જમ્મુ-કાશ્મીર પહોંચી ભારત જોડો યાત્રા, 30 જાન્યુઆરીએ યાત્રા થશે સંપન્ન


  • Published By :
  • Published Date : 2023-01-20 12:20:04

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પોતાના અંતિમ પડાવ એટલે જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ છે. ગુરૂવારે આ યાત્રાએ જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરી લીધો હતો. આ યાત્રાએ જ્યારે પોતાની સફર શરૂ કરી તે દરમિયાન ત્યાં વરસાદ પડી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં વરસાદ પડવાને કારણે રાહુલ ગાંધી રેઈનકોટ પહેરેલા દેખાયા હતા.


જમ્મુ-કાશ્મીર પહોંચી ભારત જોડો યાત્રા 

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. કાશ્મીર સુધી આ યાત્રા પહોંચવાની હતી. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ હતી. ત્યારે હાલ આ યાત્રા પોતાના અંતિમ પડાવ એવા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. આ યાત્રામાં અનેક નેતાઓ. કલાકારો, સામેલ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પહોચેલી આ યાત્રામાં શિવસેનાના સંજય રાઉત પણ રાહુલ ગાંધી જોડે ચાલતા નજરે પડ્યા હતા. ઉપરાંત ફારૂખ અબ્દુલ્લા પણ આ યાત્રામાં દેખાયા હતા. 


રાહુલ ગાંધીએ પહેર્યો રેઈનકોર્ટ

રાહુલ ગાંધીએ જ્યારથી આ યાત્રાની શરૂઆત કરી છે ત્યારથી તેઓ માત્ર ટી-શર્ટમાં જ દેખાય છે. તેમની ટી-શર્ટને લઈને પણ વિવાદ છેડાયો હતો. જમ્મુ કાશ્મીરમાં આ યાત્રા પહોંચી છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે રાહુલ ગાંધી રેઈનકોર્ટ પહેરેલા નજરે પડ્યા હતા. પઠાણકોર્ટ બોર્ડર પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું જાણું છું અહિંયાના લોકો પીડામાં છે. દરેક માણસ પરેશાન છે. હું તમારા દુખ વહેચવા આવ્યો છે. આ યાત્રા 30 જાન્યુઆરીના રોજ ખતમ થવાની છે. જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા 9 દિવસ રહેશે.      





રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.