ભારત જોડો યાત્રા કરશે જમ્મુ -કાશ્મીરમાં એન્ટ્રી, સ્વાગતમાં હશે અનેક નેતાઓ


  • Published By :
  • Published Date : 2023-01-19 14:37:44

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે જમ્મુ-કાશ્મીર પહોંચવાની છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા પોતાના અંતિમ પડાવ પર આજે પહોંચવાની છે. મળતી માહિતી અનુસાર કઠુઆ ખાતે રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરવાના છે. યાત્રા પઠાણકોટથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરશે.   

ભારત જોડો યાત્રા જે રાજ્યમાં ફરી રહી હતી ત્યાં જ કોંગ્રેસની ભૂંડી હાર થઇ;  અગાઉ કોંગ્રેસ પાસે હતી આ બેઠક | DeshGujarat

આજે જમ્મુ-કાશ્મીરમાં થશે યાત્રાની એન્ટ્રી 

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે. આજે આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરવાની છે. ત્યારે સુરક્ષાદળોએ સુરક્ષામાં વધારો કર્યો છે. 

30 જાન્યુઆરીએ સમાપ્ત થશે યાત્રા 

જમ્મુ-કાશ્મીર કોંગ્રેસની પ્રભારી રજની પટેલે જણાવ્યું હતું કે ફારૂક અબદુલ્લા, પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તી, સીપીએમ નેતા યૂસુફ તારિગીમી અને શિવસેના નેતા સંજય રાઉત રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. 30 જાન્યુઆરીના રોજ એક વિશાલ રેલી નિકળશે અને તે બાદ યાત્રાનું સમાપન થશે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.