ભરૂચના સાંસદ મનસુખ વસાવા ખાલી ખુરશી જોઈ અકળાયા! પદાધિકારીઓને ખખડાવ્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-10-15 17:11:54

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને કારણે અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે.. અનેક વખત મનસુખ વસાવા Vs ચૈતર વસાવા પણ જોવા મળે છે.. ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા છે કારણ કે ખુરશી ખાલી જોઈ તેમને પિત્તો ગયો અને તે બગડ્યા છે.. આખી વાત એમ હતી કે રાજપીપળામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, સ્પીચ ચાલી રહી હતી અને એક એક કરી લોકો ઉઠીને જવા લાગ્યા.. તે વખતે સાંસદ ગુસ્સે થઈ ગયા..

વિકાસ સપ્તાહની થઈ રહી છે ઉજવણી

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.. અનેક શહેરોમાં તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. ત્યારે આ કાર્યક્રમનું આયોજન ભરૂચના રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ હાજર હતા.. 




મનસુખ વસાવા બગડ્યા! 

કાર્યક્રમમાં આવેલા લોકો ધીરે ધીરે કરી જવા લાગ્યા તેને જોઈ સાંસદનો પિત્તો ગયો અને તે ગુસ્સે થઈ ગયા.. તેમણે કહ્યું કે વિકાસની વાતો થતી હોય અને લોકો ઉભા થઈને જતા રહે છે.. કાર્યક્રમમાંથી લોકો જતા ન રહે તે કોની જવાબદારી? અધિકારીઓ પણ સેવાસેતુના કાર્યક્રમ જતા નથી..તે સિવાય પદાધિકારીઓ માટે પણ તેમણે વાત કરી હતી.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.