ભાવનગર: ઓઈલ ટેન્કરમાંથી વિદેશી દારૂની 10,536 બોટલ અને બિયરના 1,872 ટીન ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-12-01 19:53:02

રાજ્યમાં દારૂબંધીના કાયદાના લગભગ દરરોજ લીરેલીરા ઉડાડવામાં આવે છે. બુટલેગરો રાજ્યના કોઈ પણ શહેરમાં વિદેશી દારૂની હેરફેર કરી શકે તેટલા શક્તિશાળી બન્યા છે. પોલીસના તમામ પ્રયાસો છતાં પણ રાજ્યમાં બેરોકટોક રીતે દારૂની હેરાફેરી થતી જ રહે છે. જેમ તે આજે ભાવનગરની નારી ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવીને અમદાવાદ તરફથી આવી રહેલા એક ઓઈલ ટેન્કરને ઝડપી પાડ્યું હતું. પોલીસે ટેન્કની ટાંકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 10,536 બોટલ અને બિયરના 1872 ટીન જપ્ત કર્યા હતા. 


બાતમીના આધારે કાર્યવાહી


ભાવનગરની વરતેજ પોલીસને બાતમી મળી હતી કે એક ઓઈલ ટેન્કરમાં વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી થવાની છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો અને ભાવનગરમાં એક શખ્સને સોંપવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે તે ઓઈલ ટેન્કરને નારી ચોકડી નજીક રોક્યું હતું, આ શંકાસ્પદ  જી જે 02 એ ઝેડ- 9223 નંબરના ઓઈલ ટેન્કરની તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે ટેન્કરના ચાલક સહિત રાજસ્થાનના બે શખ્સની અટકાયત કરી છે. પોલીસે આ લોકો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.