જમ્મુ-કાશ્મીર પહોંચી ભારત જોડો યાત્રા, 30 જાન્યુઆરીએ યાત્રા થશે સંપન્ન


  • Published By :
  • Published Date : 2023-01-20 12:20:04

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પોતાના અંતિમ પડાવ એટલે જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ છે. ગુરૂવારે આ યાત્રાએ જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરી લીધો હતો. આ યાત્રાએ જ્યારે પોતાની સફર શરૂ કરી તે દરમિયાન ત્યાં વરસાદ પડી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં વરસાદ પડવાને કારણે રાહુલ ગાંધી રેઈનકોટ પહેરેલા દેખાયા હતા.


જમ્મુ-કાશ્મીર પહોંચી ભારત જોડો યાત્રા 

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. કાશ્મીર સુધી આ યાત્રા પહોંચવાની હતી. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ હતી. ત્યારે હાલ આ યાત્રા પોતાના અંતિમ પડાવ એવા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. આ યાત્રામાં અનેક નેતાઓ. કલાકારો, સામેલ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પહોચેલી આ યાત્રામાં શિવસેનાના સંજય રાઉત પણ રાહુલ ગાંધી જોડે ચાલતા નજરે પડ્યા હતા. ઉપરાંત ફારૂખ અબ્દુલ્લા પણ આ યાત્રામાં દેખાયા હતા. 


રાહુલ ગાંધીએ પહેર્યો રેઈનકોર્ટ

રાહુલ ગાંધીએ જ્યારથી આ યાત્રાની શરૂઆત કરી છે ત્યારથી તેઓ માત્ર ટી-શર્ટમાં જ દેખાય છે. તેમની ટી-શર્ટને લઈને પણ વિવાદ છેડાયો હતો. જમ્મુ કાશ્મીરમાં આ યાત્રા પહોંચી છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે રાહુલ ગાંધી રેઈનકોર્ટ પહેરેલા નજરે પડ્યા હતા. પઠાણકોર્ટ બોર્ડર પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું જાણું છું અહિંયાના લોકો પીડામાં છે. દરેક માણસ પરેશાન છે. હું તમારા દુખ વહેચવા આવ્યો છે. આ યાત્રા 30 જાન્યુઆરીના રોજ ખતમ થવાની છે. જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા 9 દિવસ રહેશે.      





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.