ભારત જોડો યાત્રા કરશે જમ્મુ -કાશ્મીરમાં એન્ટ્રી, સ્વાગતમાં હશે અનેક નેતાઓ


  • Published By :
  • Published Date : 2023-01-19 14:37:44

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે જમ્મુ-કાશ્મીર પહોંચવાની છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા પોતાના અંતિમ પડાવ પર આજે પહોંચવાની છે. મળતી માહિતી અનુસાર કઠુઆ ખાતે રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરવાના છે. યાત્રા પઠાણકોટથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરશે.   

ભારત જોડો યાત્રા જે રાજ્યમાં ફરી રહી હતી ત્યાં જ કોંગ્રેસની ભૂંડી હાર થઇ;  અગાઉ કોંગ્રેસ પાસે હતી આ બેઠક | DeshGujarat

આજે જમ્મુ-કાશ્મીરમાં થશે યાત્રાની એન્ટ્રી 

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે. આજે આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરવાની છે. ત્યારે સુરક્ષાદળોએ સુરક્ષામાં વધારો કર્યો છે. 

30 જાન્યુઆરીએ સમાપ્ત થશે યાત્રા 

જમ્મુ-કાશ્મીર કોંગ્રેસની પ્રભારી રજની પટેલે જણાવ્યું હતું કે ફારૂક અબદુલ્લા, પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તી, સીપીએમ નેતા યૂસુફ તારિગીમી અને શિવસેના નેતા સંજય રાઉત રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. 30 જાન્યુઆરીના રોજ એક વિશાલ રેલી નિકળશે અને તે બાદ યાત્રાનું સમાપન થશે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી