Bharuch Loksabha : Vasava Vs Vasavaનો જંગ, Chaitar Vasavaએ કહ્યું કે દાદાને આપણે આરામ આપીએ, એમને રિટાયર્ડ કરવાના છે.. સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-03-07 13:06:13

ભરૂચ લોકસભા બેઠકને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કારણ કે આમ આદમી પાર્ટી તરફ લોકસભાના ઉમેદવાર છે ચૈતર વસાવા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ભરૂચ લોકસભામાં આ વખતે વસાવા Vs વસાવાનો જંગ જોવા મળવાનો છે. લોકસભા ચૂંટણીને લઈ શાબ્દિક પ્રહારો થવાના શરૂ થઈ ગયા છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક બીજા માટે અનેક વખત નિવેદનો આપતા હોય છે ત્યારે ફરી એક વખત ચૈતર વસાવાએ મનસુખ વસાવાને લઈ વાત કરી છે. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે  દાદાને હવે આપણે આરામ આપીએ એમને રિટાયર્ડ કરવાના છે. 

એવું મનાતું હતું કે મનસુખ વસાવાને નહીં કરવામાં આવે રિપીટ!

ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ વખતે સરપ્રાઈઝ મળી શકે છે ઉમેદવારોના નામને લઈ. પરંતુ આ વખતે કોઈ મોટો સરપ્રાઈઝ પાર્ટીએ નથી આપ્યો પરંતુ એવું લાગતું હતું, એવી ચર્ચાઓ થઈ રહી હતી કે મનસુખ વસાવાને રિપીટ નહીં કરવામાં આવે પરંતુ તેમને 8મી વખત ઉમેદવાર તરીકે ભાજપે પસંદ કર્યા છે. 


ભરૂચમાં જોવા મળશે વસાવા Vs વસાવાનો જંગ 

ભરૂચ લોકસભા માટે તેઓ ભાજપના ઉમેદવાર છે જ્યારે આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને હવે તે લોકસભાના ઉમેદવાર. પહેલા પણ અનેક વખત ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક પ્રહારો કરવામાં આવતા હતા ત્યારે ફરી એક વખત ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર નિશાન સાધ્યું છે.

દાદાને આપણે આરામ આપીએ - ચૈતર વસાવા

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ભરૂચમાં સ્વાભિમાન યાત્રાનું આયોજન કર્યું હતું. અનેક વિસ્તારોમાંથી આ યાત્રા ફરી હતી અને ચૈતર વસાવાએ જનસભાને પણ સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે જેલની વાત કરી, મનસુખ વસાવાને લઈ પણ નિવેદન આપ્યું હતું. આડકતરી રીતે ચૈતર વસાવા એવું કહેવા માગતા હતા કે મનસુખ વસાવાને હરાવવા જોઈએ! પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દાદાને આપણે આરામ આપીએ, એમને રિટાયર્ડ કરવાના છે. આવનાર સમયમાં ચૈતર વસાવા આરામ કરે છે કે મનસુખ વસાવા આરામ કરે છે તે મતદાતાઓ પર નિર્ધારિત છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે