કોંગ્રેસને છોડી આવેલા ભાવેશ કટારાએ ભાજપનો ખેસ ધારણ કર્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-10 16:00:12

કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસને છોડી જનાર નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા અનેક કલાકોમાં કોંગ્રેસને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે. કાલે રાત્રે ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ આજે સત્તાવાર રીતે તેમણે કેસરિયો ધારણ કર્યો છે. તેમણે હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

  

ભાજપમાંથી મળી શકે છે ટિકિટ

ગુજરાતમાં ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી કોંગ્રેસના નેતાઓ પોતાની પાર્ટીનો હાથ છોડી રહ્યા છે. અનેક ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ઝાલોદના ધારાસભ્યે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું જે બાદ તે ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવાઈ રહી હતી. ત્યારે આજે કમલમ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં જોડાયા પછી તેમને ઝાલોદથી ઉમેદવારી ટિકિટ આપવામાં આવી શકે છે કારણ કે ભાજપે ત્યાં માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.       




ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..