Bharuch : AAP-Congressના ગઠબંધન અંગે ચર્ચા, Gujaratમાં I.N.D.I.A ગઠબંધનની વાત થતાં Mumtaz Patel અને ભાઈ Faizal Patel બગડ્યા!


  • Published By :
  • Published Date : 2024-02-23 16:28:09

ગઈકાલે સૂત્રોના હવાલાથી એક સમાચાર આવ્યા હતા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડશે. આ બેઠકો પર બંને પક્ષ સંયુક્ત રીતે ચૂંટણી લડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ભરૂચ બેઠક પરથી તેમજ ભાવનગર બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભરૂચ લોકસભા બેઠક માટે પેચ ફસાયો છે તેવી માહિતી સામે આવી છે. એહમદ પટેલની ભાવનાઓ આ બેઠક સાથે જોડાયેલી હોવાથી કોંગ્રેસ આપ સાથે ચર્ચા કરી રહી છે. મહત્વનું છે કે આ માહિતી સામે આવતા મૂમતાઝ પટેલ તેમજ ફેઝલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.

ભરૂચ લોકસભા બેઠકને ફસાયો પેચ!

લોકસભા ચૂંટણીને લઈ ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. ભાજપને હરાવવા માટે ઈન્ડિયા ગઠબંધન વિપક્ષી પાર્ટીઓએ કર્યું છે ત્યારે સીટોની વહેંચણીને લઈ પેચ ફસાયા છે. અલગ અલગ રાજ્યો માટે ગઠબંધનને લઈ સીટોની ફાળવણી અંગે ચર્ચા થઈ રહી છે. સૂત્રો પાસેથી ગઈકાલે માહિતી સામે આવી હતી કે દિલ્હી, ગુજરાતમાં ગઠબંધન થઈ શકે છે. ગુજરાતમાં બે સીટોને લઈ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ થઈ રહી છે તેમાં ભરૂચ અને ભાવનગર સીટોને લઈ ચર્ચા થઈ રહી છે. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલનું વર્ચસ્વ હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસનું માનવું છે કે ભાવનાઓ આ બેઠક સાથે જોડાયેલી હોવાથી છે જેને કારણે આ બેઠક પર પેચ ફસાયેલો છે. 


ભરૂચ લોકસભા બેઠક માટે આપે ચૈતર વસાવાના નામની કરી જાહેરાત

મહત્વનું છે ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત આપ દ્વારા કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા તે દરમિયાન તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના સમર્થકોએ તેમના સમર્થનમાં રેલી કાઢી હતી. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે