Bharuch Loksabha : Vasava Vs Vasavaનો જંગ, Chaitar Vasavaએ કહ્યું કે દાદાને આપણે આરામ આપીએ, એમને રિટાયર્ડ કરવાના છે.. સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-03-07 13:06:13

ભરૂચ લોકસભા બેઠકને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કારણ કે આમ આદમી પાર્ટી તરફ લોકસભાના ઉમેદવાર છે ચૈતર વસાવા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ભરૂચ લોકસભામાં આ વખતે વસાવા Vs વસાવાનો જંગ જોવા મળવાનો છે. લોકસભા ચૂંટણીને લઈ શાબ્દિક પ્રહારો થવાના શરૂ થઈ ગયા છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક બીજા માટે અનેક વખત નિવેદનો આપતા હોય છે ત્યારે ફરી એક વખત ચૈતર વસાવાએ મનસુખ વસાવાને લઈ વાત કરી છે. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે  દાદાને હવે આપણે આરામ આપીએ એમને રિટાયર્ડ કરવાના છે. 

એવું મનાતું હતું કે મનસુખ વસાવાને નહીં કરવામાં આવે રિપીટ!

ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ વખતે સરપ્રાઈઝ મળી શકે છે ઉમેદવારોના નામને લઈ. પરંતુ આ વખતે કોઈ મોટો સરપ્રાઈઝ પાર્ટીએ નથી આપ્યો પરંતુ એવું લાગતું હતું, એવી ચર્ચાઓ થઈ રહી હતી કે મનસુખ વસાવાને રિપીટ નહીં કરવામાં આવે પરંતુ તેમને 8મી વખત ઉમેદવાર તરીકે ભાજપે પસંદ કર્યા છે. 


ભરૂચમાં જોવા મળશે વસાવા Vs વસાવાનો જંગ 

ભરૂચ લોકસભા માટે તેઓ ભાજપના ઉમેદવાર છે જ્યારે આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને હવે તે લોકસભાના ઉમેદવાર. પહેલા પણ અનેક વખત ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક પ્રહારો કરવામાં આવતા હતા ત્યારે ફરી એક વખત ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર નિશાન સાધ્યું છે.

દાદાને આપણે આરામ આપીએ - ચૈતર વસાવા

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ભરૂચમાં સ્વાભિમાન યાત્રાનું આયોજન કર્યું હતું. અનેક વિસ્તારોમાંથી આ યાત્રા ફરી હતી અને ચૈતર વસાવાએ જનસભાને પણ સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે જેલની વાત કરી, મનસુખ વસાવાને લઈ પણ નિવેદન આપ્યું હતું. આડકતરી રીતે ચૈતર વસાવા એવું કહેવા માગતા હતા કે મનસુખ વસાવાને હરાવવા જોઈએ! પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દાદાને આપણે આરામ આપીએ, એમને રિટાયર્ડ કરવાના છે. આવનાર સમયમાં ચૈતર વસાવા આરામ કરે છે કે મનસુખ વસાવા આરામ કરે છે તે મતદાતાઓ પર નિર્ધારિત છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.