ડ્રગ કેસમાં ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાની મુશ્કેલી વધી:NCBએ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી


  • Published By :
  • Published Date : 2022-10-29 13:24:27

ભારતી સિંહ ડ્રગ કેસ વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ પ્રકાશમાં આવેલા ડ્રગ્સ કેસમાં NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

NCB arrests comedienne Bharti Singh after confession, recovery of 'ganja'

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા ડ્રગ્સના કેસમાં મુશ્કેલીમાં છે. NCBએ બંને સામે ચાર્જશીટ દાખલ કરી છે. એનસીબીએ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જણાવી દઈએ કે જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગના મામલા સામે આવ્યા હતા. જેમાં NCBએ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની ધરપકડ કરી હતી. જો કે હાલ બંને જામીન પર બહાર છે.


 


ભારતી-હર્ષ સામે ચાર્જશીટ દાખલ

તમને યાદ અપાવીએ કે વર્ષ 2020માં આ ડ્રગ કેસની ગરમી ટીવીથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફેલાઈ હતી. જ્યારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરને એનસીબીએ પૂછપરછ માટે તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. તે જ સમયે NCBએ સૂચના મળ્યા બાદ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાના ઘરે દરોડા પાડ્યા હતા.


શું થશે ધરપકડ?

NCBના દરોડામાં તપાસ એજન્સીએ આ કપલના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. બંનેની ધરપકડ કરીને પૂછપરછ માટે NCB દ્વારા તેમની ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. અહીં હર્ષ અને ભારતીએ ગાંજો લીધાની કબૂલાત કરી હતી, ત્યારપછી તેમને 15,000 રૂપિયાના જામીન પર છોડવામાં આવ્યા હતા, ત્યારથી બંને બહાર છે. જો કે બે વર્ષ બાદ આ ચાર્જશીટમાં શું છે અને તેના માથા પર ફરી એકવાર ધરપકડની તલવાર લટકી રહી છે કે કેમ તે હજુ સામે આવવાનું બાકી છે. 


ભારતીએ કપિલ શર્મા શો છોડી દીધો છે. તે ટીવી પર રિયાલિટી શો હોસ્ટ કરતી પણ જોવા મળે છે. 

After Bharti Singh, husband Haarsh Limbachiyaa arrested by NCB for  possession of cannabis | Tv News – India TV



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.