Bharuch Loksabha : Vasava Vs Vasavaનો જંગ, Chaitar Vasavaએ કહ્યું કે દાદાને આપણે આરામ આપીએ, એમને રિટાયર્ડ કરવાના છે.. સાંભળો તેમના નિવેદનને


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-07 13:06:13

ભરૂચ લોકસભા બેઠકને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કારણ કે આમ આદમી પાર્ટી તરફ લોકસભાના ઉમેદવાર છે ચૈતર વસાવા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ભરૂચ લોકસભામાં આ વખતે વસાવા Vs વસાવાનો જંગ જોવા મળવાનો છે. લોકસભા ચૂંટણીને લઈ શાબ્દિક પ્રહારો થવાના શરૂ થઈ ગયા છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક બીજા માટે અનેક વખત નિવેદનો આપતા હોય છે ત્યારે ફરી એક વખત ચૈતર વસાવાએ મનસુખ વસાવાને લઈ વાત કરી છે. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે  દાદાને હવે આપણે આરામ આપીએ એમને રિટાયર્ડ કરવાના છે. 

એવું મનાતું હતું કે મનસુખ વસાવાને નહીં કરવામાં આવે રિપીટ!

ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ વખતે સરપ્રાઈઝ મળી શકે છે ઉમેદવારોના નામને લઈ. પરંતુ આ વખતે કોઈ મોટો સરપ્રાઈઝ પાર્ટીએ નથી આપ્યો પરંતુ એવું લાગતું હતું, એવી ચર્ચાઓ થઈ રહી હતી કે મનસુખ વસાવાને રિપીટ નહીં કરવામાં આવે પરંતુ તેમને 8મી વખત ઉમેદવાર તરીકે ભાજપે પસંદ કર્યા છે. 


ભરૂચમાં જોવા મળશે વસાવા Vs વસાવાનો જંગ 

ભરૂચ લોકસભા માટે તેઓ ભાજપના ઉમેદવાર છે જ્યારે આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને હવે તે લોકસભાના ઉમેદવાર. પહેલા પણ અનેક વખત ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક પ્રહારો કરવામાં આવતા હતા ત્યારે ફરી એક વખત ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર નિશાન સાધ્યું છે.

દાદાને આપણે આરામ આપીએ - ચૈતર વસાવા

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ભરૂચમાં સ્વાભિમાન યાત્રાનું આયોજન કર્યું હતું. અનેક વિસ્તારોમાંથી આ યાત્રા ફરી હતી અને ચૈતર વસાવાએ જનસભાને પણ સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે જેલની વાત કરી, મનસુખ વસાવાને લઈ પણ નિવેદન આપ્યું હતું. આડકતરી રીતે ચૈતર વસાવા એવું કહેવા માગતા હતા કે મનસુખ વસાવાને હરાવવા જોઈએ! પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દાદાને આપણે આરામ આપીએ, એમને રિટાયર્ડ કરવાના છે. આવનાર સમયમાં ચૈતર વસાવા આરામ કરે છે કે મનસુખ વસાવા આરામ કરે છે તે મતદાતાઓ પર નિર્ધારિત છે.  



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..