ભાજપના સંગઠનમાં જબરદસ્ત ફેરફારો, પ્રદેશ મહામંત્રી પદેથી ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-04-05 22:15:11

લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જબરદસ્ત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આજે પાર્ટીએ મહત્વનો નિર્ણય લેતા ભાર્ગવ ભટ્ટની પ્રદેશ મહામંત્રી પદેથી હકાલપટ્ટી કરી છે. ભાર્ગવ ભટ્ટ મધ્ય ઝોનની જવાબદારી સંભાળતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપે સમગ્ર ગુજરાત પ્રદેશને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ભાર્ગવ ભટ્ટની પાર્ટીની સંગઠનમાંથી હકાલપટ્ટીના કારણે  ભાજપનું આતરિક રાજકારણ ખુલીને બહાર આવ્યું છે.


ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી શા માટે?


ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી અંગે ભાજપના આંતરિક વર્તુળમાં વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. જે મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી આ તમામ ચૂંટણીઓમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થાનિક કક્ષાએથી પાર્ટીને હાઈ કમાન્ડને ભાર્ગવ ભટ્ટના વિરોધમાં ફરિયાદો મળતી હતી અને તે જ કારણોસર ભાર્ગવ ભટ્ટને હટાવવામાં આવ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. 


ભાર્ગવ ભટ્ટને સરકારમાં મળશે જવાબદારી


ભાર્ગવ ભટ્ટને ભાજપ સંગઠનમાંથી હટાવીને સરકારમાં જવાબદારી સોંપાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં બોર્ડ નિગમોના ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક કરવાની છે ત્યારે ભાર્ગવ ભટ્ટને કોઈ બોર્ડ નિગમના ચેરમેન બનાવે તે માટે હાલ તેમને મહામંત્રી પદ પરથી દૂર કરવામાં આવ્યા છે તેવું પણ પાર્ટીના કેટલાક સુત્રોનું માનવું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.