ભરૂચના સાંસદ મનસુખ વસાવા ખાલી ખુરશી જોઈ અકળાયા! પદાધિકારીઓને ખખડાવ્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-10-15 17:11:54

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને કારણે અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે.. અનેક વખત મનસુખ વસાવા Vs ચૈતર વસાવા પણ જોવા મળે છે.. ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા છે કારણ કે ખુરશી ખાલી જોઈ તેમને પિત્તો ગયો અને તે બગડ્યા છે.. આખી વાત એમ હતી કે રાજપીપળામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, સ્પીચ ચાલી રહી હતી અને એક એક કરી લોકો ઉઠીને જવા લાગ્યા.. તે વખતે સાંસદ ગુસ્સે થઈ ગયા..

વિકાસ સપ્તાહની થઈ રહી છે ઉજવણી

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.. અનેક શહેરોમાં તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. ત્યારે આ કાર્યક્રમનું આયોજન ભરૂચના રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ હાજર હતા.. 




મનસુખ વસાવા બગડ્યા! 

કાર્યક્રમમાં આવેલા લોકો ધીરે ધીરે કરી જવા લાગ્યા તેને જોઈ સાંસદનો પિત્તો ગયો અને તે ગુસ્સે થઈ ગયા.. તેમણે કહ્યું કે વિકાસની વાતો થતી હોય અને લોકો ઉભા થઈને જતા રહે છે.. કાર્યક્રમમાંથી લોકો જતા ન રહે તે કોની જવાબદારી? અધિકારીઓ પણ સેવાસેતુના કાર્યક્રમ જતા નથી..તે સિવાય પદાધિકારીઓ માટે પણ તેમણે વાત કરી હતી.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.