કોંગ્રેસને છોડી આવેલા ભાવેશ કટારાએ ભાજપનો ખેસ ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-10 16:00:12

કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસને છોડી જનાર નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા અનેક કલાકોમાં કોંગ્રેસને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે. કાલે રાત્રે ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ આજે સત્તાવાર રીતે તેમણે કેસરિયો ધારણ કર્યો છે. તેમણે હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

  

ભાજપમાંથી મળી શકે છે ટિકિટ

ગુજરાતમાં ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી કોંગ્રેસના નેતાઓ પોતાની પાર્ટીનો હાથ છોડી રહ્યા છે. અનેક ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ઝાલોદના ધારાસભ્યે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું જે બાદ તે ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવાઈ રહી હતી. ત્યારે આજે કમલમ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં જોડાયા પછી તેમને ઝાલોદથી ઉમેદવારી ટિકિટ આપવામાં આવી શકે છે કારણ કે ભાજપે ત્યાં માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.