ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત, 4 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 18:27:28

ભાવનગર-તળાજા નેશનલ હાઈવેના શેત્રુંજી પુલ પાસે એક ગોઝારો અકસ્માત થતાં ચાર લોકોના કરૂણ મોત થયા છે. કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતનો બનાવ બનતા ત્રણ લોકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એકને સારવાર દરમિયાન 108 માં લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન મોત થયું.


ચાર મૃતકો મહુવા તાલુકાના નેપ ગામના
 


નેશનલ હાઇવે પર ગોઝારા અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિનો ભોગ લેવાયો છે. અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં એક મહિલાનો મહિલાનો પણ સમાવેશ થાય છે. આ તમામ ચાર મૃતકો મહુવા તાલુકાના નેપ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


  અંબાજી જતી ST બસ પલટી ખાઈ ગઈ, 40 મુસાફરોનો આબાદ બચાવ  


ઝઘડિયાથી અંબાજી જતી ST બસ ડાકોર-કપડવંજ રોડ પર લાભપુરા પાસે બસ પલટી ખાઈ ગઈ. રખડાતા ઢોરના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. અચાનક ઢોર વચ્ચે આવી જતા એસ.ટી.બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દીધો હતો. જેના પગલે 40 જેટલા મુસાફરોને લઈ જતી બસ પલટી ખાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની સહાયથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 40 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. જો કે 6 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા 108એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. ત્યાર પછી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને સારવાર શરૂ કરી દેવાઈ હતી.                                                                                                                



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.