અમરેલી સીટ માટે ભાજપની ટિકિટ માટે ખેંચતાણ. કોંગ્રેસના પરેશ ધાનાણીને કોણ પડકાર આપશે?


  • Published By :
  • Published Date : 2022-10-30 15:31:41

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં જુથવાદ વકર્યો છે. ભાજપના નેતાઓ ટિકિટ માટે જે રીતે ખેંચતાણ કરી રહ્યા છે. અમરેલી વિધાનસભા સીટ માટે જે રીતે બાખડી રહ્યા છે તે જોતા ભાજપ આ ચૂંટણીમાં પણ પરેશ ધાનાણીને પડકાર આપી શકશે કે કેમ તે એક પ્રશ્ન છે. આ બેઠક પર ધાનાણીને હરાવવા ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન હોવા છતાં ભાજપમાં અંદરો અંદર જૂથવાદ જોવા મળી રહ્યો છે. અમરેલી સીટ માટે ભાજપની ટિકિટ માટે અનેક દાવેદારો મેદાનમાં છે. આ બેઠક માટે કોંગ્રેસના અગ્રણી નેતા પરેશ ધાનાણીનું નામ લગભગ ફાઈનલ છે.


ભાજપમાંથી અનેક ટિકિટ વાંચ્છુઓ


અમરેલી સીટ માટે ભાજપના નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી છેલ્લાં 5 માસથી પુત્ર મનીષ સંઘાણી અને તેમના ભાઈ મુકેશ સંઘાણીને ટિકિટ અપાવવા માટે સોગઠાં ગોઠવી રહ્યા છે. દિલીપ સંઘાણીની જેમ PM મોદીના ખાસ મનાતા ડૉ. ભરત કાનાબારે પણ અમરેલીથી ટિકિટ માગી છે. અમરેલીમાં ડો. ભરત કાનાબાર વિશ્વાસુ નેતા છે, તેમની સર્વ સમાજના નેતા તરીકેની ઓળખ છે. તે ઉપરાંત કૌશિક વેકરિયા પણ લાઈનમાં છે, તેમને બાવકું ઉઘાડ અને પરસોત્તમ રૂપાલાનું સમર્થન છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.