ભરૂચના સાંસદ મનસુખ વસાવા ખાલી ખુરશી જોઈ અકળાયા! પદાધિકારીઓને ખખડાવ્યા, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-15 17:11:54

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને કારણે અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે.. અનેક વખત મનસુખ વસાવા Vs ચૈતર વસાવા પણ જોવા મળે છે.. ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા છે કારણ કે ખુરશી ખાલી જોઈ તેમને પિત્તો ગયો અને તે બગડ્યા છે.. આખી વાત એમ હતી કે રાજપીપળામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, સ્પીચ ચાલી રહી હતી અને એક એક કરી લોકો ઉઠીને જવા લાગ્યા.. તે વખતે સાંસદ ગુસ્સે થઈ ગયા..

વિકાસ સપ્તાહની થઈ રહી છે ઉજવણી

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.. અનેક શહેરોમાં તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. ત્યારે આ કાર્યક્રમનું આયોજન ભરૂચના રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ હાજર હતા.. 




મનસુખ વસાવા બગડ્યા! 

કાર્યક્રમમાં આવેલા લોકો ધીરે ધીરે કરી જવા લાગ્યા તેને જોઈ સાંસદનો પિત્તો ગયો અને તે ગુસ્સે થઈ ગયા.. તેમણે કહ્યું કે વિકાસની વાતો થતી હોય અને લોકો ઉભા થઈને જતા રહે છે.. કાર્યક્રમમાંથી લોકો જતા ન રહે તે કોની જવાબદારી? અધિકારીઓ પણ સેવાસેતુના કાર્યક્રમ જતા નથી..તે સિવાય પદાધિકારીઓ માટે પણ તેમણે વાત કરી હતી.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?