ડ્રગ કેસમાં ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાની મુશ્કેલી વધી:NCBએ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી


  • Published By :
  • Published Date : 2022-10-29 13:24:27

ભારતી સિંહ ડ્રગ કેસ વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ પ્રકાશમાં આવેલા ડ્રગ્સ કેસમાં NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

NCB arrests comedienne Bharti Singh after confession, recovery of 'ganja'

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા ડ્રગ્સના કેસમાં મુશ્કેલીમાં છે. NCBએ બંને સામે ચાર્જશીટ દાખલ કરી છે. એનસીબીએ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જણાવી દઈએ કે જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગના મામલા સામે આવ્યા હતા. જેમાં NCBએ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની ધરપકડ કરી હતી. જો કે હાલ બંને જામીન પર બહાર છે.


 


ભારતી-હર્ષ સામે ચાર્જશીટ દાખલ

તમને યાદ અપાવીએ કે વર્ષ 2020માં આ ડ્રગ કેસની ગરમી ટીવીથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફેલાઈ હતી. જ્યારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરને એનસીબીએ પૂછપરછ માટે તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. તે જ સમયે NCBએ સૂચના મળ્યા બાદ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાના ઘરે દરોડા પાડ્યા હતા.


શું થશે ધરપકડ?

NCBના દરોડામાં તપાસ એજન્સીએ આ કપલના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. બંનેની ધરપકડ કરીને પૂછપરછ માટે NCB દ્વારા તેમની ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. અહીં હર્ષ અને ભારતીએ ગાંજો લીધાની કબૂલાત કરી હતી, ત્યારપછી તેમને 15,000 રૂપિયાના જામીન પર છોડવામાં આવ્યા હતા, ત્યારથી બંને બહાર છે. જો કે બે વર્ષ બાદ આ ચાર્જશીટમાં શું છે અને તેના માથા પર ફરી એકવાર ધરપકડની તલવાર લટકી રહી છે કે કેમ તે હજુ સામે આવવાનું બાકી છે. 


ભારતીએ કપિલ શર્મા શો છોડી દીધો છે. તે ટીવી પર રિયાલિટી શો હોસ્ટ કરતી પણ જોવા મળે છે. 

After Bharti Singh, husband Haarsh Limbachiyaa arrested by NCB for  possession of cannabis | Tv News – India TV



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.