જમ્મુ-કાશ્મીર પહોંચી ભારત જોડો યાત્રા, 30 જાન્યુઆરીએ યાત્રા થશે સંપન્ન


  • Published By :
  • Published Date : 2023-01-20 12:20:04

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પોતાના અંતિમ પડાવ એટલે જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ છે. ગુરૂવારે આ યાત્રાએ જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરી લીધો હતો. આ યાત્રાએ જ્યારે પોતાની સફર શરૂ કરી તે દરમિયાન ત્યાં વરસાદ પડી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં વરસાદ પડવાને કારણે રાહુલ ગાંધી રેઈનકોટ પહેરેલા દેખાયા હતા.


જમ્મુ-કાશ્મીર પહોંચી ભારત જોડો યાત્રા 

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. કાશ્મીર સુધી આ યાત્રા પહોંચવાની હતી. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ હતી. ત્યારે હાલ આ યાત્રા પોતાના અંતિમ પડાવ એવા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. આ યાત્રામાં અનેક નેતાઓ. કલાકારો, સામેલ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પહોચેલી આ યાત્રામાં શિવસેનાના સંજય રાઉત પણ રાહુલ ગાંધી જોડે ચાલતા નજરે પડ્યા હતા. ઉપરાંત ફારૂખ અબ્દુલ્લા પણ આ યાત્રામાં દેખાયા હતા. 


રાહુલ ગાંધીએ પહેર્યો રેઈનકોર્ટ

રાહુલ ગાંધીએ જ્યારથી આ યાત્રાની શરૂઆત કરી છે ત્યારથી તેઓ માત્ર ટી-શર્ટમાં જ દેખાય છે. તેમની ટી-શર્ટને લઈને પણ વિવાદ છેડાયો હતો. જમ્મુ કાશ્મીરમાં આ યાત્રા પહોંચી છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે રાહુલ ગાંધી રેઈનકોર્ટ પહેરેલા નજરે પડ્યા હતા. પઠાણકોર્ટ બોર્ડર પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું જાણું છું અહિંયાના લોકો પીડામાં છે. દરેક માણસ પરેશાન છે. હું તમારા દુખ વહેચવા આવ્યો છે. આ યાત્રા 30 જાન્યુઆરીના રોજ ખતમ થવાની છે. જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા 9 દિવસ રહેશે.      





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.