ભાજપના સંગઠનમાં જબરદસ્ત ફેરફારો, પ્રદેશ મહામંત્રી પદેથી ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-04-05 22:15:11

લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જબરદસ્ત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આજે પાર્ટીએ મહત્વનો નિર્ણય લેતા ભાર્ગવ ભટ્ટની પ્રદેશ મહામંત્રી પદેથી હકાલપટ્ટી કરી છે. ભાર્ગવ ભટ્ટ મધ્ય ઝોનની જવાબદારી સંભાળતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપે સમગ્ર ગુજરાત પ્રદેશને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ભાર્ગવ ભટ્ટની પાર્ટીની સંગઠનમાંથી હકાલપટ્ટીના કારણે  ભાજપનું આતરિક રાજકારણ ખુલીને બહાર આવ્યું છે.


ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી શા માટે?


ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી અંગે ભાજપના આંતરિક વર્તુળમાં વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. જે મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી આ તમામ ચૂંટણીઓમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થાનિક કક્ષાએથી પાર્ટીને હાઈ કમાન્ડને ભાર્ગવ ભટ્ટના વિરોધમાં ફરિયાદો મળતી હતી અને તે જ કારણોસર ભાર્ગવ ભટ્ટને હટાવવામાં આવ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. 


ભાર્ગવ ભટ્ટને સરકારમાં મળશે જવાબદારી


ભાર્ગવ ભટ્ટને ભાજપ સંગઠનમાંથી હટાવીને સરકારમાં જવાબદારી સોંપાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં બોર્ડ નિગમોના ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક કરવાની છે ત્યારે ભાર્ગવ ભટ્ટને કોઈ બોર્ડ નિગમના ચેરમેન બનાવે તે માટે હાલ તેમને મહામંત્રી પદ પરથી દૂર કરવામાં આવ્યા છે તેવું પણ પાર્ટીના કેટલાક સુત્રોનું માનવું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.