એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી ભારત જોડો યાત્રા, જાણો કેમ આગળ ન વધી યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-27 17:05:49

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીર પહોંચી છે. તેમની યાત્રા 30 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાની છે ત્યારે આજે ફરી એક વખત આ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અનંતનાગ જિલ્લામાં સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખી આ યાત્રાને રોકી દેવાઈ છે. રાહુલ ગાંધીની યાત્રામાં અનેક લોકો આવી ગયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ન હતો. બનિહાલમાં પોલીસ દ્વારા ભીડ નિયંત્રીત કરવામાં આવી ન હતી.


રાહુલ ગાંધીએ કરી હતી પ્રેસ કોન્ફરન્સ 

જમ્મુ-કાશ્મીર ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહોંચી છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી છે. ત્યારે જમ્મુમાં રાહુલ ગાંધીની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી દ્વારા આક્ષેપ લગાવામાં આવી રહ્યો છે કે યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ન હતો. તેમજ ભીડને નિયંત્રીત કરવામાં પણ ન આવી હતી. યાત્રામાં પુરતો પોલીસ બંદોબસ્ત કરવામાં ન આવ્યો હતો. આ અંગે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આક્ષેપો કર્યા હતા. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.