દેશમાં તમામ ફર્ટિલાઈઝરની માત્ર એક જ 'ભારત' બ્રાન્ડ, ક્વોલિટી અને કિંમત પણ નિર્ધારીત કરાઈ


  • Published By :
  • Published Date : 2022-11-12 18:10:57


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેલંગાણામાં ફર્ટિલાઈઝર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. પીએમ મોદીએ આ પ્લાન્ટના ઉદઘાટન સમારોહમાં કહ્યું કે હવે દેશમાં માત્ર એક જ પ્રકારનું યુરિયા હશે. ભારતમાં યુરિયાની માત્ર એક જ બ્રાન્ડ હશે, બ્રાંડની કિંમત અને ક્વોલિટી પણ નિર્ધારીત કરવામાં આવી છે. મોદીએ તેલંગાણાના રામાગુંડમમાં નિર્મિત RFCLના આ પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી. 


વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના શું છે?


મોદી સરકારે દેશમાં એક જ છત નીચે તમામ કૃષિ સામગ્રી સસ્તા દરે મળી શકે તેવી વ્યવસ્થા કરી છે. આજ યોજનાના ભાગરૂપે  દેશમાં સિંગલ બ્રાન્ડ 'ભારત' ના નામ હેઠળ વેચી શકાશે. આ યોજના હેઠળ, તમામ પ્રકારના ખાતરો, પછી તે યુરિયા, ડીએપી અથવા એનપીકે, એક જ બ્રાન્ડ નામ “ભારત” હેઠળ વેચવામાં આવશે. ખેડૂતોને આ યોજનાથી સમયસર ફર્ટિલાઈઝરનો જથ્થો મળી શકશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.