Bharuch : AAP-Congressના ગઠબંધન અંગે ચર્ચા, Gujaratમાં I.N.D.I.A ગઠબંધનની વાત થતાં Mumtaz Patel અને ભાઈ Faizal Patel બગડ્યા!


  • Published By :
  • Published Date : 2024-02-23 16:28:09

ગઈકાલે સૂત્રોના હવાલાથી એક સમાચાર આવ્યા હતા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડશે. આ બેઠકો પર બંને પક્ષ સંયુક્ત રીતે ચૂંટણી લડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ભરૂચ બેઠક પરથી તેમજ ભાવનગર બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભરૂચ લોકસભા બેઠક માટે પેચ ફસાયો છે તેવી માહિતી સામે આવી છે. એહમદ પટેલની ભાવનાઓ આ બેઠક સાથે જોડાયેલી હોવાથી કોંગ્રેસ આપ સાથે ચર્ચા કરી રહી છે. મહત્વનું છે કે આ માહિતી સામે આવતા મૂમતાઝ પટેલ તેમજ ફેઝલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.

ભરૂચ લોકસભા બેઠકને ફસાયો પેચ!

લોકસભા ચૂંટણીને લઈ ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. ભાજપને હરાવવા માટે ઈન્ડિયા ગઠબંધન વિપક્ષી પાર્ટીઓએ કર્યું છે ત્યારે સીટોની વહેંચણીને લઈ પેચ ફસાયા છે. અલગ અલગ રાજ્યો માટે ગઠબંધનને લઈ સીટોની ફાળવણી અંગે ચર્ચા થઈ રહી છે. સૂત્રો પાસેથી ગઈકાલે માહિતી સામે આવી હતી કે દિલ્હી, ગુજરાતમાં ગઠબંધન થઈ શકે છે. ગુજરાતમાં બે સીટોને લઈ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ થઈ રહી છે તેમાં ભરૂચ અને ભાવનગર સીટોને લઈ ચર્ચા થઈ રહી છે. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલનું વર્ચસ્વ હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસનું માનવું છે કે ભાવનાઓ આ બેઠક સાથે જોડાયેલી હોવાથી છે જેને કારણે આ બેઠક પર પેચ ફસાયેલો છે. 


ભરૂચ લોકસભા બેઠક માટે આપે ચૈતર વસાવાના નામની કરી જાહેરાત

મહત્વનું છે ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત આપ દ્વારા કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા તે દરમિયાન તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના સમર્થકોએ તેમના સમર્થનમાં રેલી કાઢી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.