એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી ભારત જોડો યાત્રા, જાણો કેમ આગળ ન વધી યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-27 17:05:49

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીર પહોંચી છે. તેમની યાત્રા 30 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાની છે ત્યારે આજે ફરી એક વખત આ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અનંતનાગ જિલ્લામાં સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખી આ યાત્રાને રોકી દેવાઈ છે. રાહુલ ગાંધીની યાત્રામાં અનેક લોકો આવી ગયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ન હતો. બનિહાલમાં પોલીસ દ્વારા ભીડ નિયંત્રીત કરવામાં આવી ન હતી.


રાહુલ ગાંધીએ કરી હતી પ્રેસ કોન્ફરન્સ 

જમ્મુ-કાશ્મીર ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહોંચી છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી છે. ત્યારે જમ્મુમાં રાહુલ ગાંધીની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી દ્વારા આક્ષેપ લગાવામાં આવી રહ્યો છે કે યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ન હતો. તેમજ ભીડને નિયંત્રીત કરવામાં પણ ન આવી હતી. યાત્રામાં પુરતો પોલીસ બંદોબસ્ત કરવામાં ન આવ્યો હતો. આ અંગે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આક્ષેપો કર્યા હતા. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.