દેશમાં તમામ ફર્ટિલાઈઝરની માત્ર એક જ 'ભારત' બ્રાન્ડ, ક્વોલિટી અને કિંમત પણ નિર્ધારીત કરાઈ


  • Published By :
  • Published Date : 2022-11-12 18:10:57


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેલંગાણામાં ફર્ટિલાઈઝર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. પીએમ મોદીએ આ પ્લાન્ટના ઉદઘાટન સમારોહમાં કહ્યું કે હવે દેશમાં માત્ર એક જ પ્રકારનું યુરિયા હશે. ભારતમાં યુરિયાની માત્ર એક જ બ્રાન્ડ હશે, બ્રાંડની કિંમત અને ક્વોલિટી પણ નિર્ધારીત કરવામાં આવી છે. મોદીએ તેલંગાણાના રામાગુંડમમાં નિર્મિત RFCLના આ પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી. 


વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના શું છે?


મોદી સરકારે દેશમાં એક જ છત નીચે તમામ કૃષિ સામગ્રી સસ્તા દરે મળી શકે તેવી વ્યવસ્થા કરી છે. આજ યોજનાના ભાગરૂપે  દેશમાં સિંગલ બ્રાન્ડ 'ભારત' ના નામ હેઠળ વેચી શકાશે. આ યોજના હેઠળ, તમામ પ્રકારના ખાતરો, પછી તે યુરિયા, ડીએપી અથવા એનપીકે, એક જ બ્રાન્ડ નામ “ભારત” હેઠળ વેચવામાં આવશે. ખેડૂતોને આ યોજનાથી સમયસર ફર્ટિલાઈઝરનો જથ્થો મળી શકશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"