ભારે વરસાદને કારણે જમ્મુ-કાશ્મીરમાં રોકાઈ ગઈ ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-25 16:03:50

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે.  તેમની યાત્રા જમ્મુ-કાશ્મીર પહોંચી છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા સંપન્ન થવાની છે. ત્યારે ભારે વરસાદને કારણે આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. રામબનમાં ભારે વરસાદ થવાને કારણે હવે આ યાત્રા પોતાનો સફર 27 તારીખે શરૂ કરશે. આવતી કાલે ગણતંત્ર દિવસ હોવાને કારણે યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરી આ અંગેની માહિતી આપી હતી. 


અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે યાત્રા   

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. જમ્મુ-કાશ્મીર ખાતે આ યાત્રા પૂરી થવાની છે. આ યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા ચાલી રહી છે. યાત્રાનો આજે 131મો દિવસ છે. આ યાત્રા અનેક રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોથી પસાર થઈ છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા પૂર્ણ થવાની છે.


ભારે વર્ષાને કારણે યાત્રા કરાઈ સ્થગિત 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા તેમજ વર્ષા થઈ રહી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ભારે વર્ષા થઈ રહી છે. ભારે વર્ષા થવાને કારણે રાહુલ ગાંધીની યાત્રા આજ માટે સ્થગિત કરવામાં આવી છે. આવતી કાલે ગણતંત્ર દિવસ હોવાને કારણે યાત્રાને મોકૂફ રાખવામાં આવી છે. 27 જાન્યુઆરી સવારે 8 વાગ્યે આ યાત્રા ફરી શરૂ થશે. શ્રીનગર ખાતે આ યાત્રાનું સમાપન થવાનું છે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.