એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી ભારત જોડો યાત્રા, જાણો કેમ આગળ ન વધી યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-27 17:05:49

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીર પહોંચી છે. તેમની યાત્રા 30 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાની છે ત્યારે આજે ફરી એક વખત આ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અનંતનાગ જિલ્લામાં સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખી આ યાત્રાને રોકી દેવાઈ છે. રાહુલ ગાંધીની યાત્રામાં અનેક લોકો આવી ગયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ન હતો. બનિહાલમાં પોલીસ દ્વારા ભીડ નિયંત્રીત કરવામાં આવી ન હતી.


રાહુલ ગાંધીએ કરી હતી પ્રેસ કોન્ફરન્સ 

જમ્મુ-કાશ્મીર ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહોંચી છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી છે. ત્યારે જમ્મુમાં રાહુલ ગાંધીની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી દ્વારા આક્ષેપ લગાવામાં આવી રહ્યો છે કે યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ન હતો. તેમજ ભીડને નિયંત્રીત કરવામાં પણ ન આવી હતી. યાત્રામાં પુરતો પોલીસ બંદોબસ્ત કરવામાં ન આવ્યો હતો. આ અંગે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આક્ષેપો કર્યા હતા. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.