કોંગ્રેસને છોડી આવેલા ભાવેશ કટારાએ ભાજપનો ખેસ ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-10 16:00:12

કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસને છોડી જનાર નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા અનેક કલાકોમાં કોંગ્રેસને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે. કાલે રાત્રે ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ આજે સત્તાવાર રીતે તેમણે કેસરિયો ધારણ કર્યો છે. તેમણે હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

  

ભાજપમાંથી મળી શકે છે ટિકિટ

ગુજરાતમાં ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી કોંગ્રેસના નેતાઓ પોતાની પાર્ટીનો હાથ છોડી રહ્યા છે. અનેક ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ઝાલોદના ધારાસભ્યે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું જે બાદ તે ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવાઈ રહી હતી. ત્યારે આજે કમલમ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં જોડાયા પછી તેમને ઝાલોદથી ઉમેદવારી ટિકિટ આપવામાં આવી શકે છે કારણ કે ભાજપે ત્યાં માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.       




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.