Bharuch Loksabha Seat : ચૈતર વસાવાના સમર્થનમાં દેખાયા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ShaktiSinh Gohil, Chaitar Vasavaએ કર્યું શક્તિપ્રદર્શન!


  • Published By :
  • Published Date : 2024-04-17 17:17:45

લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.. ઉમેદવારોએ નામાંકન ભરવાની શરૂઆત પણ કરી દીધી છે. ગુજરાત માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26 લોકસભા બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. ભાવનગર લોકસભા પર ઉમેશ મકવાણાને જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે.. ઉમેશ મકવાણાએ ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જ્યારે આજે ચૈતર વસાવા નામાંકન દાખલ કરાવવા ગયા હતા.

  

કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હતા હાજર

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવાર દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ઉમેદવાર દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે જ્યારે ચૈતર વસાવા ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ચૈતર વસાવા જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા.


આ બેઠક પર જામવાનો છે ત્રિ-પાંખીયો જંગ 

મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. ભાજપે આ વખતે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપી છે. આ બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે છોટુ વસાવાએ પણ  ઉમેદવારને ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે જોવું રહ્યું કે આ બેઠક પર કોની જીત થાય છે? 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે