ભાવનગર: ઓઈલ ટેન્કરમાંથી વિદેશી દારૂની 10,536 બોટલ અને બિયરના 1,872 ટીન ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-12-01 19:53:02

રાજ્યમાં દારૂબંધીના કાયદાના લગભગ દરરોજ લીરેલીરા ઉડાડવામાં આવે છે. બુટલેગરો રાજ્યના કોઈ પણ શહેરમાં વિદેશી દારૂની હેરફેર કરી શકે તેટલા શક્તિશાળી બન્યા છે. પોલીસના તમામ પ્રયાસો છતાં પણ રાજ્યમાં બેરોકટોક રીતે દારૂની હેરાફેરી થતી જ રહે છે. જેમ તે આજે ભાવનગરની નારી ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવીને અમદાવાદ તરફથી આવી રહેલા એક ઓઈલ ટેન્કરને ઝડપી પાડ્યું હતું. પોલીસે ટેન્કની ટાંકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 10,536 બોટલ અને બિયરના 1872 ટીન જપ્ત કર્યા હતા. 


બાતમીના આધારે કાર્યવાહી


ભાવનગરની વરતેજ પોલીસને બાતમી મળી હતી કે એક ઓઈલ ટેન્કરમાં વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી થવાની છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો અને ભાવનગરમાં એક શખ્સને સોંપવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે તે ઓઈલ ટેન્કરને નારી ચોકડી નજીક રોક્યું હતું, આ શંકાસ્પદ  જી જે 02 એ ઝેડ- 9223 નંબરના ઓઈલ ટેન્કરની તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે ટેન્કરના ચાલક સહિત રાજસ્થાનના બે શખ્સની અટકાયત કરી છે. પોલીસે આ લોકો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી