જમ્મુ-કાશ્મીર પહોંચી ભારત જોડો યાત્રા, 30 જાન્યુઆરીએ યાત્રા થશે સંપન્ન


  • Published By :
  • Published Date : 2023-01-20 12:20:04

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પોતાના અંતિમ પડાવ એટલે જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ છે. ગુરૂવારે આ યાત્રાએ જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરી લીધો હતો. આ યાત્રાએ જ્યારે પોતાની સફર શરૂ કરી તે દરમિયાન ત્યાં વરસાદ પડી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં વરસાદ પડવાને કારણે રાહુલ ગાંધી રેઈનકોટ પહેરેલા દેખાયા હતા.


જમ્મુ-કાશ્મીર પહોંચી ભારત જોડો યાત્રા 

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. કાશ્મીર સુધી આ યાત્રા પહોંચવાની હતી. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ હતી. ત્યારે હાલ આ યાત્રા પોતાના અંતિમ પડાવ એવા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. આ યાત્રામાં અનેક નેતાઓ. કલાકારો, સામેલ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પહોચેલી આ યાત્રામાં શિવસેનાના સંજય રાઉત પણ રાહુલ ગાંધી જોડે ચાલતા નજરે પડ્યા હતા. ઉપરાંત ફારૂખ અબ્દુલ્લા પણ આ યાત્રામાં દેખાયા હતા. 


રાહુલ ગાંધીએ પહેર્યો રેઈનકોર્ટ

રાહુલ ગાંધીએ જ્યારથી આ યાત્રાની શરૂઆત કરી છે ત્યારથી તેઓ માત્ર ટી-શર્ટમાં જ દેખાય છે. તેમની ટી-શર્ટને લઈને પણ વિવાદ છેડાયો હતો. જમ્મુ કાશ્મીરમાં આ યાત્રા પહોંચી છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે રાહુલ ગાંધી રેઈનકોર્ટ પહેરેલા નજરે પડ્યા હતા. પઠાણકોર્ટ બોર્ડર પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું જાણું છું અહિંયાના લોકો પીડામાં છે. દરેક માણસ પરેશાન છે. હું તમારા દુખ વહેચવા આવ્યો છે. આ યાત્રા 30 જાન્યુઆરીના રોજ ખતમ થવાની છે. જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા 9 દિવસ રહેશે.      





અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.