અમરેલી સીટ માટે ભાજપની ટિકિટ માટે ખેંચતાણ. કોંગ્રેસના પરેશ ધાનાણીને કોણ પડકાર આપશે?


  • Published By :
  • Published Date : 2022-10-30 15:31:41

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં જુથવાદ વકર્યો છે. ભાજપના નેતાઓ ટિકિટ માટે જે રીતે ખેંચતાણ કરી રહ્યા છે. અમરેલી વિધાનસભા સીટ માટે જે રીતે બાખડી રહ્યા છે તે જોતા ભાજપ આ ચૂંટણીમાં પણ પરેશ ધાનાણીને પડકાર આપી શકશે કે કેમ તે એક પ્રશ્ન છે. આ બેઠક પર ધાનાણીને હરાવવા ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન હોવા છતાં ભાજપમાં અંદરો અંદર જૂથવાદ જોવા મળી રહ્યો છે. અમરેલી સીટ માટે ભાજપની ટિકિટ માટે અનેક દાવેદારો મેદાનમાં છે. આ બેઠક માટે કોંગ્રેસના અગ્રણી નેતા પરેશ ધાનાણીનું નામ લગભગ ફાઈનલ છે.


ભાજપમાંથી અનેક ટિકિટ વાંચ્છુઓ


અમરેલી સીટ માટે ભાજપના નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી છેલ્લાં 5 માસથી પુત્ર મનીષ સંઘાણી અને તેમના ભાઈ મુકેશ સંઘાણીને ટિકિટ અપાવવા માટે સોગઠાં ગોઠવી રહ્યા છે. દિલીપ સંઘાણીની જેમ PM મોદીના ખાસ મનાતા ડૉ. ભરત કાનાબારે પણ અમરેલીથી ટિકિટ માગી છે. અમરેલીમાં ડો. ભરત કાનાબાર વિશ્વાસુ નેતા છે, તેમની સર્વ સમાજના નેતા તરીકેની ઓળખ છે. તે ઉપરાંત કૌશિક વેકરિયા પણ લાઈનમાં છે, તેમને બાવકું ઉઘાડ અને પરસોત્તમ રૂપાલાનું સમર્થન છે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.