ભાજપના સંગઠનમાં જબરદસ્ત ફેરફારો, પ્રદેશ મહામંત્રી પદેથી ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-04-05 22:15:11

લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જબરદસ્ત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આજે પાર્ટીએ મહત્વનો નિર્ણય લેતા ભાર્ગવ ભટ્ટની પ્રદેશ મહામંત્રી પદેથી હકાલપટ્ટી કરી છે. ભાર્ગવ ભટ્ટ મધ્ય ઝોનની જવાબદારી સંભાળતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપે સમગ્ર ગુજરાત પ્રદેશને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ભાર્ગવ ભટ્ટની પાર્ટીની સંગઠનમાંથી હકાલપટ્ટીના કારણે  ભાજપનું આતરિક રાજકારણ ખુલીને બહાર આવ્યું છે.


ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી શા માટે?


ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી અંગે ભાજપના આંતરિક વર્તુળમાં વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. જે મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી આ તમામ ચૂંટણીઓમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થાનિક કક્ષાએથી પાર્ટીને હાઈ કમાન્ડને ભાર્ગવ ભટ્ટના વિરોધમાં ફરિયાદો મળતી હતી અને તે જ કારણોસર ભાર્ગવ ભટ્ટને હટાવવામાં આવ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. 


ભાર્ગવ ભટ્ટને સરકારમાં મળશે જવાબદારી


ભાર્ગવ ભટ્ટને ભાજપ સંગઠનમાંથી હટાવીને સરકારમાં જવાબદારી સોંપાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં બોર્ડ નિગમોના ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક કરવાની છે ત્યારે ભાર્ગવ ભટ્ટને કોઈ બોર્ડ નિગમના ચેરમેન બનાવે તે માટે હાલ તેમને મહામંત્રી પદ પરથી દૂર કરવામાં આવ્યા છે તેવું પણ પાર્ટીના કેટલાક સુત્રોનું માનવું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.