ભારે વરસાદને કારણે જમ્મુ-કાશ્મીરમાં રોકાઈ ગઈ ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-25 16:03:50

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે.  તેમની યાત્રા જમ્મુ-કાશ્મીર પહોંચી છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા સંપન્ન થવાની છે. ત્યારે ભારે વરસાદને કારણે આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. રામબનમાં ભારે વરસાદ થવાને કારણે હવે આ યાત્રા પોતાનો સફર 27 તારીખે શરૂ કરશે. આવતી કાલે ગણતંત્ર દિવસ હોવાને કારણે યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરી આ અંગેની માહિતી આપી હતી. 


અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે યાત્રા   

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. જમ્મુ-કાશ્મીર ખાતે આ યાત્રા પૂરી થવાની છે. આ યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા ચાલી રહી છે. યાત્રાનો આજે 131મો દિવસ છે. આ યાત્રા અનેક રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોથી પસાર થઈ છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા પૂર્ણ થવાની છે.


ભારે વર્ષાને કારણે યાત્રા કરાઈ સ્થગિત 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા તેમજ વર્ષા થઈ રહી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ભારે વર્ષા થઈ રહી છે. ભારે વર્ષા થવાને કારણે રાહુલ ગાંધીની યાત્રા આજ માટે સ્થગિત કરવામાં આવી છે. આવતી કાલે ગણતંત્ર દિવસ હોવાને કારણે યાત્રાને મોકૂફ રાખવામાં આવી છે. 27 જાન્યુઆરી સવારે 8 વાગ્યે આ યાત્રા ફરી શરૂ થશે. શ્રીનગર ખાતે આ યાત્રાનું સમાપન થવાનું છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.