ભાવનગર: ઓઈલ ટેન્કરમાંથી વિદેશી દારૂની 10,536 બોટલ અને બિયરના 1,872 ટીન ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-12-01 19:53:02

રાજ્યમાં દારૂબંધીના કાયદાના લગભગ દરરોજ લીરેલીરા ઉડાડવામાં આવે છે. બુટલેગરો રાજ્યના કોઈ પણ શહેરમાં વિદેશી દારૂની હેરફેર કરી શકે તેટલા શક્તિશાળી બન્યા છે. પોલીસના તમામ પ્રયાસો છતાં પણ રાજ્યમાં બેરોકટોક રીતે દારૂની હેરાફેરી થતી જ રહે છે. જેમ તે આજે ભાવનગરની નારી ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવીને અમદાવાદ તરફથી આવી રહેલા એક ઓઈલ ટેન્કરને ઝડપી પાડ્યું હતું. પોલીસે ટેન્કની ટાંકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 10,536 બોટલ અને બિયરના 1872 ટીન જપ્ત કર્યા હતા. 


બાતમીના આધારે કાર્યવાહી


ભાવનગરની વરતેજ પોલીસને બાતમી મળી હતી કે એક ઓઈલ ટેન્કરમાં વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી થવાની છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો અને ભાવનગરમાં એક શખ્સને સોંપવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે તે ઓઈલ ટેન્કરને નારી ચોકડી નજીક રોક્યું હતું, આ શંકાસ્પદ  જી જે 02 એ ઝેડ- 9223 નંબરના ઓઈલ ટેન્કરની તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે ટેન્કરના ચાલક સહિત રાજસ્થાનના બે શખ્સની અટકાયત કરી છે. પોલીસે આ લોકો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.