્ટિલાઈઝરની માત્ર એક જ 'ભારત' બ્રાન્ડ, ક્વોલિટી અને કિંમત પણ નિર્ધારીત કરાઈ


  • Published By :
  • Published Date : 2022-11-12 18:10:57


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેલંગાણામાં ફર્ટિલાઈઝર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. પીએમ મોદીએ આ પ્લાન્ટના ઉદઘાટન સમારોહમાં કહ્યું કે હવે દેશમાં માત્ર એક જ પ્રકારનું યુરિયા હશે. ભારતમાં યુરિયાની માત્ર એક જ બ્રાન્ડ હશે, બ્રાંડની કિંમત અને ક્વોલિટી પણ નિર્ધારીત કરવામાં આવી છે. મોદીએ તેલંગાણાના રામાગુંડમમાં નિર્મિત RFCLના આ પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી. 


વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના શું છે?


મોદી સરકારે દેશમાં એક જ છત નીચે તમામ કૃષિ સામગ્રી સસ્તા દરે મળી શકે તેવી વ્યવસ્થા કરી છે. આજ યોજનાના ભાગરૂપે  દેશમાં સિંગલ બ્રાન્ડ 'ભારત' ના નામ હેઠળ વેચી શકાશે. આ યોજના હેઠળ, તમામ પ્રકારના ખાતરો, પછી તે યુરિયા, ડીએપી અથવા એનપીકે, એક જ બ્રાન્ડ નામ “ભારત” હેઠળ વેચવામાં આવશે. ખેડૂતોને આ યોજનાથી સમયસર ફર્ટિલાઈઝરનો જથ્થો મળી શકશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.